SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ જિનમાર્ગનું અનુશીલન શિથિલાચારીપણાનો મિથ્યા આરોપ મૂકવાનો વખત ન આવે – એની વિચારણા માટે એક માર્ગ સૂચક દાખલા તરીકે, શ્રી બૃહદ્ મુંબઈ વર્ધમાન સ્થાનકવાસી જૈન મહાસંઘે પોતાના ફિરકાનાં શ્રમણો તથા શ્રમણીઓ માટે જે આચારસંહિતા તૈયાર કરી હતી, તેની મુખ્ય વિગતો પણ અમે અમારા ગયા અંકના “સામયિક ફુરણ'ની પહેલી નોંધમાં આપી હતી. અમને લાગે છે કે સાધુજીવનના પ્રાણરૂપ પાંચ મહાવ્રતોની ભાવનાઓમાં ક્ષતિ આવવા ન પામે અને એનું વધારે સારી રીતે પાલન-પોષણ થાય એ રીતે, સાધુધર્મના આચારોમાં સમજપૂર્વકના ફેરફાર કરવાનો વખત કયારનો પાકી ગયો છે. છતાં, આપણા સંઘનાયકો એ બાબતમાં હજી સુધી બેધ્યાન અને ઉદાસીન રહ્યા. એનું પરિણામ એ આવ્યું કે સમયને અનુરૂપ કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના પ્રભાવને અનુરૂપ સાધુજીવનની ક્રિયાઓમાં જે ફેરફાર કરવાનું અનિવાર્ય હતું, તે કોઈના કહ્યા-સૂચવ્યા વગર જ, મોટા ભાગના શ્રમણસમુદાયે પોતપોતાની વૃત્તિ અનુસાર મનમાની રીતે કરી લીધા. શ્રીસંઘે આવી છૂટછાટોને નિયંત્રણમાં રાખી શકે એવા નિયમો ન ઘડ્યા એનું પરિણામ એ આવ્યું કે જરૂરી તેમ જ બિનજરૂરી – સાધુધર્મને માટે અશોભારૂપ બની રહે એવી પણ – બધા પ્રકારની છૂટછાટોને સ્થાન મળવા લાગ્યું. આનો અંજામ એ આવ્યો કે એક બાજુ આપણે પ્રાચીન આચારધર્મની માળા જપતા રહ્યા અને બીજી બાજુ એ આચારધર્મનો છેદ ઉડાડી મૂકે એવી નવી-નવી, અજબ-ગજબ છૂટછાટો આવકારાતી ગઈ. આવા શિથિલાચારને એટલે કે મનસ્વી વિચાર-વાણી-વર્તનને છૂટો દોર મળી જાય એમાં શી નવાઈ ? અત્યારે ઠીક-ઠીક સંઘવ્યાપી બની ગયેલ આચારવિમુખતાના પાયામાં આ બાબત મુખ્ય છે એ સ્વીકારવું જોઈએ. આ સ્થિતિમાં શ્રમણ સમુદાયે, પોતપોતાની રીતે જે વધુ ને વધુ છૂટછાટો છેલ્લા ત્રણેક દાયકા દરમિયાન લીધી છે, તેના કેટલાક દાખલા જાણવા જેવા છે : એક કાળે સાધુ-મુનિરાજો પોતાના માટે ડોળીનો ઉપયોગ નિષિદ્ધ માનીને એના ઉપયોગથી ઘણે મોટે ભાગે દૂર જ રહેતા હતા. પચીસ-ત્રીસ વર્ષ પહેલાં એક આચાર્ય મહારાજે લોકકલ્યાણની ભાવનાથી પ્રેરાઈને એનો ઉપયોગ શરૂ કર્યો ત્યારે જે વર્ગે એમની સામે વિરોધનો વંટોળ ઊભો કર્યો હતો એ વર્ગે પોતે તથા અન્ય શ્રમણવર્ગે પણ ડોળીનો ઉપયોગ છૂટથી કરવા માંડ્યો છે ! પહેલાં ત્યાગભાવનાને જીવંત રાખવા માટે મુનિવરો પોતાના ખપ પૂરતાં પુસ્તકો પોતાની પાસે ઘણા સંકોચ સાથે રાખતા; હવે તેઓ પોતાના પુસ્તકોના સંગ્રહો રાખવા લાગ્યા છે. એ તો જાણે સમજ્યા, પણ હવે તો પોતાના પુસ્તકોનાં પ્રકાશન, એ માટે સ્વતંત્ર ગ્રંથમાળાઓ, એ માટે જ્ઞાનમંદિરો, એ માટે કર્મચારીઓ અને એ બધાના ખર્ચને પહોંચી વળવા માટે કરવી પડતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy