SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ ૨૭ ૧૫૯ વહેતા પાણીને નિર્મળતાનો વિશેષ લાભ, ને બંધિયાર પાણીને ગંધાઈ ઊઠવાનો વિશેષ અવકાશ હોય છે; એ જ વાત માનવજીવનને લાગુ પડે છે. ધર્મમાર્ગની શોધ માનવજીવન દ્વારા સાધી શકાતી ઉચ્ચમાં ઉચ્ચ સિદ્ધિ – આધ્યાત્મિક સિદ્ધિ – માટે જ થયેલી છે; અને એ ધર્મમાર્ગના સંપૂર્ણ અનુસરણ માટે ત્યાગમાર્ગ (સંન્યાસમા)નું વિધાન થયેલું છે. સાધુજીવનનો મૂળ પાયો નિર્મમપણું એટલે કે અસંગ છે. અને આ નિર્મમપણું કેળવવું હોય તો ચેતન અને જડ બંને પ્રત્યેના મમત્વને એટલે કે રાગદૃષ્ટિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાધનાના ક્રમમાં નિર્મમત્વને પ્રથમ સ્થાન આપીને કહ્યું છે : निर्ममत्वं विरागाय, वैराग्याद् योगसंततिः । योगात् संजायते ज्ञानं, ज्ञानान्मुक्तिः प्रजायते ।। (અર્થાત નિર્મમત્વ વૈરાગ્યમાં પરિણમે છે, વૈરાગ્યમાંથી યોગની ધારા પ્રવર્તે છે, યોગમાંથી પરમ જ્ઞાન ને જ્ઞાનમાંથી મુક્તિ પ્રભવે છે.) જૈનધર્મમાં સાધુજીવનને માટે જે વ્રતો અને નિયમો નક્કી કરવામાં આવ્યાં છે, તે આકરાં છે. એમાં ક્યારેય સાધકના અંતરમાં મમત્વનો વાસ ન થઈ જાય એની ભારે તકેદારી રાખવામાં આવી છે. તેથી જેન શ્રમણોના આચારમાં પાદવિહારને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે, તેના મુખ્ય બે ઉદ્દેશ છે. એક તો તેને લીધે પ્રવાસને માટે ક્યારેય પૈસાની જરૂર ન પડે, અને બીજું, પોતાના ધર્માચાર પ્રમાણે વર્ષા-ચાતુર્માસ સિવાયના મોટા ભાગના સમયમાં એમને સ્થિરવાસ ઓછો અને પરિભ્રમણ વધારે કરવાનું હોવાથી માયા-મોહ અને મમત્વનાં બંધનોથી બંધાઈ જવાનો બહુ ઓછો ભય રહે છે. એથી એ નિરાકુળ ચિત્તે આત્મસાધના કરી શકે છે. આથી જ જૈન આચારશાસ્ત્રમાં શ્રમણ-શ્રમણીએ ક્યાં કેટલો વખત રહેવું અને કેવી રીતે વિહાર કરવો એના ચોક્કસ અને સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે. આ આદેશોના અનુસરણમાં જેટલા પ્રમાણમાં ક્ષતિ આવે છે, તેટલા પ્રમાણમાં વૈરાગ્યનો રંગ ફિક્કો પડ્યા વગર રહેતો નથી. હમણાં-હમણાં કેટલાંક સ્થાનોમાં – ખાસ કરીને મુંબઈ જેવાં મોટાં શહેરોમાં -- કેટલાક સાધુ-મહારાજો દ્વારા આ આદેશમાં અપવાદો સેવાતા જોવામાં આવે છે. તેથી એનાં માઠાં પરિણામોથી બચવું મુશ્કેલ બની જાય છે, ભલે પછી બાહ્યાડંબરોના તેજથી અંજાઈને આપણે એ દોષોને જોઈ ન શકીએ ! નિયમિત વિહાર કરતાં રહેવાને બદલે એક સ્થાને ધર્માનુજ્ઞા કરતાં વધારે સમય સ્થિરવાસ કરવાની જે પ્રવૃત્તિ અત્યારે વધતી જોવામાં આવે છે, તેથી જ ‘મુંબઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy