SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૭ ૯૫ હતું... માટે જ્યાં સુધી આપણે ખાતા રહીએ છીએ ત્યાં સુધી એના બદલામાં લોકોને કંઈ ને કંઈ આપવું જોઈએ. તેમ છતાં વ્યક્તિગત અભ્યાસ, નિરીક્ષણ વગેરે માટે રોજ એક કલાક કાઢતા રહો એટલું પૂરતું છે. ... મોટે ભાગે જે લોકો સાથે રહે છે, તેમને ઓછું બને છે; એકમેકના દોષ દેખાઈ જાય છે. માટે માણસે બીજાથી દૂર રહેવાનો અનુભવ લેવો જોઈએ. નજીક જઈશું, તો તે સેવા કરવા. સેવા સારુ નજીક, આદર સારુ દૂર ને જ્ઞાન સારુ અંદર; દિલની અંદર પેસશો ત્યારે જ્ઞાન મળશે. ડૉક્ટર સેવા કરવા આવશે તે દર્દીને ગાળો નહીં ભાડે. ભલે દર્દીએ કંઈક ખોટું કામ કર્યું હોય અને એથી બીમારી આવી હશે, પણ ડોક્ટર આદરપૂર્વક સેવા કરશે.. આ રીતે સેવા કરતા રહીશું તો બધી નિષ્કામ સેવા સાધના જ બની જાય છે. સાધના અને નિષ્કામ સેવા વચ્ચે વિરોધ નથી.” આ રીતે સાધના અને સેવા વચ્ચે વિરોધ ન હોવાનું જણાવ્યા પછી, કોઈ પણ સેવા પ્રવૃત્તિમાં સફળ થવા માટે એકાગ્રતાપૂર્વક કામ કરવાની કેટલી જરૂર છે એ વાત. સમજાવતાં શ્રી વિનોબાજીએ આમ જે કહ્યું છે, તે પહેલા પ્રશ્નોત્તરની પૂર્તિરૂપ જ છે : પ્રશ્નઃ જીવનના દરેક ક્ષેત્રમાં આનંદ ને રુચિ છે – ચાહે વિજ્ઞાન કે મૅડિકલનું અધ્યયન હોય, સાહિત્ય-સંગીત હોય, સર્વોદયકાર્ય હોય કે અધ્યાત્મ-સાધના હોય. જે કાંઈ કામ શરૂ કરું છું, તો વિશાળ ક્ષેત્ર નજર સામે આવે છે. દરેક ક્ષેત્રમાં કામ કરવાની ઈચ્છા થાય છે, પણ એથી શક્તિ વિખરાઈ જાય છે: સાતત્ય અને એકાગ્રતા જળવાતાં નથી. વિનોબા: આ બાજુનો એક રસ્તો છે, એ સારો છે. સામેનો ય સારો છે, પેલો ત્રીજો ને ચોથો રસ્તો છે એ ય સારા છે; તો હવે શું કરવું? બધા રસ્તે જઈશું તો વળીવળીને કદાચ જ્યાંના ત્યાં પાછાં આવશું. માટે કોઈ એક રસ્તો પકડવો જોઈશે. માટે ભલે બધામાં રુચિ હોય પણ એક કામ પકડવું જોઈએ; બીજા લોકો પણ કામ કરનારા છે એ સમજવું જોઈએ. .. અહીંના આશ્રમવાસીઓને હું એ જ કહું છું કે કોઈ ખેતીમાં પ્રવિણ થાય, તો કોઈ રસોઈમાં; કોઈ સેવા કરે, કોઈ વિદ્વાન બને – બહ્મસૂત્ર, ઉપનિષદોનો ઊંડો અભ્યાસ કરે, કોઈ આજુબાજુના પ્રવાહોનું અધ્યયન કરે. ઘણા વિષયો છે. બધા મળીને પૂરા કરીએ. હું જ બધું પૂરું કરું એ કાંઈ જરૂરી નથી.” શ્રી વિનોબાજીએ સાધના અને સેવા વચ્ચે વિરોધ નહીં, પણ સુમેળ હોવાની જે વાત કહી છે, તે જીવનનિર્વાહ અને જીવન-સાધનાના સહજ મેળનું જ સૂચન કરે છે. એથી જુદી રીતે વર્તવામાં જીવન એકાંગી, નકલી અને ક્યારેક તો દંભી પણ બની જાય. શ્રી વિનોબાજીના બીજા પ્રશ્નોત્તરનો ભાવ એ છે કે પ્રવૃત્તિમાર્ગને અપનાવ્યા પછી પણ એકાદ મુખ્ય કાર્યમાં એકાગ્ર થવાને બદલે મનગમતી બધી પ્રવૃત્તિઓમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy