SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ જિનમાર્ગનું અનુશીલન વગર ચાલ્યું હોય એમ ભાગ્યે જ કહી શકાય. અલબત્ત, આપણે કોઈ એવા અંતર્મુખ કે આત્મનિષ્ઠ સાધકની પણ હસ્તી માની શકીએ કે જે લોકસેવાથી સાવ વિમુખ રહી, જનસમાજથી દૂર-સુદૂર સાવ નિર્જન સ્થાનમાં, કેવળ આત્મસાધનામાં જ નિમગ્ન હોય અને જેને પોતાના જીવનની જરૂરિયાતની કશી જ ખેવના ન હોય. પણ આવી વ્યક્તિ તો વિરલમાં વિરલ અને અપવાદરૂપ જ હોવાની. મોટા ભાગના આત્મસાધકોની સંયમયાત્રા તો સંઘ કે સમાજના શ્રદ્ધા-ભક્તિભર્યા સહકાર ઉપર જ આગળ વધી શકે છે. તો પછી, જેમની સેવા-ભક્તિથી પોતાની સાધના શક્ય બનતી હોય, તેમની તથા સંસારના અન્ય દીન-દુઃખી જીવોની સેવા કરવારૂપ પ્રવૃત્તિમાર્ગને આવકારવામાં ખોટું શું છે ? જે સાધક પોતાની સાધનામાં તટસ્થતા, નિર્મમત્વ અને સમભાવ કેળવીને નિવૃત્તિમાર્ગ અને પ્રવૃત્તિમાર્ગની સમતુલા જાળવવાની કળા પ્રાપ્ત કરી જાણે છે, એને આવો કોઈ ભય સેવવાની જરૂર નથી. આમાં મુખ્ય વાત છે આવી સમતુલા જાળવતાં શીખવું એ; એ મુશ્કેલ જરૂર છે, પણ અશક્ય નથી. નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ બંને જીવનસાધનાના રથનાં સમાન મહત્ત્વનાં બે ચક્રો જ છે, અને એકને આવકાર અને બીજાને જાકારો આપવા જતાં સાધના પોતે જ પાંગળી બની ગયા વગર નથી રહેતી. આમાં મુખ્ય વાત સાધકની દૃષ્ટિ અને આવડતની જ છે. આપણા આદર્શ રાષ્ટ્રપુરુષ સંત શ્રી વિનોબા ભાવેએ પવનારમાં તા. પ-૧૧૧૯૭૦ના રોજ શ્રી અભય બંગના કેટલાક પ્રશ્નોના ખુલાસા આપ્યા હતા. આ પ્રશ્નોત્તરી તા. ૧૬-૩-૧૯૭૧ના ભૂમિપુત્ર'ના ‘વિનોબાની ચેમ્બર-પ્રેક્ટીસ' નામે વિભાગમાં પ્રગટ થઈ છે. આમાં પહેલો પ્રશ્ન વ્યક્તિગત સાધના અને સામાજિક કાર્ય-નિવૃત્તિને લગતો છે. એનું સમાધાન આપતાં શ્રી વિનોબાજીએ જે ખુલાસો કર્યો તે આ બાબતમાં માર્ગદર્શક બની શકે એમ છે; એ પ્રશ્નના ઉત્તરમાં તેઓએ કહ્યું – પ્રશ્નઃ વ્યક્તિગત સાધના અને સામાજિક કાર્ય એ બેમાં વિરોધ અને દ્વૈતનો ભાસ થાય છે. એ વાસ્તવિક હશે કે ભાસ હશે ? જો એમાં સ્વૈત હોય તો કયા માર્ગે જવું યોગ્ય ગણાય ? વિનોબા: આ ભાસ જ છે. માણસ કાંઈ આકાશમાંથી પડીને વિકાસ પામેલું પ્રાણી નથી; સમાજમાં જ એનું પાલનપોષણ થયેલું છે, એના પર સમાજના અસંખ્ય ઉપકાર થયેલા છે. માતાપિતા, શિક્ષક, આસપાસના લોકો, ખેડૂતો એ સહુના એના પર ઉપકાર છે. બાબા પદયાત્રા કરતો હતો, ત્યારે એ કેટલો મોટો સેવક છે એમ કહેવાતું હતું. પણ હકીકતમાં તો લોકો જ એની કેટલી બધી સેવા કરતા હતા ! ગામનું ઉત્તમમાં ઉત્તમ મકાન, દૂધ, કેટકેટલી સગવડ લોકો કરતા હતા. જેટલી સેવા બાબા લેતો હતો એનાથી ઓછી સેવા કરતો હતો. એકંદરે જોતાં શૂન્ય (ઝીરો) થઈ જતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy