SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ જિનમાર્ગનું અનુશીલન કોઈકોઈ સમયજ્ઞ, દીર્ઘદ્રષ્ય આચાર્યો કે મુનિવરો આપણે ત્યાં પણ થઈ ગયા અને અત્યારે પણ વિદ્યમાન છે, જેમણે ઇતર ભારતીય સાહિત્યના ધોરણે જૈન સાહિત્યનો વિકાસ સાધવાનો પ્રશસ્ય અને અમુક પ્રમાણમાં સફળ પ્રયત્ન કર્યો છે, કરી રહ્યા છે. આવા પ્રયત્નમાં કેટલાક ગૃહસ્થ વિદ્વાનોનો ફાળો પણ ખૂબ નોંધપાત્ર છે, અને એ બધા પ્રયત્નોનું દેશવિદેશમાં મૂલ્યાંકન પણ થયું છે, અને કેટલુંક આવકારપાત્ર પરિણામ પણ આવ્યું જ છે. આમ છતાં બ્રાહ્મણ અને બૌદ્ધ સાહિત્ય અને સંસ્કૃતિનું જેટલા વ્યાપક પ્રમાણમાં આપણા દેશમાં અને દુનિયામાં ખેડાણ થયું છે, તેની સરખામણીમાં જૈન સાહિત્ય અને સંસ્કૃતિના ખેડાણની બાબતમાં આપણે બહુ પાછળ છીએ; જ્યારે સાહિત્યની વિપુલતા તેમ જ ગુણવત્તાની દૃષ્ટિએ પાછળ રહેવાને કોઈ કારણ દેખાતું નથી. પણ આ દિશામાં જરૂરી જાગૃતિ અને પ્રયત્નશીલતાનો અભાવ જ આનું કારણ હોય એમ લાગે છે. સંસ્કૃત-પ્રાકૃત જેવી શાસ્ત્રીય ભાષાઓની વાત તો બાજુએ રહી, પણ ગુજરાતીહિન્દી-મરાઠી જેવી લોકભાષામાં જેઓ સિદ્ધહસ્ત લેખક ગણાય અને શાસ્ત્રીય વિષયોને જેઓ સરસ અને સુગમ રીતે લોકભાષામાં રજૂ કરી શકે એવા વિદ્વાનો આપણા શ્રમણસમુદાયમાં આજે કેટલા ? સંસ્કૃત ભાષાને જાણવી એ ભારતીય સંસ્કૃતિને સમજવા માટે અનિવાર્ય છે. પણ કેટલાય જૈન શ્રમણો સંસ્કૃત ભાષાના સારા જાણકાર હોવા છતાં, તેઓ પ્રાકૃત ભાષાથી અજાણ કે એ ભાષાના અલ્પજ્ઞ હોવાનું જોઈએ છીએ. પ્રાકૃત ભાષાના અધ્યયનનો પાયો કાચો રહેવાને કારણે તાત્વિક, તાર્કિક કે આગામિક અધ્યયનમાં પણ ઘણી કચાશ રહી જવા પામે છે. આનો અર્થ કોઈ એવો ન કરે કે આપણે ત્યાં શાસ્ત્રીય અધ્યયન સાવ થંભી ગયું છે; એવું અધ્યયન આજે પણ ચાલુ છે જ. પણ સાથે સાથે શ્રમણ-સમુદાયની વિપુલતાના પ્રમાણમાં એ ઘણું ઓછું છે એ પણ એટલું જ સાચું છે. અને જે કંઈ ઊંડું શાસ્ત્રાવગાહન અલ્પસ્વલ્પ માત્રામાં થઈ રહ્યું છે, એમાં ઐતિહાસિક અને તુલનાત્મક સંશોધનદષ્ટિનો મોટે ભાગે અભાવ હોવાને લીધે એ અત્યારના યુગની જિજ્ઞાસાને અને જરૂરિયાતને ભાગ્યે જ સંતોષી શકે છે. જૈન શ્રમણ તરીકેના જીવનમાં જ્ઞાન અને ચારિત્રની આરાધના કરવાનો જે વિરલ સુયોગ મળે છે તે બીજે ભાગ્યે જ મળે છે. સામાન્ય જનસમૂહની બાહ્ય ક્રિયાકાંડ તરફની રુચિને સંતોષી કે પોષી શકે એવો, જ્ઞાનની મધ્યમ કક્ષાવાળો અમુક શ્રવણસમુદાય આપણે ત્યાં ભલે હોય, પણ એનું ય અંતિમ ધ્યેય તો એ જનસમૂહને અને પોતાની જાતને જ્ઞાન અને ચારિત્રની ઉચ્ચ કોટીએ લઈ જવાનું જ હોય. પરંતુ શ્રમણ-સમુદાયમાં નોંધપાત્ર સંખ્યામાં એક વર્ગ એવો પણ હોય, કે જે પોતાની ઉત્કટ અને વ્યાપક જ્ઞાનસાધનાને બળે વિદ્યાવારિધિ વિદ્યાનો સાગર) બન્યો હોય અને ઉત્કટ ચારિત્રના બળે વિશ્વમૈત્રીની ભાવનાને પોતાના જીવનમાં ઉતારી હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy