SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ જિનમાર્ગનું અનુશીલન પૂજનને કાદવના ખાડા જેવાં જાણવાં. એ કાંટો બહુ સૂક્ષ્મ છે તથા મહામુશ્કેલીએ કાઢી શકાય તેવો છે. માટે વિદ્વાને તેની સરસા ન જવું.” (૩) મંત્રતંત્ર- ઓછી મહેનતે વધુ લાભ મેળવવાની વૃત્તિએ માનવીને હંમેશાં છેતરામણા માર્ગે દોર્યો છે; એમાંનો એક માર્ગ તે મંત્રતંત્રનો. મંત્ર-તંત્ર ફળે છે કે કેમ, એ ચર્ચા અહીં અપ્રસ્તુત છે. મુખ્ય વાત એટલી જ છે કે સાધુજીવનને માટે એ પ્રમાદના પોષણનો માર્ગ છે. તેથી જ તો ‘ઉત્તરાધ્યયનસૂત્ર'માં સાધુ માટે સાફસાફ ફરમાવ્યું છે : મંતં તંતં ન નિન્જા (સાધુ મંત્ર-તંત્રમાં મનોયોગ ન કરે). (૪) વાસનાનો વિજય - સાધુજીવનની સમગ્ર સાધનાનું કેન્દ્ર વાસના-વિજય છે; જરાક પણ બેધ્યાન થયા કે વાસનાના વ્યામોહમાં ફસાયા જ સમજો. તેથી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે – સળે મા કુદાવ (વાસનામાત્ર દુઃખને લાવનારી છે.) (૫) અયોગ્ય દિક્ષાનું નિવારણ અને દીક્ષામાં સતત જાગૃતિ – દીક્ષા માટે શાસ્ત્રોમાં અનેક વિધાનો હોવા છતાં દીક્ષા અંગે પાત્રની યોગ્યતા-અયોગ્યતાનો વિચાર રાખવાની જરૂર છે. ગમે તેવાને દીક્ષા આપવાથી સંઘમાં સડો દાખલ થવાનો ભય ઊભો થાય છે. નવદીક્ષિત વધુ ને વધુ અને લાંબામાં લાંબા સમય સુધી એકાંતસાધના કરતાં રહેવું અને પૂરી યોગ્યતા મેળવ્યા પછી જ લોકસંપર્કનો અધિકારી બને એવી જોગવાઈ ખાસ કરવી જોઈએ. એમની ઉપર સાધના અને અભ્યાસની એટલી બધી જવાબદારી હોવી જોઈએ કે એમને હંમેશાં સમયની તાણ જ લાગવી જોઈએ. જવાબદારી પૂરી કર્યાની પૂરી ખાતરી પણ ગુરુજનોએ કરતાં રહેવું જોઈએ. (તા. ૭-૪-૧૯૬૨) અન્ય જૈનસંઘોની સ્થિતિ શ્રમણચર્યા અંગે સ્થાનકવાસી જૈન સંઘનું અવલોકન પ્રથમ કરીએ. આ સંઘમાં અત્યારે જે સ્થિતિ ચિંતાનો વિષય બની છે, તે સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના મુંબઈથી પ્રગટ થતા અઠવાડિક ગુજરાતી મુખપત્ર જૈન-પ્રકાશના અગ્રલેખો ઉપરથી પણ જાણી શકાય છે. તેથી તેની ગંભીરતા કેટલી વધારે હશે એનો સચોટ ખ્યાલ આવે છે. સવા વર્ષ પહેલાં, જેન-પ્રકાશના તા. ર૩-૩-૧૯૬ ૮ના એકલવિહાર અટકાવો નામે અગ્રલેખમાં એકલવિહારી સંતો અંગે કહેવામાં આવ્યું છે – એકલવિહાર એક પ્રકારનો સ્વચ્છેદ છે. સંયમ-માર્ગની ખાંડાની ધાર પર ચાલનાર સાધુ-સાધ્વી કોઈ સંયોગોમાં એકલા વિચરે તો વીતરાગના માર્ગ અને પરંપરાનું અલન થાય. શાસ્ત્રના નિયમ ઉપરાંત શ્રમણ-સંઘોએ પણ એમની આચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy