SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન આ પ્રમાણે દુનિયાનું ભલું થાય એવી પ્રેરણા આપવાનું કર્તવ્ય સાધુજીવન સાથે સંકળાયેલું હોવાનું જણાવીને આ મુદ્દાને વિશેષ સ્પષ્ટ કરતાં આચાર્યશ્રી કહે છે “સાધુવર્ગની આત્મસાધના સુંદર રીતે અને નિર્વિઘ્નપણે થતી રહે એટલા માટે પણ સંસારને સારો બનાવવાની જરૂર છે. જો સંસાર ગંો-મેલો હોય, સંસારમાં બદમાસ, ચોર, લૂંટારા, દુરાચારી વગેરે લોકોનું પ્રમાણ વધી જાય, તો સાધુ-વર્ગની સાધનામાં પણ વિક્ષેપ પડે. માની લ્યો કે એક સાધુ ઉપાશ્રયમાં પોતાની સાધનામાં બેઠા છે. એટલામાં પાડોશમાં એકાએક આગ લાગી ગઈ, અથવા તોફાન ફાટી નીકળ્યું, અથવા તો શોરબકોર થઈ ગયો. તો એવે વખતે શું સાધુ પોતાની સાધના શાંતિથી અને નિર્વિઘ્નપણે કરી શકશે ? નહીં કરી શકે. એટલા માટે જ કહું છું કે સાધુવર્ગે પોતાની સાધના નિર્વિઘ્નપણે થઈ શકે એ માટે, સારા સાધુઓનો વધારો થાય એટલા માટે, સંસારના જીવો પ્રત્યે કરુણાભાવનાને સક્રિય બનાવવા માટે, તેમ જ પોતાના ઉપકારીઓ તથા સહાયકોના ઉપકારનો બદલો ચુકવવા માટે, પોતાના આત્માના ઉદ્ધારની સાથેસાથે સમાજના ઉદ્ધારને માટે પણ પ્રયત્ન કરવો બહુ જરૂરી છે.” આ પછી સમાજના ઉદ્ધાર માટેની પ્રવૃત્તિથી સાધુસમુદાયને થનાર લાભની વાતનો વધારે ભારપૂર્વક નિર્દેશ કરતાં આચાર્ય મહારાજ સમજાવે છે ૯૨ “સમાજના ઉદ્ધાર તરફ ધ્યાન આપવાથી સાધુ પોતાની આત્મસાધનાની વાત ભૂલી જશે એમ કહેવું એ પણ ભ્રમ છે; ઊલટું કહેવું એમ જોઈએ, કે સમાજના ઉદ્ધાર તરફ ધ્યાન આપવાથી સાધુની આત્મિક સાધના ખીલી ઊઠશે, એમાં જાગૃતિ આવશે અને ક્રોધ, માન, લોભ, રાગ, દ્વેષ, સ્વાર્થ, કામ, મોહ વગેરે વિકારો કેટલા ઓછા થયા છે અથવા એને ઓછા કરવાનો પ્રયત્ન ચાલુ છે કે નહીં, એની પરીક્ષા પણ થતી રહેશે. અર્થાત્ સમાજનો ઉદ્ધાર થવાથી એની આત્મસાધના ખીલી જ ઊઠશે. એમાં નુકસાન નહીં પણ ફાયદો જ થશે; કારણ કે સમાજનું હિત કરનારાં સાધુનાં કેટલાંય કાર્યો પણ એની આત્મસાધનાના અંગરૂપ હોય છે. સાધુવર્ગ જે કંઈ ધર્મોપદેશ આપે છે, ધર્મની પ્રેરણા કરે છે, એ બધું સમાજના આત્માઓને સુધારવા માટે અને એમને ધર્મને માર્ગે દોરવા માટે જ હોય છે. એટલા માટે, જે વાતોથી દુનિયાનું કલ્યાણ થતું હોય, સંસારના જીવોને શાંતિ મળતી હોય, એ વાતોનું આચરણ કરવા-કરાવવાનો અને ઉપદેશ કે પ્રચાર કરવાનો પુરુષાર્થ સાધુવર્ગે કરવો જ જોઈએ... આ બધી રીતે વિચારતાં આત્માના ઉદ્ધારની સાથે સમાજના ઉદ્ધાર માટે પ્રયત્ન કરવો એ સાધુઓને માટે અનુચિત છે જ નહીં.” આચાર્ય-મહારાજે સમાજ-ઉત્કર્ષ માટે સાધુઓ પ્રેરણા આપે અને પ્રયત્ન કરે તે વાત કેટલી સ્પષ્ટતાથી સમજાવી છે ! - (૧-૫-૧૯૭૬) આ રીતે જોઈએ તો આત્મસાધના અને સેવા એ એક જ સિક્કાની બે બાજુઓ છે. આ કેવી રીતે તે વિગતે વિચારીએ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy