SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૩ ૧૧૭ સંહિતામાં એકલવિહારને સર્વથા ત્યાજ્ય ગણ્યો છે. શ્રાવક-શ્રાવિકાને પણ આદેશ આપવામાં આવેલ છે કે એકલવિહારને કોઈ સંયોગોમાં પોષે નહિ. કૉન્ફરન્સના અજમેરના નવમા અધિવેશનમાં તો એકલવિહારના અટકાવ માટે એક ખાસ પ્રસ્તાવ કરવામાં આવેલ છે... ખુદ અજમેરના બૃહત્ સાધુસંમેલનમાં સાધુ-સંસ્થાએ પણ એકલવિહારને સદંતર અટકાવવા અનુરોધ કરેલ છે અને સ્પષ્ટ આદેશ આપેલ છે કે એકલવિહારને શ્રાવકસંઘો અટકાવે. એકલવિહારીને ધર્મસ્થાનકમાં સ્થાન આપી શકાય નહિ; એટલું જ નહિ, પરંતુ આ રીતે વિચરતાં સાધુ-સાધ્વીઓનું ચાતુર્માસ પણ કરાવી શકાય નહિ... આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, કે... સંપ્રદાય, ગુરુ કે સાથી સંતો સાથે કશોક વાંધો પડતાં, સ્વભાવના મનમેળના અભાવે અને અધિકાંશે તો સાધુના કઠિન માર્ગે ચાલવાની શિથિલતાથી જ સંખ્યાબંધ એકલવિહારીઓ જ્યાં-ત્યાં વિચરતા જોવા મળે છે.” આ પછી જેન-પ્રકાશ'ના તા. ૨૩-૧૧-૧૯૬૮ના અંકના અગ્રલેખમાં આ જ બાબતની વિશેષ છણાવટ કરતાં કહેવામાં આવ્યું છે – જે સાધુઓ દીક્ષા ગ્રહણ કર્યા બાદ સંયમ ન પાળી શકે, સ્વચ્છંદી રીતે વર્તે, આચારસંહિતા અને શિસ્તની અવગણના કરે, ગુરુની આજ્ઞાનો અનાદર કરે, શ્રાવક- વર્ગમાં વિખવાદ ઊભા કરાવી સંઘોમાં ફાટફૂટ પાડવા પ્રયત્નો કરે, સાથીસાધુઓ સાથે ક્લેશ ઊભા કરે અને શિથિલાચારી બની બેસે તેવાઓને તેમના સંપ્રદાયોએ તેમ જ ગુરુએ વહેલી તકે એમના સંપ્રદાયમાંથી છૂટા કરી દેવા જોઈએ, અને એ રીતે છૂટા કર્યાની જાહેરાત પણ કરી દેવી જોઈએ... સાચી વાત એ છે કે આજે સમાજમાં જે નિનયિકતા, વિભિન્નતા વગેરે જોવા મળે છે એનો દોષ સાધુ-સંતો કરતાં શ્રાવકોનો વધારે છે. શ્રાવકોના સહકાર સિવાય સાધુ કદી સ્વચ્છંદી બની જ ન શકે. શ્રાવકવર્ગ મક્કમ રીતે મન પર એક વાત લે કે કોઈ સંયોગોમાં એકલવિહારી કે સ્વેચ્છાચારી સાધુઓના ચાતુર્માસ નહિ કરાવીએ, તો લાંબા ગાળે એકલવિહાર કદાચ સદંતર અટકી નહિ જાય તો પણ ઓછા તો જરૂર થશે.” આ રીતે એકલવિહારીઓ ઉપરાંત સાધુસમુદાયમાં પ્રવર્તતી અવ્યવસ્થા અને અરાજકતા પ્રત્યે ધ્યાન દોરતાં તા. ૧૫-૩-૧૯૬૯ જૈનપ્રકાશના અંધાધૂંધીની અવધિ’ શીર્ષકના અગ્રલેખમાં કહેવામાં આવ્યું છે – કલ્પનામાં ન આવે એટલી હદે સાધુ-સંસ્થામાં અવ્યવસ્થા, અરાજકતા પ્રવેશી ચૂકી છે. નથી શિસ્ત, નથી સામાચારીનું યોગ્ય પાલન, નથી બંધારણપરસ્તી કે નથી સ્વકર્તવ્યની પરાયણતા. અનેક વાર બંધારણો ઘડાયાં, સામાચારીઓ પ્રસ્થાપિત થઈ. પ્રસ્તાવ-નિયમો થયા, પરંતુ એ બધું બહુધા કાગળ ઉપર જ રહ્યું છે... શ્રમણ-સમાજની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy