SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ જિનમાર્ગનું અનુશીલન અને આટલું જ શા માટે ? વળી સત્ય સાંભળો - શાસનહિતને જાણવું, એ છે બહુ મુશ્કેલ; ત્યાગધર્મ જાણે નહીં, તો વિકસે વિષવેલ. નાયક ના હોય સૈન્યમાં, કે હોય નેતા અનેક; કટક ન જીતે જંગમાં, નાસી જાય છેક. શાસનનું પણ એમ સમજવું, બહુ નાયક જ્યાં હોય, સાઠમારીમાં શાસન કેરી ચિંતા ન ધરે કોય. પણ એટલા માટે તો – કવિતા. આ તો ઉમૂલન, ભાઈ, ઉમૂલન! જવાબદારીનું ઉમૂલન! વિનયવિવેકનું ઉન્મેલન ! શાસનહિતનું ઉમૂલન ! ધર્મભાવનું ઉમૂલન ! સંયમ-વૈરાગ્યનું ઉમૂલન! મૈત્રીભાવનું ઉન્મેલન ! સરળપણાનું ઉમૂલન ! આ તો ઉમૂલન ભાઈ ! ઉમૂલન! छेल्लो बचाव પ્રભુ વીર તો ભાખી ગયા કે પડતા પંચમ કાળે; ધર્મ ચળાશે ચારણીએ રે, હળહળતા કળિકાળે. પ્રભુવાણીને સાચી કરવી, એ ધર્મનું કામ; વાદારી શાસનની એમાં, છો થઈએ બદનામ! પણ અદકપાંસળો સમજ્યો નહીં અને ફરી બોલી ઊઠ્યો : આ તો અવમૂલ્યન ભાઈ! અવમૂલ્યન ! આચાર્યપદનું અવમૂલ્યન! (તા. ૧૩-૧-૧૯૭૩) Jain Education International For Private & Personal Use.Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy