SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૩ આમ છતાં નિરાશ થવાની જરૂર નથી. અમુક શ્રાવકવર્ગ આમ મોહાંધ હોવા છતાં ગામેગામ અને શહેરેશહેર એવો તટસ્થ અને ગુણગ્રાહી શ્રાવકવર્ગ મોજૂદ છે, જે વ્યક્તિની શેહ કે શરમમાં તણાયા વગર કેવળ ધર્મની રક્ષાનો જ વિચાર કરે અને એ માટે કંઈક પણ કરી છૂટવાની મનોવૃત્તિ ધરાવતો હોય. આવા શ્રાવક-વર્ગનું સંગઠન સાધીને સમસ્ત સંઘમાં એવું વાતાવરણ ઊભું કરવામાં આવે, કે સાધુસંઘની ભક્તિ પૂરેપૂરી કરવી, પણ સાધુના ત્યાગ, વૈરાગ્ય કે સંયમમાં શિથિલતા પ્રવેશે એવું એક પગલું ન ભરવું. સાથેસાથે શ્રાવકવર્ગે સાધુસંઘને એવી પ્રતીતિ કરાવી દેવી જોઈએ કે સામાન્યમાં સામાન્ય સાધુની પણ સંયમ-આરાધના અને શરીરસ્વાથ્ય માટેની અનિવાર્ય જરૂરિયાતો સહજ રીતે પૂરી કરવામાં આવશે. આને લીધે જરૂર સંગ્રહશીલતા ઉપર કેટલોક કાપ મુકાશે. - આચાર્યો તેમજ મુનિરાજોનો પણ આમાં બને તેટલો સાથ લેવો જોઈએ; અને સાથેસાથે વ્યક્તિગત રીતે મુનિરાજોનો આત્મા જાગે અને પોતામાં પ્રવેશી ગયેલી શિથિલતાથી અકળાઈ ઊઠે એવું પણ કંઈક કરવું જોઈએ. ઉપર્યુક્ત ત્રણ ઉપાયોને સાવ સ્વતંત્ર ગણીને અજમાવવાને બદલે જેટલે અંશે એકબીજાની સાથે સાંકળી શકાય એટલે અંશે એ કાર્ય વધારે સરળ બનવાનું. આ લખતી વખતે એ વાત અમારા ધ્યાન બહાર જરા ય નથી કે આ ઉપાયો સૂચવવા એ એક વાત છે અને એનો અમલ કરી બતાવવો એ સાવ જુદી વાત છે. આમ છતાં જો જૈનધર્મની અવહેલના થતી અટકાવવી હશે, તેમ જ જૈન સમાજનો. અભ્યદય સાધવો હશે તો આ ઉપાયોનો અમલ કર્યા વગર છૂટકો જ નથી. અહીં બીજા કેટલાક મુદ્દાઓ તરફ ધ્યાન દોરવું પણ જરૂરી લાગે છે : (૧) પૈસો અને પ્રશંસાનો અનિચ્છનીય સંબંધ – મોટે ભાગે પૈસો પ્રશંસાની અપેક્ષા રાખે છે અને પ્રશંસા કરનારની કામના પૈસો મેળવવાની હોય છે, પરિણામે, શ્રીમંતો અને ગુરુઓ વચ્ચે એવો આસક્તિભર્યો સંબંધ બંધાઈ જાય છે, કે જેનું પરિણામ ચારિત્રની શિથિલતામાં જ આવે. એટલે સાધુઓ અને શ્રીમંતો વચ્ચે નિર્મળ ધર્મસ્નેહનો સંબંધ જ બંધાવો જોઈએ. (૨) કીર્તિની આકાંક્ષાથી મુક્તિ મેળવવી – કંચન અને કામિનીની જેમ કીર્તિ પણ ભારે લોભામણી વસ્તુ છે. એના મોહમાં સપડાયેલ સાધુ કે શ્રાવક દંભ કે પ્રપંચ કરવામાં પાછું વાળીને જોતો નથી. એટલા માટે જ આચારાંગ-સૂત્રમાં સાધુને માટે સાફસાફ કહ્યું છે : ન તો સેસાં રે લોકોની વાહવાહના માર્ગે સાધુ ન જાય; એટલું જ શા માટે ? શ્રી દશવૈકાલિક-સૂત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે – “આ જગતમાં વંદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy