SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ જિનમાર્ગનું અનુશીલના પરંતુ જેમ આવા વિદ્વાનો તૈયાર કરવા માટે પૂરતું ધ્યાન આપવાની જરૂર છે, તેમ જે થોડાક વિદ્વાનો છે, તેઓ નચિંત બનીને આ કાર્યમાં ઓતપ્રોત થઈને એમાં પોતાની સર્વ શક્તિ અને પોતાનો સર્વ સમય કામે લગાડી શકે એવી આર્થિક જોગવાઈ કરવારૂપ દીર્ઘદૃષ્ટિ દાખવવાનું પણ હજી આપણે માટે બાકી જ છે. મુનિવરો ધારે, તો આ દિશામાં આપણી કલ્પના કે અપેક્ષાને પણ વટાવી જઈ શકે એટલું કામ કરી શકે. પણ ત્યાં અત્યારે બે પ્રકારની મુશ્કેલીઓ પ્રવર્તતી હોય એમ અમને લાગે છે; એ તરફ ધ્યાન દોરવા જ અમે આ લખીએ છીએ. પહેલી મુશ્કેલી એ છે કે અમુક પ્રમાણમાં સંસ્કૃત ભાષાનું અને પાટ પરથી વ્યાખ્યાન વાંચી શકાય એટલું ધર્મગ્રંથોનું સામાન્ય જ્ઞાન મેળવીને મોટા ભાગના મુનિવરો સંતોષ માની લે છે. ઊંડું શાસ્ત્ર-અવગાહન કરવું એ એમને લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ લાગે છે. પ્રાકૃત ભાષા એ આપણા મૂળ ધર્મગ્રંથોની ભાષા હોવા છતાં એનું પ્રમાણભૂત જ્ઞાન કેટલા મુનિવરો મેળવે છે ? અને તો પછી, જેઓ સાધુજીવનની આવશ્યક ધર્મક્રિયાઓ કરવા પૂરતું સૂત્રજ્ઞાન મેળવીને જ અટકી જાય છે, એમનું તો કહેવું જ શું? જિજ્ઞાસા અને તાલાવેલી હોય તો જ એમાંથી થોડાક પણ શાસ્ત્રના પારગામી વિદ્વાનો આપણને મળી શકે. અને બીજી મુશ્કેલી, જે અમારે મતે સૌથી ચિંતાજનક છે અને જે તરફ અમે ખાસ ધ્યાન દોરવા ઇચ્છીએ છીએ તે છે નજીકના ભવિષ્યમાં જ, થોડાંક વર્ષની જ્ઞાન-તપસ્યાને પરિણામે. જેઓ સારા વિદ્વાનો થશે તેવી આશા બંધાય તેવા આશાસ્પદ મુનિવરો પણ સસ્તી કીર્તિ અને સહેલાઈથી મળી જતા અર્થ-પરિગ્રહ તરફ મુખ વાળીને જ્ઞાનસેવાના આ કાર્ય તરફથી પોતાનું મુખ ફેરવી રહ્યા છે. પૈસા અને પ્રશંસાના મોહને જીતવો ઘણો મુકેલ છે; પરંતુ એને જીતવામાં જ સાધુજીવનની ચરિતાર્થતા છે. એટલે મંત્રતંત્ર, ક્રિયાકાંડ કે કેવળ લોકરંજક વ્યાખ્યાન-શૈલીના બળે ભોળા ભાવિક ભક્તો ભેગા થઈ પ્રશંસા કરવા લાગે કે જરૂર કરતાં વધારે આર્થિક જોગવાઈ કરી આપવા તૈયાર થાય, એ વખતે જ પોતાના મનને એનાથી અલિપ્ત રાખીને જ્ઞાન અને ચારિત્રની આરાધનાને અખંડિત રાખવી ઘટે. - જો મુનિ-સમુદાયમાં વધી રહેલો કીર્તિનો અને પરિગ્રહશીલતાનો મોહ નહીં અટકે, તો આગમ-પ્રકાશન માટે કે સાહિત્ય-પ્રકાશનને નામે આપણે લાખો રૂપિયા ભેગા કરીશું તો પણ એનો કશો સદુપયોગ થઈ શકવાનો નથી; એટલું જ નહીં, ક્યારેક એનો દુરુપયોગ થઈ જવાનો કે એ પૈસા ચવાઈ જવાનો પણ ભય રહેલો છે. એટલે શાસ્ત્ર-પ્રકાશનનું આ અતિઆવશ્યક કાર્ય જો આપણે સાચે જ કરવું હશે, અને આગમભક્તિ કે શાસ્ત્રભક્તિથી પ્રેરાઈને જે ભાવિકજનોએ નાણાં આપ્યાં હોય એને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy