SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ જિનમાર્ગનું અનુશીલન દોડાદોડ કરીએ તો એનું પરિણામ મોટે ભાગે “સબ સાધે સબ જાય' જેવું નુકસાનકારક આવે અને મનમાં અહંકાર જાગે એ વધારામાં. (તા. ૨૯-૫-૧૯૭૧) (૮) લોકસંપર્કઃ જાજરમાન જૈન-સાધુચર્યાનું અમૃતા આપણા ધર્મગુરુઓ આપણા જીવનશુદ્ધિના ઉપદેશકો જ નહીં, પણ એના રખેવાળ તેમ જ નિયામકો પણ છે. સાધુજીવનનાં બે પાસાં તે પોતાના જીવનની શુદ્ધિ અને, એ શુદ્ધિના પ્રભાવે, સમાજજીવનની શુદ્ધિ, આ દ્વિવિધ શુદ્ધિના સાધકો તે સાધુ. આમ સમાજશુદ્ધિની સાધનાની દૃષ્ટિએ, ધર્મગુરુઓને માટે લોકસંપર્ક અનિવાર્ય બની જાય છે. લોકસંપર્ક વગર ધર્મનો કે જીવનશુદ્ધિનો ઉપદેશ આપવા જતાં એમાં વ્યવહારપણાને બદલે ઉપરછલ્લી આદર્શપરાયણતા કે વાણીશૂરતા આવી જવાનો ઘણો સંભવ રહેલો છે. લોકજીવનની ખૂબીઓ કે ખામીઓ ખ્યાલમાં હોય તો પછી એના વિકાસનો માર્ગ શોધતાં કે સમજાવતાં ઝાઝી મહેનત ન પડે. આ લોકસંપર્કની દૃષ્ટિએ જૈન મુનિવરોની જીવનચર્યાનું આ અદકું અંગે ઉપયોગી થઈ શકે એવું છે – એક જ સ્થળે મમત્વ બાંધીને લાંબા સમય સુધી સ્થિર ન રહેતાં હંમેશાં પ્રામાનુગ્રામ વિચરણ કરવું, અને તે પણ કોઈ પણ જાતના વાહનનો ઉપયોગ ન કરતાં પગપાળા જ, જૈન સાધુજીવનનો એ આચાર જેમ અનાસક્તિ, અહિંસા અને અકિંચનપણાની કેળવણીની દૃષ્ટિએ મહત્ત્વનો છે, તેમ લોકજીવનનું સાચું નિરીક્ષણ કરવાની દૃષ્ટિએ પણ ભારે મહત્ત્વનો છે. વળી આજે તો આમજનતાનું દિલ પંથ કે વાડાની દીવાલો વટાવીને, ગમે તે ચારિત્રશીલ અને ઉદારચિત્ત વક્તાની વાણી સાંભળવા ઉત્સુક બન્યું છે એ પણ એક ભારે ઉમદા સંયોગ છે. આપણા ધર્મગુરુઓની વર્ષા-ચાતુર્માસના સ્થિરવાસની અવધિ પૂરી થઈ ગઈ છે. જેઓ મૌન-એકાદશી લગી આ અવધિને લંબાવે છે તેઓની એ અવધિ પણ પૂરી થઈ ગઈ છે. તેથી અમે અતિ વિનમ્રપણે વિનવીએ છીએ, કે આપણી ગામડાની કરોડોની જનતાનો ગાઢ સંપર્ક સાધી આપ એમનાં સુખ-દુ:ખ સમજવા પ્રયત્ન કરશો તો ધર્મની અને દેશની એક ભારે સેવા બજાવી ગણાશે. (તા. ૨-૧-૧૯૫૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy