SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ જિનમાર્ગનું અનુશીલના આ બંધારણમાં કુલ અગિયાર કલમો છે. એટલે બધી કલમો એકસાથે આપીને એ બધાનો સમગ્રપણે વિચાર કરવાને બદલે એકએક કલમ યંકીને એ સંબંધી જરૂરી અવલોકન કે વિચારણા કરવાં ઠીક લાગે છે. “[૧] સામાન્ય સંજોગોમાં સાધ્વીજી અથવા શ્રાવિકાએ વ્યાખ્યાનના સમય સિવાય સાધુની વસતિમાં આવવું નહીં. એ માટે વ્યાખ્યાનાદિ પ્રસંગે નિષેધ કરવો, અને શક્ય પ્રબંધ કરાવવો. અસાધારણ સંયોગોમાં, દાખલા તરીકે બહારગામથી કોઈ આવ્યા હોય અથવા આપણે નવા ગામમાં ગયા હોઈએ અને ત્યાં કોઈ આવે તો એકાદ દિવસ વંદન પૂરતાં આવી જાય તો રોકવા નહીં. જોગની ક્રિયાઓમાં પણ સાધ્વીજીએ બનતાં સુધી શ્રાવિકાને સાથે લઈને આવતું, તેમ જ શ્રાવિકા ઉપધાનની ક્રિયા પ્રસંગે પુરુષને સાથે લઈને આવવું. સાધુની અકસ્માતુ બીમારી જેવા પ્રસંગમાં નિષેધ કરવો નહીં.” આજે મળવા હળવાની બાબતમાં વિવેક વિસરાઈ ગયો છે, અને ઠીકઠીક પ્રમાણમાં પ્રમાદ, બિનજાગૃતિ સેવવામાં આવે છે. એને લીધે કેટલાક પ્રસંગોમાં એવાં માઠાં પરિણામો આવે છે કે જેને લીધે સંયમનો મૂળ પાયો જ શિથિલ થઈ જાય છે. આ અનિષ્ટને ડામવા આ કલમમાં દર્શાવેલ નિયમ ઉપયોગી બની શકે એમ છે. “[૨] સાધ્વીજી પાસે સાધુઓએ કાંઈ પણ કામ કરાવવું નહીં, અને સાધુએ પોતાનાં કામો દા. ત., પાતરાં રંગવાં, સાંધવા વગેરે શીખી લેવાં. જ્યાં સુધી ન શિખાય ત્યાં સુધી ઓઘા, ઠવણી જેવાં અશક્ય કામો મુખ્ય સ્પર્ધકપતિએ સ્થાનિક પ્રૌઢ શ્રાવક દ્વારા સાધ્વીજી પાસે કરાવી લેવાં, પણ સાધુઓએ સાધ્વીના સંપર્કમાં આવવું નહીં.” આ કલમ એક રીતે પહેલી કલમમાં દર્શાવેલ નિયમની પૂર્તિ કરે છે, અને અત્યારે કેટલાંક સ્થાનોમાં સાધ્વીજીઓ પાસે પોતાનાં કપડાંનો કાંપ કાઢવા સુધી વિસ્તરી ગયેલી પોતાનું કામ કરાવવાની મુનિરાજોની પ્રવૃત્તિ ઉપર આવકારપાત્ર નિયંત્રણ મૂકે છે. આ. નિયંત્રણનો સાધ્વીજીઓ દ્વારા બરાબર અમલ થાય એ માટે એમને મળતી નવરાશનો ઉપયોગ પોતાની નિત્યક્રિયાઓ ઉપરાંત, મુખ્યત્વે પોતપોતાના ક્ષયોપશમ પ્રમાણે ધર્મશાસ્ત્રોના તેમ જ વ્યાકરણ, ન્યાય, કાવ્ય વગેરે વિદ્યાઓના અધ્યયન-અધ્યાપનમાં થાય એવી નક્કર અને નિશ્ચિત યોજના કરવી બહુ જરૂરી છે. એટલે આ બંધારણમાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવી હોત તો એક વાતનો પૂર્ણપણે વિચાર કર્યો લેખાત. [૩] સાધ્વીજી કાંઈ કામ હોય તો તે સીધું સાધુને ન કહે, પરંતુ પરંપરાએ પ્રૌઢ શ્રાવિકા અને શ્રાવક દ્વારા મુખ્ય સાધુને કહેવડાવે એ પદ્ધતિ જાળવવી. (કાંઈ તાત્કાલિક અકસ્માતુ કાર્ય આવી પડ્યું હોય તો પૂછી લેવાય.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy