SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૦ ૧૦૧ માટે “સિદ્ધપુત્ર’ જેવો એક ધર્મપ્રચારક વર્ગ ઊભો કરવાની જરૂર તરફ આપણા સંઘનું ધ્યાન દોર્યું છે. એમનું આ નિવેદન આગરાથી પ્રગટ થતા “શ્વેતામ્બર જૈન સાપ્તાહિકના તા. ૮-૨-૧૯૭૩ના અંકમાં પ્રગટ થયું છે. એમાંથી સિદ્ધપુત્રનો ઉલ્લેખ કરતો ભાગ અહીં સાભાર રજૂ કરીએ છીએ : મારી પરિસ્થિતિ ઉપરથી) એકાએક મને વિચાર આવ્યો કે આ સ્થિતિમાં આ જીવનને સિદ્ધપુત્રના રૂપમાં ફેરવી નાખવું જોઈએ, કારણ કે સિદ્ધપુત્ર જેવા વર્ગની ખૂબ જરૂર છે. આની ચર્ચા ઘણા દિવસ થઈ હતી અને સારા-સારા મુનિ-મહાત્માઓએ એના પહેરવેશ, એની દિનચર્યા વગેરેની બાબતમાં લેખો પણ લખ્યા હતા. પરંતુ કોઈએ એનું પુનર્નિમાણ કરવાનો પ્રયત્ન ન કર્યો. આજે નહીં તો કાલે, સમાજે સિદ્ધપુત્ર જેવો વચલો વર્ગ તૈયાર કરવો જ પડશે; કારણ કે આફ્રિકા, રશિયા, અમેરિકા, યુરોપ, જાપાન વગેરે દેશોમાં પણ હજારો માણસો, પોતાના જીવનનિર્વાહ માટે, ત્યાં જઈને વસી ગયા છે અને ધર્મને ભૂલતા જાય છે. પહેલાંના સિદ્ધપુત્રો તો દેશ-વિદેશમાં જઈને નવા જૈન બનાવતા હતા. એમ કરવું તો દૂર રહ્યું, આપણા જૈન ભાઈઓ પણ હાથથી બહાર ખોવાતા જાય છે. જો સિદ્ધપુત્રો ન થયા હોત તો ઇજિપ્ત, ઓસ્ટ્રિયા, હંગેરી, અલાસ્કા, આર્જેન્ટિના, મોંગોલિયા વગેરે દેશોમાં જૈન મૂર્તિઓ નીકળવા ન પામત. આથી એ પુરવાર થાય છે કે પહેલાંથી જ આવો એક પ્રચારક વર્ગ હતો... એટલા માટે આપણે એક એવો વર્ગ તૈયાર કરવાની જરૂર છે કે જેને જીવનનિર્વાહનો સવાલ પજવતો ન હોય, તેઓ જૈનધર્મની મહત્તાનો ઠીકઠીક અભ્યાસ કરીને બીજાઓને એનું અધ્યાપન કરાવવાની લાયકાત મેળવેદેશ-વિદેશમાં જૈનધર્મની પ્રભાવના કરવા માટે સિદ્ધપુત્રો તૈયાર કરી શકે એવું એક ટ્રેનિંગ-સેન્ટર બનાવવું પડશે, જે શાસનને સમર્પિત થનાર મોક્ષાભિલાષી આત્માઓને રાખીને, એમને શાસ્ત્રોનો અભ્યાસ કરાવીને તેમ જ અત્યારની ભાષાઓમાં નિપુણ બનાવીને દેશ-વિદેશમાં મોકલશે. એમના જીવનનિર્વાહની જવાબદારી શ્રીસંઘ ઉપર રહેશે. “આ ખૂબ મહત્ત્વનું અને સમયને અનુરૂપ કાર્ય છે. અને જ્યારે મારી છેલ્લી માંદગી વખતે મદ્રાસના શ્રીસંઘે મને એક લાખ રૂપિયાની થેલી અર્પણ કરવાનો (તા. ૨૩-૧૯૭૨ના રોજ) નિર્ણય કર્યો હતો, અને તે છાપામાં જાહેર થઈ ચૂક્યો હતો, ત્યારે પણ મેં એને મારી આત્મસાધનામાં હરકતરૂપ માનીને એનો અસ્વીકાર કરીને સંઘને સલાહ આપી હતી કે આપ જે રકમ મને આપવા ઇચ્છો છો, તેનાથી પણ વધારે ખર્ચ કરીને આ પુણ્ય, પવિત્ર (પુડલ) તીર્થક્ષેત્રને આરાધના, પ્રભાવના અને સાંસ્કૃતિક ઉત્થાનનું કેન્દ્ર બનાવી દેશો તો મને એથી ખૂબ આનંદ થશે. સંઘ હજી સુધી તો આ માટેની યોજના કરવાની ભાવના ધરાવે છે. હવે અહીં શ્રી પુડલ તીર્થમાં જ, હું સિદ્ધપુત્ર-કેન્દ્રનો પ્રથમ મુમુક્ષુ બનું એ જરૂરી છે. તેથી મેં... પોતાની મેળે જ, સિદ્ધપુત્રના વેશનો અને એની દિનચર્યાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy