SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ જિનમાર્ગનું અનુશીલના આપવામાં આવ્યા છે. ભૂતકાળમાં જ્યારે જ્યારે આવી આચાર-શિથિલતા વધવા લાગી, ત્યારેત્યારે મોટા ભાગે સાધુસંઘે પોતે જ પોતાની જાતને સંભાળી લીધી હતી. પણ વર્તમાન સ્થિતિ એ છે કે આખો સાધુસંઘ પક્ષાપક્ષીને લીધે મારાતારાપણાના કીચડમાં વધારે પ્રમાણમાં અટવાઈ ગયો છે, પરિણામે, એ આખા સંઘના સ્વાથ્યની પોતાની જવાબદારીનો ભાગ્યે જ વિચાર કરી શકે એમ છે. વળી કેટલાય દાખલાઓમાં ગુરુ-શિષ્યો વચ્ચે જે વિનય-વિવેક અને બહુમાન જળવાવાં જોઈએ એ ભાગ્યે જ જળવાય છે; ઊલટું ઘણી વાર તો ગુરુઓ શિષ્યોને વશ હોય એવી વિષમ સ્થિતિ પેદા થઈ ગઈ છે ! તેથી કોઈ કોઈને કહી શકે એવી સ્થિતિ રહી નથી. હકીકતે સમુદાયમાં કેટલીક તો નરી નજરે દેખાઈ આવે એવી શિથિલતા પ્રવેશી ગઈ હોવા છતાં, સાધુસંઘનો આત્મા તીવ્રપણે કકળી ઊઠ્યો નથી. તેથી છેવટના ઇલાજ તરીકે શ્રાવકસંઘે જ આ બાબતનો વિચાર કરવાનો રહે છે. (૩) શ્રાવકસંઘ જાગે – આમ જોઈએ તો શાસ્ત્રમાં શ્રાવકવર્ગને સાધુસંઘના સંબંધમાં જે ઉપમાઓ આપવામાં આવી છે, તેમાં એક સાધુઓનાં માતા-પિતા તરીકેની આપવામાં આવી છે. સામાન્ય રીતે તો સાધુસંઘ અને શ્રાવકસંઘ એનો પૂજક - એવો સંબંધ હોવો જોઈએ. પણ સાધુઓ ય છેવટે છદ્મસ્થ છે, અને પૂર્ણ વીતરાગપણું પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ દોષો કરી બેસે એવી શકયતા પણ છે. જ્યારે પણ સાધુ કોઈ દોષમાં પડતા લાગે ત્યારે શ્રાવક-શ્રાવિકા એક માતા-પિતાની જેમ વત્સલપણે એમને એ દોષમાંથી બચાવી લે. પણ, આમ હોવા છતાં શ્રાવકસંઘની સત્તાને શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના સાધુઓ હંમેશાં પોતાની સત્તામાં દખલગીરીરૂપ જ માને છે. છેલ્લાં પચાસેક વર્ષોમાં તો આ બાબતે ગજગ્રાહનું રૂપ લીધું હોય એમ જ લાગે છે. સાધુસંઘ ઉપર સત્તા ચલાવવા માગતા શ્રાવકસંઘને હાડકાંના માળા' જેવાં બિરુદથી પણ નવાજવામાં આવેલ છે ! એ ગમે તેમ હોય, પણ જો સાધુ પોતે જાગૃત ન હોય અને સાધુસંઘ પણ સ્વયં કંઈ કરવા તૈયાર ન હોય, તો ધર્મની રક્ષા કરવા છેવટે શ્રાવકસંઘે જાગૃત બનીને પોતાથી બનતો પુરુષાર્થ કરવો જ જોઈએ. આમ કરવાનું એક કારણ એ પણ છે કે સાધુઓની શિથિલતામાં શ્રાવકોનો પણ કંઈ નાનોસૂનો હિસ્સો નથી ! અને જો શ્રાવકવર્ગ જાગૃત બને, દૃષ્ટિરાગી કે વ્યક્તિરાગી થવાના બદલે ગુણાનુરાગી બને અને સ્વાર્થના સગપણના બદલે ધર્મના સગપણને જ અપનાવે, તો સાધુસમુદાયની શિથિલતાના સહકારી બનવાનું એનું કલંક દૂર થાય. પણ અત્યારે મોટા ભાગનો શ્રાવકવર્ગ સ્વાર્થને કારણે કે અજ્ઞાન યા અંધશ્રદ્ધાને કારણે વ્યક્તિરાગમાં . એવો તો માર્ગ ભૂલ્યો છે, કે એમાંથી ઊંચે આવવાનું કામ સરળ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy