SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૧૩ ત્યાગ અને ભક્તિની હોડ – સાધુસંતોના ત્યાગ પ્રત્યે શ્રાવકસંઘની ભક્તિ જ્યારે વિવેક ચૂકી જાય છે, ત્યારે ત્યાગ ભક્તિ પેદા કરે અને ભક્તિ ત્યાગને ભરખી જાય’ એવી વિચિત્ર સ્થિતિ સર્જાય છે; જાણે બંનેમાં કોણ જીતે છે એની હોડ મંડાઈ જાય છે ! જ્યારે એ ભક્તિમાં ઘેલછા કે વિવેકહીનતા આવી જાય છે અને સામે ત્યાગી સાધુ આત્મજાગૃતિ દાખવીને એ ભક્તિનો ઇન્કાર કરવાનું ચૂકી જાય છે, ત્યારે ભક્તની એ ઘેલી ભક્તિ ત્યાગીના ત્યાગનું ભક્ષણ કરી જાય છે; છેવટે ત્યાગી અને ગૃહસ્થ વચ્ચે દૃષ્ટિરાગનો દૂષિત સંબંધ બંધાઈ જાય છે; અને દૃષ્ટિરાગને તો મહાપાપમય (વૃષ્ટિરાવસ્તુ પાપીયાન) કહેવામાં આવ્યો છે. પછી ન ત્યાગ રહે છે, ન ભક્તિ ! અતિસંપર્ક આ દૃષ્ટિરાગ ઉત્તરોત્તર અતિસંપર્કને જન્માવે છે; અને છેવટે સાધુજીવનની માસકલ્પ કે વર્ષાવાસ જેવી સહિતકર મર્યાદાનું ઉલ્લઘન કરાવીને એકને એક સ્થાનમાં મહિનાઓ કે વર્ષો લગી વાસ કરવા સાધુને પ્રેરે છે. - ભોગસામગ્રીની વિપુલતા – આ અતિસંપર્ક અને આવા સ્થિરવાસને પરિણામે સાધુના જીવનની જરૂરિયાતો ઉત્તરોત્તર વધતી જ રહે છે, અને એને પૂરી પાડે એવી નવીનવી સામગ્રી જેમજેમ મળતી રહે તેમતેમ મન સુખશીલતાના સુંવાળા માર્ગે દોડવા લાગે છે. પરિણામે ઉત્કટ આત્મસાધનાનો માર્ગ જ વીસરાઈ જાય છે. - Jain Education International મંત્રતંત્રનો વિઘાતક માર્ગ - આ અતિસંપર્કનું બીજું માઠું પરિણામ ભક્તોમાં અંધશ્રદ્ધારૂપે અને સાધુમાં અહંકારના પ્રાદુર્ભાવરૂપે આવે છે. કાકતાલીય ન્યાયે ચારેક સાધુના સંપર્કે પોતાની ઇષ્ટ સિદ્ધિ થઈ જાય તો ભક્ત શ્રાવક માની બેસે છે કે આ તો મહારાજની કૃપાનું જ ફળ ! અને સાધુ પણ એમ માનવા-મનાવવા પ્રેરાય છે ! અને પછી તો ભગવાનની ‘આપણું કરેલું મિથ્યા થાય નહીં અને આપણે ન કર્યું હોય એનું ફળ આપણને મળે જ નહીં’ એ શાશ્વત સત્યની વાત જ વીસરાઈ જાય છે; છેવટે સાધુ અને શ્રાવક બંને ડૂબે છે. શહેરી સંસ્કૃતિનો દોષ – શહેરોમાં ઊભરાતી સંપત્તિ, ભોગવિલાસિતા અને સાધનસામગ્રીની વિપુલતા સાધુસમુદાયને શિથિલ બનાવવામાં ઘણો મોટો ભાગ ભજ્વે છે. ઉપરાંત શહેરોમાં સૌને પોતાની ચિંતાની જળોજથા એવી વળગેલી હોય છે, કે એમાં કોણ કેવું આચરણ કરે છે એની ખબર કોઈને ભાગ્યે જ પડે છે; અને કોઈને પડે તો પણ એને એની ચેરચૂંથ કે ચિકિત્સા કરવાનું ભાગ્યે જ પાલવે છે. જ એક વિશિષ્ટ પ્રકારની શિથિલતા – અહિંસાનો પૂર્ણ વિકાસ અને સાક્ષાત્કાર કરવા માટે જ બીજાં અનેક વ્રતો, તપો કે નિયમોની યોજના કરવામાં આવી છે. એટલે જે સાધુ સંયમ-માર્ગે આત્મસાધનામાં આગળ વધતા હોય એમના જીવનમાં ઉત્તરોત્તર અહિંસા, કરુણા અને વિશ્વમૈત્રીનો વિકાસ સહજપણે થતો રહે. ૧૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy