SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૨૨ (૨૨) શ્રમણવર્ગ માટે નૂતન છતાં શિથિલાચારરોધક આચારસંહિતાની તાતી જરૂર આપણા શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં, સમયના વહેવા સાથે, ક્રમે-ક્રમે, શિથિલતામાં વધારો હવે તો એટલી હદે પહોંચી ગયો છે કે જેથી સંઘ અને ધર્મના યોગક્ષેમની બાબતમાં ધર્મપ્રભાવનાના કોઈ પણ ચાહકને ચિંતા ઊપજ્યા વગર ન જ રહે. સંઘના સદ્ભાગ્યે અત્યારે પણ આચારપરાયણ જે થોડીક વ્યક્તિઓ વિદ્યમાન છે, તેઓની આ બાબતની ચિંતા કેટલી ઘેરી છે એનો અંદાજ મેળવી શકીએ તો મોડેમોડે પણ આ બાબતમાં તત્કાળ કેવાં પગલાં ભરવાની જરૂર છે, તે પણ આપણને સમજાય, અને એ માટે થોડું-ઘણું પણ રચનાત્મક કામ કરવાની બુદ્ધિ અને શક્તિ આપણામાં જાગે. સંઘવ્યાપી બની રહેલા શિથિલાચારને જ્યારે પણ રોકવો હશે, ત્યારે, કાજળની કોટડીમાં નિષ્કલંક રહેવાની જેમ, અત્યારના અતિવિષમ વાતાવરણ વચ્ચે પણ જેઓ પોતાના આચારધર્મની વિશુદ્ધિને પોતાના જીવની જેમ સાચવી રહ્યા છે, એવા પવિત્ર સાધુ-મહાત્માઓના માર્ગદર્શન અને આપણા નિષ્ઠાભર્યા પ્રયત્ન વચ્ચેના સુમેળથી જ એમ કરી શકીશું. પણ આમાં પ્રાથમિક કે તાત્કાલિક મુશ્કેલી એ છે કે આવા આચારનિષ્ઠ મુનિમહાત્માઓ પોતાની આત્મસાધનામાં એટલા બધા નિમગ્ન હોય છે અને એમાં તેઓને નિજાનંદનો એવો અપૂર્વ અનુભવ થતો હોય છે, કે એને છોડીને બીજી બાબતોમાં પડવાનું – અરે, પોતાની કાયાની પણ ખેવના કરવાનું – એમને ભાગ્યે જ ગમે છે. આવી સ્થિતિમાં જો આ અધોગતિને ખરેખર રોકવા ઇચ્છતા હોઈએ, તો આવા સંતમહાત્માઓને શોધીને, એમને વિનંતિ કરીને આ કાર્યની આગેવાની લેવા સમજાવવા જોઈએ; આપણા ઉદ્ધારનો આ જ કારગત ઉપાય છે. આપણામાંના કેટલાક સાધુમુનિરાજો તથા શ્રાવકભાઈઓને આ દિશામાં કામ કરવાનું જેટલું વહેલું સૂઝશે એટલું આપણું વિશેષ અહિત થતું અટકશે. પણ આ તો પ્રાથમિક વાત થઈ; હવે મુખ્ય વાત કરીએ. ૧૪૩ આપણા સંઘની આચાર-શુદ્ધિ કેટલી જોખમાઈ ગઈ છે અને તેની સત્વર પુનઃપ્રતિષ્ઠા કરવાની કેટલી જરૂર છે એ અંગે અમે અમારા ગયા અંકના અગ્રલેખમાં ઠીક-ઠીક વિસ્તારથી લખ્યું છે. સાથે-સાથે શિથિલાચારની વિભાવનાને, તે વર્તમાન દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવની સાથે બંધ બેસી શકે એ રીતે માંજીને પ્રાચીન સમયથી ચાલી આવતી આચાર-સંહિતામાં કેવો ફેરફાર કરવાની જરૂર છે જેથી કોઈ વ્યક્તિ ઉ૫૨ Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy