SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૪, ૫ ૮૫ - ટૂંકમાં, પ્રત્યેક જૈન શ્રમણે પોતાની શક્તિ અને બુદ્ધિનો ઉત્તરોત્તર વિકાસ થતો રહે, એ માટે યથાશક્ય વિદ્યાધ્યયન કરવું જોઈએ. વિદ્યાધ્યયનથી સધાતી એકાગ્રતા માનવીને અનેક દોષોમાં પડતો બચાવી લે છે. વિદ્યારસ એક અપૂર્વ રસ છે. દરેક નવદીક્ષિતને માટે પહેલાં માતૃભાષાની અને રાષ્ટ્રભાષા હિન્દીની)* નિપુણતા, પછી સંસ્કૃત-પ્રાકૃતનો ઊંડો અભ્યાસ અને પછી પોતપોતાની બુદ્ધિ અને રુચિ પ્રમાણે દાર્શનિક, આગમિક, સાહિત્યશાસ્ત્ર કે એવા વિષયોનું મર્મસ્પર્શી અધ્યયન અને સાથોસાથ શક્ય હોય એ પ્રમાણે અંગ્રેજી જેવી વિશ્વભાષાની અને ઐતિહાસિક અને તુલનાત્મક સંશોધન-પદ્ધતિની જાણકારી: અભ્યાસનો આવો કંઈક ક્રમ યોજી શકાય. પણ નવદીક્ષિતોના પદ્ધતિસરના અભ્યાસ માટે શ્રીસંઘ કોઈ વ્યવસ્થિત યોજના તૈયાર કરે તો જ આ કામ સરખી રીતે થઈ શકે. (તા. ૨૬-૯-૧૯૫૯, તા. ૨૧-૩-૧૯૬૪) (૫) સંઘમાં શ્રમણ-સમુદાયના સુગ્રથન અને વિધાવિનયન માટેનું એક ધ્યાનપાત્ર આયોજન સ્થાનકવાસી જૈન સમાજ કાળના પ્રવાહની સાથે પોતાના ધર્મ અને સમાજને ટકાવવા સારી રીતે પ્રયત્નશીલ બન્યો છે એ બીના આનંદ ઉપજાવે એવી છે. આમ થવાનું એક કારણ, અમારા મત પ્રમાણે, એ છે કે એ સમાજમાં શ્રમણ-સમુદાય અને શ્રાવક-સમુદાય વચ્ચે ઠીકઠીક પ્રમાણમાં સુમેળ પ્રવર્તે છે. સમાજના યોગ-ક્ષેમને ધ્યાનમાં રાખીને શ્રાવક-સમુદાય તરફથી કોઈ સૂચના કરવામાં આવે તો તે સમાજહિતકર છે એમ સમજીને શ્રમણ-સમુદાય એનો બને તેટલો આદર કરે છે. એવી જ રીતે સાધુ-સમુદાયનાં સૂચનો અને ઉપદેશોને શ્રાવક-સમુદાય માથે ચઢાવવામાં આનંદ માને છે. આવો સુમેળ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજના સાધુઓ અને શ્રાવકો વચ્ચે નથી એ એક કડવી છતાં સાચી હકીકત છે. સાધુઓમાં એક વર્ગ તો એવો પણ છે કે જેને શ્રાવકોની કોઈ પણ સૂચનાનો આદર કરવામાં ભારે આઘાત લાગે છે. તેઓ તો જ્યારે ને ત્યારે “શ્રમણપ્રધાન જૈનસંઘ'નું સૂત્ર ઉચ્ચારીને સાધુજીવનની સર્વોપરિતા સાબિત કરવા પ્રયત્ન કરે છે. સાધુઓ સંઘના નાયકપદે જરૂર છે; પણ * કૌંસના શબ્દો સંપાદકીય ઉમેરો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy