SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જિનમાર્ગનું અનુશીલન વિષમ પરિસ્થિતિમાં સાધુ-સંતોનાં હૃદયમાં આવી ઝંખના જાગે એ બહુ મુશ્કેલ લાગે છે. પણ આ માટે વધુ પડતા નિરાશ થવાની જરૂર નથી એ વાત, મુનિશ્રીએ આ પત્રમાં રજૂ કરેલી પોતાની વૃત્તિ તથા પ્રવૃત્તિની કથનીથી પણ સમજી શકાય છે. (તા. ૧૩-૧૯૭૯) આ. વિજયસમુદ્રસૂરિજીના શિષ્ય મુનિરત્ન શ્રી જનકવિજયજી મહારાજ આત્મસંતોષ ખાતર માનવીના ઘડતરનું ધર્મના પાયારૂપ જે કામ કરી રહ્યા છે, એનો આછો ખ્યાલ એમણે પોતાના અમારા ઉપરના એક પત્રમાં આપ્યો છે. આ પછી જૈન સંઘ અને સમાજના અભ્યદય અને એની વર્તમાન હાલત અંગે ચિંતા વ્યક્ત કરતાં પોતાના આ જ પત્રમાં તેઓએ લખ્યું છે – આપણે ત્યાં શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ માનવામાં આવ્યો છે, અને શ્રમણોના નેતા આચાર્ય હોય છે. આચાર્ય ભગવંતોને તીર્થંકરદેવોના પ્રતિનિધિ કહેલા છે. તીર્થકરોની ગેરહાજરીમાં આચાર્ય-ભગવંતો ઉપર જ બધી જવાબદારી આવે છે. સંઘના સર્વાગીણ વિકાસ માટે સતત વિચાર-વિમર્શ કરવાનું તથા સંઘના યોગક્ષેમને માટે પ્રેરણા આપી પ્રવૃત્ત કરવાનું કામ આચાર્ય-ભગવંતોને સોંપાયેલું છે. તિ–વરસમો સૂર (આચાર્ય તીર્થકરસમ છે) – આ પદ ઉપરથી જ આચાર્યપદની ઉચ્ચતા, એનાં ગૌરવ અને ઉત્તરદાયિત્વનો ખ્યાલ આવી જાય છે. સંઘનું નેતૃત્વ કરવામાં આચાર્ય સ્વ-પર-સમયના જાણકાર હોય, એમની પ્રતિભા સર્વતોમુખી હોય, વિશાળ ચિંતન અને અનુભવજ્ઞાનવાળા હોય, દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવનો વિચાર કરી દીર્ઘદ્રષ્ટિથી સંઘને જ નહીં, પણ સમાજ અને રાષ્ટ્રને પણ પ્રેરણા આપવાવાળા અને યુગાનુરૂપ નિર્માણનાં કાર્યો કરવા-કરાવવા માટે પ્રયત્નશીલ હોય. પણ વર્તમાનમાં તો આચાર્યવૃંદ સ્વસમુદાયમાં શિષ્યવૃદ્ધિ તથા પદોની વૃદ્ધિ યેનકેન પ્રકારે થાય તે માટે, તથા જેના વડે વર્ષોથી સંઘ છિન્નભિન્ન થતો આવ્યો છે, તેવા તિથિચર્ચા, દેવદ્રવ્ય આદિ પ્રશ્નો તરફ જ ધ્યાન કેન્દ્રિત કરી રહેલ છે. આચાર્યપદનાં મહત્તા, ગૌરવ અને જવાબદારીનો ગંભીર રીતે વિચાર કરી સંઘ-સંગઠન, સંઘ-ઉન્નતિ અને અહિંસક સમાજરચના જેવાં સંગીન કામો કરવા માટે એમનું જરા પણ ધ્યાન હોય એવું દેખાતું નથી. “રાષ્ટ્રભાષા હિંદીમાં સાહિત્ય-સર્જન, અહિંસા-અપરિગ્રહ-અનેકાંતવાદના માધ્યમથી સામાજિક કુરૂઢિઓનું તથા સાંપ્રદાયિક ક્લેશોનું નિરાકરણ અને રાષ્ટ્રવ્યાપી શાકાહાર તથા નશાબંધી જેવા વ્યાપક પ્રશ્નોમાં સક્રિય રસ લઈને નવયુવક સાધુવર્ગને પ્રેરણા આપવા શું એક પણ આચાર્ય તૈયાર છે ? જ્યારે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ શ્રાવક-સમિતિનું, દેશના બધા પ્રાંતોના પ્રતિનિધિઓને લઈને નિર્માણ કર્યું, ત્યારથી જ એક વાત સિદ્ધ થઈ ગઈ હતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy