SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૪ છેહ આપવાથી બચવું હશે, તો કેટલાકે તો પૈસા ને કીર્તિથી પર બનીને, પાયાના પથ્થરની જેમ આ કાર્યમાં ઓતપ્રોત બનવા આગળ આવવું જ પડશે. બે વર્ષ પહેલાં દેશમાં અને દુનિયામાં ઠેરઠેર ભગવાન બુદ્ધનો પચીસસોમો નિર્વાણ-દિવસ ઊજવાયો એ સૌને યાદ હશે. આ નિમિત્તે બર્મામાં એક મોટી સંગીતિ (જેને આપણે વાચના' કહીએ છીએ) યોજવામાં આવી હતી. તેમાં લગભગ પચીસસો બૌદ્ધ ભિક્ષુઓ જુદાજુદા દેશોમાંથી ભેગા મળ્યા હતા. એ બધાએ ભેગા મળી મહિનાઓ સુધી બૌદ્ધ ધર્મના મૂળગ્રંથોરૂપ ત્રિપિટકોના પાઠો મેળવ્યા, પાઠશુદ્ધિ કરી અને એ બધા ગ્રંથો બર્મી લિપિ (અને મૂળ પાલિભાષામાં) છપાવીને તૈયાર પણ કરી આપ્યા. હવે એ બધા ગ્રંથોને ભારત સરકારે પોતાને ખર્ચે દેવનાગરી લિપિમાં છપાવવાનો નિર્ણય કર્યો છે; એ કામનો આરંભ પણ થઈ ચૂક્યો છે. જો આપણી આગમભક્તિ જાગતી હોય તો છેવટે આ દાખલા ઉપરથી પણ આપણને ચાનક ચડવી જોઈએ. આપણા આવડા મોટા મુનિસંઘમાંથી થોડાક તો આ લોઢાના ચણા ચાવનારા વિરલા મળવા જોઈએ, અને વિના વિલંબે આગમોનાં મૂળ સૂત્રો ઉપરાંત પંચાંગી સહિત આગમ-ગ્રંથો અને બીજા મહત્ત્વના સંસ્કૃત, પ્રાકૃત કે બીજી લોકભાષાના ગ્રંથો સુસંપાદિત અને સંશોધિત રૂપે, આધુનિક ઢબે, તૈયાર કરીને પ્રગટ કરવાનો આરંભ થઈ જવો જોઈએ. દેખીતી રીતે લોઢાના ચણા ચાવવા જેવું લાગતું આ કામ, છેવટે સાકરના ટુકડા ચાવવા જેવું આનંદપ્રદ બનવાનું છે એ સમજાવવાની જરૂર ખરી ? શ્રમણવર્ગ માટે અધ્યયનની આવશ્યકતાનો થોડો ઐતિહાસિક સંદર્ભ તપાસી યોગ્ય અધ્યયનક્રમ વિષે થોડાં પ્રાસંગિક સૂચનો પણ અત્રે નિર્દેશીએ છીએ : અંગ્રેજોના આગમન પહેલાં, આપણા મહાન જ્યોતિર્ધર અને ભારતીય વિદ્યાના ઊંડા વિદ્વાન ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે લોકભાષામાં તેમ જ સંસ્કૃત-પ્રાકૃત જેવી શાસ્ત્રીય ભાષામાં વિવિધ વિષયના લોકભોગ્ય તેમજ વિદ્વભોગ્ય સાહિત્યનું વિપુલ સર્જન કર્યું હતું એટલું જ નહિ, એ યુગમાં જેની ખૂબ બોલબાલા હતી તે નવ્યન્યાયની શૈલીમાં પણ ગ્રંથો રચ્યા હતા. આને લીધે એ યુગમાં જૈન સાહિત્ય શાસ્ત્રીય, તાર્કિક અને બીજી સામાન્ય કૃતિઓથી સારા પ્રમાણમાં સમૃદ્ધ બન્યું હતું, અને ઇતર ભારતીય સાહિત્યની હરોળમાં પોતાનું ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરી શક્યું હતું. પણ આપણા આ અસાધારણ કોટીના જ્ઞાની મહાપુરુષ પછી અને અંગ્રેજી શાસનના ઉદયની સાથે ભારતીય વિદ્યાઓનું જે અનોખી ઢબે અધ્યયન થવા લાગ્યું, તેની સાથે આપણે પૂરેપૂરાં કદમ ન મિલાવી શક્યા. અલબત્ત, આ સમય દરમિયાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy