SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ ૯ (૯) સમાજ અને ગુરુવર્ગ આજના અંકના ત્રીજા-ચોથા પાના ઉપર આપવામાં આવેલાં બે લખાણો તરફ અમે જૈન સમાજનું – ખાસ કરીને આપણા ગુરુવર્ગનું – ધ્યાન દોરીએ છીએ. આ બે લખાણોમાંના પહેલાં લખાણમાં બેસવા બે મહિના પહેલાં, મુંબઈમાં મળેલ વેદાન્તસંમેલને પસાર કરેલ બાર ઠરાવો છે, અને બીજા લખાણમાં વૃંદાવનના સ્વામીશ્રી શરણાનંદજીએ માનવ-સેવા-સંઘ અંગે આપેલ અખબારી વાર્તાલાપનો ટૂંકસાર છે. | વેદાંત-સમેલને જે બાર ઠરાવ પસાર કર્યા છે, તે વાંચતાં સામાજિક કે રાષ્ટ્રીય મનોવૃત્તિ ધરાવતા કોઈને પણ આનંદ થયા વગર નહીં રહે. આ ઠરાવો વાંચતાં એટલું તો જરૂર લાગે છે, કે હિંદુસ્તાનના ધર્મગુરુઓ પણ દેશની દરેક વ્યક્તિની જેમ, સાધુવર્ગ ઉપર પણ દેશની જનતાની સામાજિક અને રાષ્ટ્રીય દષ્ટિએ સેવા કરવાની જવાબદારી રહેલી છે એ વાતનો સ્વીકાર કરે છે. વર્તમાનપત્રોનો ટૂંકો અહેવાલ કહે છે: થોડા દિવસ પહેલાં હૃષીકેશમાં મળેલા ભારત-સાધુસમાજના અધિવેશનમાં એમ જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રના નૈતિક અને ભૌતિક ઉત્કર્ષ માટે જનતાની શક્તિને વધુ વેગ આપવાના કાર્યમાં સાધુઓ થોડો-ઘણો, પણ વધુ અસરકારક ફળો આપી શકે છે. જાત્રાનાં સ્થળો તેમ જ અન્ય પવિત્ર સ્થળોનાં સ્વચ્છતા અને આરોગ્ય, સદ્ગણો તેમ જ સામાજિક ધોરણને ઊંચે લાવીને ખરાબ ટેવો અને અન્ય બદીઓનો નાશ કરવા માટે ભારતભરના સાધુઓને આ અધિવેશનમાં અપીલ કરવામાં આવી હતી. આ અધિવેશનમાં સાધુ-સમાજે ઘડી કાઢેલા ૧૧ મુદ્દાના એક કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી હતી, તેમ જ ભારત-સેવક-સમાજને સહકાર આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુદ્દાઓ નીચે મુજબ છેઃ (૧) અક્ષરજ્ઞાન અને સામાજિક શિક્ષણનો પ્રચાર કરવો, (૨) લોકોને આધ્યાત્મિક કેળવણી મળે તે હેતુથી સમ્પ્રાર્થનાઓ, સાંસ્કૃતિક સંમેલનો અને ભજનો યોજવાં, (૩) નિસર્ગોપચાર, આયુર્વેદિક અને યૌગિક કસરતો દ્વારા રોગ અટકાવવાનાં પગલાં લેવાં, (૪) સાધુઓને માટે તાલીમ-છાવણીઓ ખોલવી, (૫) ભૂદાન, સંપત્તિદાન અને શ્રમદાનની ચળવળને આગળ બઢાવવી, (૬) લાંચ-રૂશ્વત અટકાવવી, (૭) ભેળસેળ થતી અટકાવવી, (૮) દારૂ નિષેધને ટેકો આપવો, (૯) દૂધાળાં ઢોર અને ગ્રામોદ્યોગની ઉન્નતિ માટે સહાય કરવી, (૧૦) પછાત વર્ગના ઉત્કર્ષ માટે પ્રયાસો કરવા, (૧૧) દેશના સાધુઓમાં પણ જે-જે દુર્ગુણો હોય તેનો નાશ કરવો.” સ્વામી શરણાનંદજીના અખબારી વાર્તાલાપનો ટૂંકસાર પણ દેશના સાધુસંતોમાં વિકસવા લાગેલી વિશિષ્ટ અને વિશાળ દૃષ્ટિનું સૂચન કરે છે. માનવતાના સર્વોચ્ચ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy