SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૨૪ ૧૫૧ વિવેક વગરના સંપર્કથી થતા અનિષ્ટથી બચવા માટે અને સંયમજીવનની મર્યાદામાં સ્થિર રહેવા માટે આ પણ એક ઉપયોગી નિયમ છે; અને તે ચતુર્થ બ્રહ્મચર્યમહાવ્રતના નિરપવાદ પાલન માટે પહેલી અને બીજી કલમમાં દર્શાવેલ નિયમમાં ઉપયોગી પૂર્તિ કરે છે. “જિ] સાધુએ જોઈતી વસ્તુ માટે ટુકડીના વડીલને કહેવું અને વડીલ તેની સગવડ કરી આપે.” સાધુજીવનનો એ સ્વીકૃત નિયમ હોવો જોઈએ કે કોઈ પણ સાધુ પોતાની સંયમયાત્રામાં ઉપયોગી કે જરૂરી હોય એવી કોઈ પણ ચીજ પોતાના ગુરુ દ્વારા જ અથવા તો છેવટે ગુરુ કે વડીલની અનુજ્ઞાથી જ મેળવે. આજે સમજણ અને વિવેક વગરના લોકસંપર્કને કારણે, તેમ જ રોજ-રોજ બનતી જતી નવી-નવી વસ્તુઓ તરફના મોહક આકર્ષણને લીધે, મર્યાદાનો ઠીકઠીક ભંગ થવા લાગ્યો છે. આ નિયમ મર્યાદાની પુન:પ્રતિષ્ઠા કરે છે. [૫] સામાન્ય સંયોગોમાં ૧૫ દિવસ પહેલાં કાંપ કાઢવો નહીં – સિવાય લુણા, ઝોળી, ખેળિયું જેવાં કપડાં.” આ સામાન્ય નિયમ અંગે કંઈ વિશેષ લખવા જેવું લાગતું નથી. “[૬] રેશમી કામળી, દસી, મુહપત્તિ વ. વાપરવાં નહીં.” ત્રસ જીવની વિરાધનાથી દૂર રહીને અહિંસાના અણીશુદ્ધ પાલન માટે ખૂબ જરૂરી એવી આ બાબત તરફ ધ્યાન આપવામાં આવ્યું છે તે ઘણું અનુમોદનીય, અનુકરણીય છે. શુદ્ધ રેશમના ઉત્પાદનમાં મોટા પાયા પર જે હિંસા થાય છે, તે જો એકાદ વાર પણ નજરે જોવાનો અવસર મળે તો હૃદય કમકમી ઊઠ્યા વગર ન રહે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ અહિંસાના આદર્શને વરેલા ધર્મમાં - અને તે પણ ધર્મક્રિયાઓમાં અને ધર્મગુરુઓમાં – રેશમનો વપરાશ કેવી રીતે દાખલ થઈ ગયો એ જ વિચારણીય છે. આજથી ચારેક દાયકા પહેલાં હિંસાને કારણે રેશમનો વપરાશ જૈનોએ બંધ કરવો જોઈએ – એવી એક ચળવળ ઊપડી હતી; પણ કમનસીબે એ સફળ થઈ શકી ન હતી. [ દેશના વ્યવહાપ્રધાન આપવી અને વ્યવહારમાં પ્રાણ પૂરવા માટે ભાવ સમજાવવો.” આ નિયમની પાછળનો ભાવ એ છે કે ક્રિયાનો લોપ થાય એવી કેવળ નિશ્ચયનયની દૃષ્ટિથી અત્યારે જે કેટલેક ઠેકાણે ધર્મોપદેશ અપાય છે, એની સામે-પાણી પહેલાં પાળ બાંધવી. “[૮] એક સ્પર્ધકપતિની ટુકડીનો સાધુ બીજા સ્પર્ધકપતિની ટુકડીમાં ગચ્છાધિપતિની તથા જેની નિશ્રામાં હોય તેની આજ્ઞા સિવાય રહી શકે નહીં.” સમુદાયની આમન્યા અને એકતા જળવાય અને એક જ ગચ્છાધિપતિના જુદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy