SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૧ ૧૦૩ લખાણ અમે ઉદ્ધત કર્યું છે. આ લખાણમાં અત્યારે ધર્મને ધનના ત્રાજવે તોળવામાં આવે છે એની એમણે જે ટીકા કરી છે, તેવું પોતાના હાથે બનવા ન પામે એ માટે તેઓએ પોતાના જન-સુધારણાના કાર્યમાં કેવી દિશા નક્કી કરી છે એનો ઉલ્લેખ પણ પોતાના આ પત્રમાં કર્યો છે, જે જાણવા જેવો છે; તેઓ કહે છે : અંબાલા જિલ્લામાં ધર્મમય સમાજરચનાનો દસ વર્ષથી જે કાર્યક્રમ ચાલી, રહ્યો છે, તેમાં જનસેવકોની સંસ્થાનું નિર્માણ કર્યું છે, અને એના માધ્યમ દ્વારા શરાબબંધી તથા ભ્રષ્ટાચાર-નિવારણ આદિ કાર્યક્રમો ચાલે છે. તેમાં ધનને પ્રધાન સ્થાન નથી, પણ જનસેવકોની નિઃસ્વાર્થ સેવાભાવના, સમયનો ભોગ, સમાજમાં વિશ્વસનીયતા, તથા બીડી-માંસ-દારૂ-આદિનો ત્યાગ, અસાંપ્રદાયિકતા, ગુણગ્રાહકતાના કારણે તેમને સંસ્થામાં લીધા છે. સત્ય, અહિંસા, ત્યાગ, સેવાભાવનાને કેન્દ્રમાં રાખીને પ્રચાર તથા પ્રેરણાના કાર્યક્રમો ચાલે છે. આ સંસ્થા પાસે પૈસાનું ભંડોળ નથી. કોઈ પણ વ્યક્તિ કેવળ પૈસાના જોરે આ સંસ્થાના પ્રધાન કે મંત્રી નથી બની શકતી; નિર્બસનતા, સેવાભાવના, પ્રામાણિકતા, કર્તવ્યનિષ્ઠાના કારણે તે જરૂર બની શકે. જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે નાના-મોટાના ઐચ્છિક સહયોગથી કામ ચલાવી લેવાય છે. જ્યારે મોટી રકમની જરૂર પડે ત્યારે નામ કે કીર્તિની ઇચ્છા રાખ્યા વગર, સમાજરચનાનાં કામોથી પ્રભાવિત થઈને સહયોગ આપવાવાળા મળી જાય છે. કોઈ વખત કઠિનાઈ આવી જાય તો આદર્શને કાયમ રાખવા માટે નભાવી લેવું પડે છે... આજે ય સાધુ-સંતોનો પ્રભાવ જનમાનસ ઉપર સારો છે. જો ત્યાગીવર્ગ જનતામાં નિર્માણનું કાર્ય કરે, તો સત્તાધીશો સ્વયમેવ માર્ગદર્શન લેવા જરૂર આવે. પણ અત્યારે તો સંગીન કામો તરફ સાધુ-સંતોનું ધ્યાન બહુ ઓછું છે. એટલે ડગલે ને પગલે રાજનેતાઓને બોલાવી સસ્તી નામના ને કીર્તિ પ્રાપ્ત કરી લે છે. શહેરો અને શ્રીમંતોનો મોહ છોડી, ગામડાંઓ તરફ ધ્યાન કરી, કષ્ટસહિષ્ણુ બની, નિમણનાં કામો સાધુ-સંતો હાથમાં નહીં લે, ત્યાં સુધી સંઘ-ઉન્નતિ, ગ્રામોત્થાન અને સમાજસુધાર નહીં થાય અને રાજ્યનેતા ઉપર પણ પોતાનો સ્થાયી પ્રભાવ નહીં પાડી શકે એ નિશ્ચિત છે.” અત્યારે ગમે તે ઉપાયે પૈસો મેળવવાની અર્થપરાયણતા અને ગમે તેમ કરીને નામના કીર્તિ મેળવવાની આકાંક્ષા જે રીતે માઝા મૂકતી જાય છે, તે દૃષ્ટિએ પૈસાની અને કીર્તિની ઘેલછાથી અળગા રહીને, માનવીને વ્યસનોથી અને દુર્ગુણોથી મુક્ત બનાવીને, એને સાચો માનવી બનાવવાના રચનાત્મક કાર્યમાં લાગી જવાની મુનિરાજ શ્રી જનકવિજયજીની આ વાત બળબળતા રણમાં મીઠી વીરડી અને શીળી છાંયડી જેવી રાહતકારક બની રહે છે. વળી, સાધુ-સંતો દેશના કલ્યાણનું અને જનસમૂહને સંસ્કારી બનાવવાનું જેટલું કાર્ય કરી શકે, એટલું બીજા ન કરી શકે એ વાત પણ એટલી જ સાચી છે; પણ એ માટે અંતરમાં ઝંખના જાગવી જોઈએ. પણ અત્યારની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy