SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન જ્યાં સુધી માનવી પૂર્ણતાને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે ભૂલને પાત્ર છે જ -- ભલે એ સાધુ હોય કે શ્રાવક. આપણા મુનિવરો આ સાદી સમજની વાતને ભૂલી ગયા છે, અથવા જાણી-બૂઝીને તરછોડી રહ્યા છે તેનાં બહુ માઠાં ફળ સમાજને વેઠવાં પડ્યાં છે. જૈનધર્મરૂપી રથનાં સાધુ અને શ્રાવક એ બે પૈડાં હોય, તો એ બંનેએ સાથેસાથે સરખી રીતે ચાલવું ઘટે; એમ થાય તો જ સમાજનો રથ ધારી દિશામાં જઈ શકે. પણ આજે આપણે ત્યાં એક પૈડું સાવ નાનું અને નબળું થઈ ગયું છે તો બીજું પૈડું પ્રમાણાતીતપણે મોટું અને જાડું થઈ ગયું છે. આ સ્થિતિમાં આ રથ લથડિયાં ખાય તો તેમાં બીજાનો દોષ ન કાઢી શકાય. જ્યારે પણ જેનધર્મનો રથ સ્થિરપણે હાંકવો હશે, ત્યારે આ બંને પૈડાંઓએ એકબીજાની સમાન ઉપયોગિતા સ્વીકારવી પડશે. શાસ્ત્રોએ પણ ઠેરઠેર સંઘની – શ્રાવકસંઘની – આમન્યાનું વિધાન કરેલું છે. પણ આજે તો એ બધું શાસ્ત્રોમાં જ રહી ગયું છે. અહીં ખાસ કહેવાનો મુદ્દો આપણા સાધુસમુદાયના વિદ્યાભ્યાસ અંગેનો છે. સાધુજીવનનું એક અંગ જેમ ચારિત્રનું પાલન છે, તે રીતે તેનું બીજું અંગ અખંડ જ્ઞાન-ઉપાસના છે. સાચા જ્ઞાનમાંથી ચારિત્રની સાચી દૃષ્ટિ લાધે છે; એટલા માટે જ્ઞાન અનિવાર્ય બને છે. શાસ્ત્રકારોએ પણ જ્ઞાન અને ચારિત્ર બંનેના સહકારથી મોક્ષની પ્રાપ્તિ થવાનું સૂચવ્યું છે. એટલે જ્ઞાન-ઉપાસના પ્રત્યે કોઈ પણ રીતે દુર્લક્ષ કરી શકાય નહીં. જ્ઞાન જેટલું ઊંડું અને તલસ્પર્શી, તેટલી ધર્મબુદ્ધિ વધુ પાકટ થતી જાય. વસ્તુસ્થિતિ આવી હોવા છતાં આપણા સાધુસમુદાયમાં વિદ્યાની ઉપાસના જોઈએ તેવી તલસ્પર્શી થતી નથી, પણ અમુક હદ સુધી આગળ વધીને, જાણે અભ્યાસીને થાક ચડ્યો હોય એમ, અટકી જાય છે. આમ થવામાં અનેક કારણો ગણાવી શકાય, પણ અત્યારના સંજોગો જોતાં મુખ્ય કારણ અમને એ લાગે છે કે ઊછરતા નવજુવાન સાધુઓ અમુક એક જગ્યાએ નચિંતપણે અમુક સમય સુધી રહીને એકાગ્રતાપૂર્વક અખંડ રીતે વિવિધ વિદ્યાઓનું અધ્યયન કરી શકે એવી જોગવાઈનો આપણે ત્યાં સાવ અભાવ છે. આ અભાવને કારણે બે મુશ્કેલીઓ ઊભી થાય છે : એક તો જુદાજુદા સમુદાયના સાધુઓના અભ્યાસ માટે જુદાજુદા પંડિતોને રોકવા પડતા હોવાથી અર્થવ્યય પુષ્કળ થાય છે; અને છતાં એનું નક્કર પરિણામ ભાગ્યે જ આવતું દેખાય છે. અને બીજું, આપણા મુનિવરો અનેક વિદ્યાઓમાં વિશારદ બનવા જોઈએ, તેના બદલે બહુ અલ્પ જ્ઞાન મેળવીને સંતોષ માનતા થઈ જાય છે. આ સ્થિતિ જૈન સમાજ, જૈન ધર્મ, જૈન સંસ્કૃતિને માટે કોઈ પણ રીતે લાભદાયક નથી. તેથી તેને માટે આપણે વિના વિલંબે ઘટતો ઉપાય હાથ ધરવો જોઈએ. સ્થાનકવાસી સાધુઓ જેમ એકીકરણની દિશામાં જાગૃત બન્યા, તે જ રીતે પોતાના સમુદાયના સાધુઓ સાચા વિદ્વાનો અને એ માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy