SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૨૦ ૧૩૯ ૧૩૯ अथ बचावनामु : જે સમભાવને મન ધરે, સહુને ગણે સમાન; ગોળ-ખોળને એક ગણે, લઘુને માને મહાન; ખાજા-ભાજીને વળી, વેચે એક જ ભાવે; સારા-નરસા બેયમાં, ભેદ જરી ના લાવે - શ્રી જિનવરે ભાખિયું, એમ સમતા જે સાધ, મોક્ષ તણો અધિકાર, એવા નરને લાધે. સમજી આ પ્રભુની વાણીને, આચાર્યપદની લ્હાણી કરી-કરાવી છે. અમે, ધર્મ અમારો જાણી. પણ આમાં તો – દુહો વીતરાગતા ના રહી, વિવેક નાઠો દૂર; ગુણ-અવગુણ એક જ થયા, કષાય કેરાં પૂર. તો પછી આમાં શું થયું ? – કવિતા આ તો બહુમૂલ્યન ભાઈ! બહુમૂલ્યન! રાગ-દ્વેષનું બહુમૂલ્યન! અભિમાનનું બહુમૂલ્યન! મારા-તારાપણાનું બહુમૂલ્યન! વેર-ઝેરનું બહુમૂલ્યન ! પક્ષપાતનું બહુમૂલ્યન! પદલાલસાનું બહુમૂલ્યન! મોહમાયાનું બહુમૂલ્યન! અસંજમભાવનું બહુમૂલ્યન! અદ્દભુત અભુત બહુમૂલ્યન! આ તો બહુમૂલ્યન ભાઈ! બહુમૂલ્યન! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy