SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન (૭) સાધના અને સેવા : સાધુજીવનની બે પાંખો માનવદેહધારીને સાચો માનવ બનાવવા માટે કોઈક અનોખી શક્તિના આશ્રયની જરૂર પડે છે. આ શક્તિને ગમે તે નામે ઓળખવામાં આવે, પણ માનવજીવન અને પશજીવન વચ્ચેની ભેદરેખાને અંકિત કરવાનું કામ આ શક્તિ જ કરે છે. ભારતવર્ષે આ શક્તિને ધર્મ તરીકે બિરદાવી છે અને અપનાવી છે. પણ, ધર્મના આવા મહિમા ઉપરથી, રખે કોઈ માની લે કે ધર્મ પોતાની મેળે અને પોતાના બળે જ ટકી રહે છે. અન્ય ભાવનાઓ અને બાબતોની જેમ ખુદ ધર્મને પોતાને પણ ટકી રહેવા માટે, વધવા માટે અને જીવંત કે પ્રભાવશાળી થવા માટે કોઈક શક્તિના આશ્રયની જરૂર રહે જ છે. ધર્મને આશ્રય આપનાર આ શક્તિ એટલે એને અનુસરનાર અનુયાયીવર્ગ. આ અનુયાયી વર્ગની એટલે કે ધર્મસંઘની શક્તિ-અશક્તિ જ છેવટે ધર્મની શક્તિ અથવા અશક્તિ બની જાય છે. અનુયાયીવર્ગ નિર્બળ હોય અને ધર્મ બળશાળી રહે અને પોતાના ખમીરને ટકાવી રાખી શકે એ ન બનવા જેવી વાત છે. ધ ધાર્ષિાર્વિના (ધાર્મિક વ્યક્તિઓના અભાવે ધર્મ ટકતો નથી) એ સૂત્રનો આ જ ભાવ છે. જૈન પરંપરાએ સ્વીકારેલી ચતુર્વિધ સંઘની વ્યવસ્થા તેમ જ સાત ક્ષેત્રની વ્યવસ્થા પણ એમ જ કહે છે કે આ સંઘવ્યવસ્થા તથા સાત ક્ષેત્રની સાચવણીમાં જ આપણા ધર્મ અને સંઘનું હિત રહેલું છે. આ ઉપરથી, સ્વાભાવિક રીતે જ, એમ ફલિત થાય છે કે સંઘના શક્તિશાળી અંગે એના કમજોર અંગની રક્ષા કરવી એ ધર્મકર્તવ્ય છે. એટલે પછી સંઘના નાયકપદે બિરાજતા શ્રમણ સંઘની એ પહેલી અને પવિત્ર ફરજ છે કે સમાજ અથવા શ્રાવકસંઘના યોગક્ષેમની પૂરતી સંભાળ રાખવી. શ્રાવકસંઘ પોતાના ગુરુપદે બિરાજતા શ્રમણ સંઘની પૂરેપૂરી સેવાભક્તિ માટે સદા સજ્જ રહે અને શ્રમણસંઘ કેવળ શ્રાવકસંઘના પરલોકના હિતની જ ચિંતા સેવે, અને એની આ જન્મની મુસીબતોની ઉપેક્ષા કરીને એના ઉત્કર્ષ માટે કશી પ્રેરણા ન આપે, તો એવી વ્યવસ્થા એકાંગી અને અપંગ જ ગણાય, અને એનું માઠું પરિણામ ધર્મ અને સંઘ બંનેને ભોગવવાનો વખત આવ્યા વગર ન રહે. બીજાઓનાં સુખ-દુઃખને પણ પોતાનાં સુખદુઃખ રૂપે જ સમજવાની તત્ત્વદૃષ્ટિ પણ આ વાતનું જ સમર્થન કરે છે. આમ છતાં, કોણ જાણે કેમ, પણ જાણે શ્રાવકસંઘના ઉત્કર્ષ માટે ચિંતા અને પ્રયત્ન કરવાથી શ્રમણસંઘને ધર્મવિરુદ્ધ વર્તાનો દોષ લાગી જતો હોય એવી શોચનીય માન્યતા આપણે ત્યાં એવી ઘર કરી ગઈ છે કે જેથી અનેક મુસીબતોમાં જીવતાં આપણાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy