SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસતા અને આચારશુદ્ધિ : ૩ ૭૯ સાધુઓની જવાબદારી અંગે તેઓએ કહ્યું : “પણ આપણે કોઈ જાતના હક્કો માગીએ એની સાથે આપણી પણ કેટલીક જવાબદારીઓ છે; એ અદા કરવાનું આપણે ન ભૂલીએ. સમાજના સુનિયંત્રણ માટે જેટલી આવશ્યક રાજસત્તા છે, તેટલી જ આવશ્યક ધર્મસત્તા પણ છે. આપણી સત્તાને હું ધર્મસત્તા હેતુપૂર્વક કહું છું. એ સત્તા આપણને ધર્મ વડે અપાયેલી સત્તા છે. આપણે આપણા ધર્મનું કર્તવ્યનું પાલન કરી છૂટવું જોઈશે. આપણે યુગને અનુરૂપ બનવું જોઈશે.” શ્રમની મહત્તાનું ગાન કરતાં એક નવી ઢબે તેઓએ કહ્યું – જમાનો બદલાયો છે. સુધારીને કહું તો બદલાયો નથી; મૂળ જે જમાનો હતો તે ફરી આવ્યો છે. બે ઊંઘની વચ્ચે સ્વપ્ન આવી જાય અને આવીને ચાલ્યું જાય તેમ અંગ્રેજ રાજ્ય આવીને ચાલ્યું ગયું છે અને અસલ જમાનો ફરી આપણી સામે આવ્યો છે. અસલ જમાનામાં શ્રમની પ્રતિષ્ઠા થતી હતી. એ શ્રમની ફરી પ્રતિષ્ઠા થવામાં છે, અને એ આપણા દેશના ભાગ્યોદય માટેનું સુચિહન છે એમ મને લાગે છે. ગાદી-તકિયા પર આળોટનાર વ્યક્તિ કરતાં આજે શ્રમજીવીનું ગૌરવ અનેકગણું વધારે બન્યું છે. આમ સાધુને પણ હવે નિષ્ક્રિય રહેવું પોસાશે નહીં. એણે ય તેનાથી બનતો શ્રમ કરી છૂટવો પડશે. અગાઉના વખતમાં ધર્મના પ્રચારાર્થે સાધુ ફરતા, ગામનાં દીન-દુઃખીની સેવા કરતા અને લોકોના આંતરિક કલહો પતાવતા. હવે ફરી એ યુગ આવી લાગ્યો છે. સદ્દભાગ્યે એ ચીલો હજી સુધી ભૂંસાયો નથી, ત્યાં જ પંચાયત-રાજ્યરૂપે ફરી ચાલુ કરી દેવો જોઈએ.” આથી આગળ વધીને શ્રમજીવન અને ધાર્મિકતાનો સંબંધ સચોટ રીતે દર્શાવતાં તેઓએ જે ધ્વનિ વ્યક્ત કર્યો છે તે બહુ અસર કરે તેવો છે : “મંદિરને એક ખૂણે ગૌમુખીમાં હાથ નાખી રામનામ લેનાર કરતાં ત્રિકમથી તળાવ ખોદતાં-ખોદતાં ત્રિકમના પ્રત્યેક ઘા સાથે રામનામ લેનારનું તેઓએ (સાધુઓએ) વધુ ગૌરવ કરવું પડશે. ગંગા કે અન્ય તીર્થદળે નાહીને આવનાર ભક્ત કરતાં ધોમ તાપમાં અનાજ પકવવા મથતા, પોતાના પરસેવે નહાનાર કિસાનનું વધુ મહત્ત્વ તેઓએ હવે સ્વીકારવું પડશે. મંદિરમાં ઘંટ વગાડનાર કરતાં ભઠ્ઠી પાસે ઘંટ ઘડનાર લુહારનો તેણે વધુ આદર કરવો પડશે. મંદિરને શીળે છાંયે માળા ગૂંથનાર ભક્ત કરતાં ફૂલ-છોડનું બગીચામાં જતન કરનાર માળીની મહત્તા તેણે ગાવી પડશે. જે દેશની ભૂમિમાંથી સાધુઓ ઉત્પન્ન થયા છે તે દેશની ભૂમિનો ભાર તેમણે હળવો કરવો પડશે. આપણે અનુત્પાદક રહી શકીશું નહીં. અંગ્રેજોએ આપણા ઉપર અનુત્પાદક છપ્પન લાખ'નું કલંક ચોડ્યું છે એ હવે આપણે મિટાવવું પડશે.” શ્રમ-પ્રતિષ્ઠા કરવા કે બીજા ભાવો વ્યક્ત કરવા પ્રમુખશ્રીએ કેવા શબ્દો કે કેવા દાખલાઓ પસંદ કર્યા તે ઝાઝું મહત્ત્વનું નથી. ખરું મહત્ત્વ તો એ બધા શબ્દો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy