SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ જિનમાર્ગનું અનુશીલન (૧૦) સિદ્ધપુત્ર' નામે ધર્મોપદેશક પ્રચારક વર્ગની જરૂર - 'અમારા આજના અંકના અગ્રલેખમાં આપવામાં આવેલ શ્રી કાકાસાહેબ કાલેલકરના વિચારો ઉપરથી જોઈ શકાશે કે તેઓએ ઉચ્ચ કોટીનો સંયમ પાળતા સાધુ-મુનિરાજો ઉપરાંત ચારિત્રની દષ્ટિએ મધ્યમ કક્ષાના કહી શકાય એવા મુનિઓ કે વિદ્વાન ધર્મપ્રચારકોનો એક એવો વર્ગ જૈનસંઘે તૈયાર કરવાની હિમાયત કરી છે, જે દેશ-વિદેશમાં જૈનધર્મના – ખાસ કરીને અહિંસાધર્મના – પ્રચાર માટે સહેલાઈથી જઈ શકે. આ બાબતમાં સૌથી પહેલું ધ્યાન આપણું જૈન પતિસમુદાય તરફ જાય છે. તિવર્ગની આચાર-પ્રણાલિકામાં એવી છૂટ હતી, કે જેથી તેઓ વૈદ્યક, જ્યોતિષ, મંત્રતંત્ર તથા શિક્ષણ દ્વારા કેવળ જૈનસંઘની જ નહીં, પણ સામાન્ય લોકસમૂહની પણ ઉપયોગી સેવા બજાવી શકતા. જરૂર પડતાં વાહનનો ઉપયોગ કરીને જુદાંજુદાં સ્થાનોમાં જઈ શકતા અને જનસમૂહનાં સુખ-દુઃખના સાથી બની શકતા હતા. તેઓએ આપણાં તીર્થો, જિનમંદિરો અને જ્ઞાનભંડારોના રક્ષણ માટે, સમયે-સમયે, જે સાહસભરી કામગીરી બજાવી હતી અને જૈન શાસનની રક્ષા અને પ્રભાવના માટે જે જહેમત ઉઠાવી હતી, એની એક ગૌરવભરી કથા બની રહે એમ છે. જો આ વર્ગ આજે સારા પ્રમાણમાં મોજૂદ હોત, તો સમયની માગણી મુજબ કેટલીક વિશેષ તૈયારી કરીને, એ દેશ-વિદેશમાં અહિંસાધર્મના પ્રચાર માટે જરૂર ઉપયોગી કામગીરી બજાવી શકત. સ્વ. યતિશ્રી હેમચંદ્રજીની આવી કામગીરીનો દાખલો આપણી સામે છે જ. કંઈક આ વર્ગની પોતાની આંતરિક ખામીને લીધે અને વિશેષે કરીને આચારશુદ્ધિ અંગેના આપણા શ્રમણસમુદાયના વધારે પડતા ઉત્સાહ અને આગ્રહને કારણે તથા કોઈ પણ પગલાનું ભાવિ પરિણામ સમજવાની તેમની દૂરંદેશીના અભાવને લઈને, અત્યારે યતિસમુદાયનાં સંખ્યાબળ અને પ્રભાવમાં ઘણી ઓટ આવી ગઈ છે; એટલે હવે દેશ-વિદેશમાં અહિંસાધર્મના પ્રચાર માટે આપણે એમનો વિચાર કરી શકીએ એમ નથી. તેથી આ બાબતમાં કંઈક બીજી જ યોજના વિચારવાની રહે છે. આપણા સાધુચરિત, આત્મસાધક, મહાનુભાવ મદ્રાસનિવાસી (અને હવે મદ્રાસની નજીક શ્રી પુડલ તીર્થમાં જઈને વસેલા) શ્રી ઋષભદાસ સ્વામીનું નામ આપણે ત્યાં ખૂબ જાણીતું છે. તેઓએ સંસારનો ત્યાગ કરીને વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરી નહીં હોવા છતાં, તેઓનું જીવન એક ત્યાગી-વૈરાગી-સંયમી આત્મસાધક સંતના જેવું જ પવિત્ર અને ઉચ્ચાશયી છે. ચારેક મહિના પહેલાં તેઓએ પોતાની જાતને સિદ્ધપુત્ર' તરીકે જાહેર કરીને એક નિવેદન પ્રગટ કર્યું હતું, જેમાં તેઓએ વિદેશમાં ધર્મના પ્રચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy