SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૭. સહધર્મી ભાઈ-બહેનોની સંભાળ લેવામાં આપણો ગુરુવર્ગ ઘણી ઉપેક્ષા સેવે છે; અને છતાં સાધર્મિક-વાત્સલ્યનાં ગુણગાન સંભળાવતાં તેઓ થાકતા નથી ! પણ “શ્રાવક-વર્ગના ઉત્કર્ષની ચિંતા સેવવાથી સાધુ-વર્ગને દોષ લાગી જાય એ માન્યતા કેવળ ભ્રામક છે. આ બાબતમાં સરળ-પરિણામી શાંતસ્વભાવી આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજીએ સાચો માર્ગ દેખાડ્યો છે. પંજાબની શ્રી આત્માનંદ જૈન મહાસભાના માસિક મુખપત્ર “વિજયાનંદના ગત ઓક્ટોબર માસના અંકમાં આ અંગેના આચાર્યશ્રીના વિચારો આમ રજૂ કરવામાં આવ્યા છે : “પ્રશ્નઃ કોઈ એમ કહી શકે છે કે સાધુઓએ તો આત્માના ઉદ્ધારની જ વાત કરવી જોઈએ; એમને સમાજના ઉદ્ધાર સાથે શી નિસ્બત ? સમાજ તો સંસાર છે. સાંસારિક વાતોમાં પડવાથી સાધુ પોતાનું કલ્યાણ વીસરી જશે. ઉ.: સાધુએ પોતાના કલ્યાણની વાતને ભૂલવી ન જોઈએ એ કહેવું અમુક હદ સુધી ઠીક છે. પણ આત્માના ઉદ્ધારનો સંબંધ કેવળ પોતાના આત્મા સાથે જ હોય તો તો આમ કહેવું બરાબર ગણાય; પરંતુ જૈનધર્મની દૃષ્ટિએ તો સમસ્ત (છકાયના) જીવો સાથે આત્માના ઉદ્ધારનો સંબંધ દાખવવામાં આવ્યો છે. ભગવાન મહાવીરની અનુભવપૂર્ણ વાણી કહે છે કે જે ધર્મનું આચરણ કરીને પોતાના આત્માનું શ્રેય સાધવા ઇચ્છતો હોય, એને માટે પાંચ સ્થાનોનો આશ્રય (સાથે) લેવો અનિવાર્ય કહેવામાં આવ્યો છે – (૧) છકાયના જીવો, (૨) ગણ (પોતે જે સંઘ કે સમાજમાં રહેતો હોય), (૩) રાજા, (૪) ગૃહસ્થ-સમાજ અને (૫) શરીર. “મતલબ કે સાધુ-જીવનનો નિવહ ગૃહસ્થ-સમાજના અસ્તિત્વ ઉપર આધાર રાખે છે, અને સમાજમાં જેટલા પ્રમાણમાં વધુ ઉજ્વળતા અને ધાર્મિકતા હશે તેટલા પ્રમાણમાં સાધુજીવન ઉજ્જવળ બનશે; કારણ કે સાધુપણાનો સ્વીકાર કરનાર વ્યક્તિઓ સમાજમાંથી જ ઊભી થતી હોય છે. તેથી જ સાધુઓ કેવળ એકાંતપણે વ્યક્તિગત સાધના કરવામાં જ પોતાની સાધનાની ચરિતાર્થતા નથી માનતા, અને સમાજનું કલ્યાણ થાય એ માટે ઉપદેશ, પ્રેરણા અને માર્ગદર્શન આપવા તરફ પણ ધ્યાન આપે છે – તે એટલે સુધી કે રાજ્યકર્તા-વર્ગને પણ સુધારવાની અને નીતિધર્મના માર્ગે સ્થિર-દઢ રહેવાની પ્રેરણા સાધુઓ જો અવારનવાર આપતા ન રહે, તો આખા રાષ્ટ્ર અને સમાજના મુખ્ય અંગરૂપ રાજ્ય બગડી જાય છે. દુનિયાનાં બધાં પ્રાણીઓ તરફ સાધુવર્ગ કરુણા અને એમનું રક્ષણ કરવાની દૃષ્ટિ ધરાવે છે એ જાણવાની પારાશીશી એ જ છે કે એ બધાં પ્રાણીઓને બચાવવાની તેમ જ એ પ્રમાણેનું સક્રિય આચરણ કરવાની ભાવના સેવવાની સાથેસાથે માનવ-સમાજને પણ એ દિશામાં કાર્યશીલ થવાની કેટલા પ્રમાણમાં પ્રેરણા આપે છે. પૂ.શ્રી. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં કહ્યું છે કે “જગતના બધા જીવોનું રક્ષણ કરવાની દયાભાવનાથી પ્રેરાઈને જ ભગવાન ઉપદેશ (પ્રવચન આપે છે.' કરુણાભાવનાનું સંસાર પ્રત્યેનું આ દૃષ્ટિબિંદુ કેટલું સુંદર છે !” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy