SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૭ આત્મસાધના એટલે આત્માની પૂર્ણ શુદ્ધિ, એટલે કે વિશ્વના બધા ય જીવો સાથે મૈત્રી અને અવૈરની પ્રતિષ્ઠા, અર્થાત્ આત્મામાં અહિંસાભાવનું પ્રકટન. - જ્યારે સેવાનું પ્રેરક તત્ત્વ છે કરુણા. બીજાનાં દુઃખનિવારણ, સુખ કે ભલા માટે પોતાનાં તન-મન-ધનનો કર્તવ્યબુદ્ધિથી, સહર્ષ વ્યય એનું નામ કરુણા. કરુણાપરાયણ વ્યક્તિ અન્યનું સંકટ જોઈને ગદ્દગદ બની જાય; એટલું જ નહીં, એ સંકટના નિવારણનો પ્રબળ પુરુષાર્થ કર્યા વગર એનાથી રહી શકાય જ નહીં. આત્મસાધનાના ધ્યેયરૂપ અહિંસાનો અર્થ છે કોઈ પણ જીવના કેવળ સંહારના જ નહીં, પણ એના સંકટના પણ લેશ પણ નિમિત્ત ન બની જવાય એવી આત્મજાગૃતિ, અને કરુણાનો અર્થ છે કોઈ પણ દુઃખી જીવના દુઃખનિવારણ માટે પોતાના સર્વસ્વના ભોગે પણ ઉલ્લાસપૂર્વક પુરુષાર્થ કરવો તે. આનો વ્યવહાર અર્થ એ થયો કે અહિંસા કરણાને આવકાર આપીને પરિપૂર્ણ બની શકે છે, અને કરુણા અહિંસાનું સ્વાગત કરીને સંપૂર્ણ બની શકે છે. છેવટે અહિંસા અને કરણા એ જીવનસાધનારૂપ એક જ સિક્કાની બે બાજુ બની રહે છે; અને એને એકબીજીથી સાવ જુદી પાડવાનું શક્ય નથી. વસ્તુસ્થિતિ આવી હોવા છતાં, આપણે ત્યાં નિવૃત્તિમાર્ગ અને પ્રવૃત્તિમાર્ગના સારાસારપણાની ચર્ચા ઘણા જૂના વખતથી ચાલી આવે છે, અને તે પણ સૂક્ષ્મકોટિની અહિંસાને કેન્દ્રમાં રાખીને. સૂક્ષ્મ અહિંસાના સાધકો તથા એવી અહિંસાના આચરણનું સમર્થન કરતાં મોટા ભાગનાં ધર્મશાસ્ત્રોએ નિવૃત્તિપરાયણ જીવન જીવવાની પ્રબળ હિમાયત કરીને સાધકને પ્રવૃત્તિમાર્ગથી સર્વથી દૂર રહેવાનો આદેશ આપ્યો છે. પરિણામે, પ્રવૃત્તિમાર્ગ, કે જે પણ ખરી રીતે જીવોની એક યા બીજારૂપે સેવા કરવાનો જ સ્વ-પરકલ્યાણકારી માર્ગ છે, તેની એટલી હદે ઉપેક્ષા (અને ક્યારેક તો નિંદા પણ) થવા લાગી, કે જેથી એ આત્મસાધનામાં બાધારૂપ લેખાવા લાગ્યો. આમ નિવૃત્તિમાર્ગ અને પ્રવૃત્તિમાર્ગ જાણે એકબીજાના વિરોધી હોય એ રીતે જ એની પ્રરૂપણા થવા લાગી; અને, નિવૃત્તિમાર્ગ અને પ્રવૃત્તિમાર્ગ વચ્ચે નિર્મોહવૃત્તિ કે અનાસક્તિના રસાયણથી સમન્વય સાધવાની કળાનું નામ જ સાચી જીવનસ્પર્શી સર્વસ્પર્શી સાધના – એ પાયાની વાત જ વીસરાઈ ગઈ. એટલે જે આત્મસાધક જનસેવાને પણ પોતાની સાધનાના અંગરૂપે સ્વીકારીને એ માટે પ્રવૃત્તિ કરવાની દીર્ઘદૃષ્ટિ દાખવે છે, એમની ટીકા કરતાં પણ આપણે અચકાતા નથી ! આનો અંજામ એ આવ્યો કે સાધકનાં જીવન અને સાધના બંને એકાંગી બની ગયાં, અને પ્રત્યક્ષ લોકસેવાનો માર્ગ હીન લેખાવા લાગ્યો. અને છતાં કોઈ પણ સાધકને પોતાની સાધનામાં અને પોતાના જીવનયાપનમાં જનસમાજની શ્રદ્ધા, સેવા, ભક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy