SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૨, ૩ ૭૭. પ્રાંતપ્રાંતનાં ગામો કે શહેરોમાં, અનેક મુસીબતો વેઠીને, પગપાળા વિચરતા જૈન સાધુઓ પ્રજાનાં સુખદુઃખના અને ગુણ-અવગુણના જાણકાર બની શકે, અને તેથી તેઓ પ્રજાને સગુણના માર્ગે આગળ વધારવામાં ભારે અગત્યનો ફાળો આપી શકે. આજે તો અશુદ્ધ વ્યવહારના કીચડમાં દરેક ધર્મ, જાતિ, પંથ કે મતના અનુયાયીઓ ઓછે-વધતે અંશે ફસાયેલા જ છે. એવી સ્થિતિમાં પ્રજાને ગુણવત્તાના માર્ગે દોરવી એ આપણા સાધુ-સંતો અને મુનિવરોની વિશેષ ફરજ બની જાય છે. આના અનુસંધાનમાં તેરાપંથી જૈન સંપ્રદાયના અત્યારના નવમા આચાર્ય શ્રી તુલસીરામજીના સંબંધમાં, તા. ૨૩-૪-૧૯૫૦નાં વર્તમાનપત્રોમાં પી. ટી. આઈ. તરફથી છપાયેલ નીચેના સમાચાર તરફ ધ્યાન દોરવું અમે ઉપયોગી સમજીએ છીએ : “લોકોમાં “નૈતિક વૃત્તિ ઉચ્ચ કક્ષાએ લાવવાની દૃષ્ટિએ લગભગ ૭૦૦ જૈન સાધુઓ, થોડા સમયમાં, ભારતનાં જુદાંજુદાં ગામડાંઓમાં પગપાળા પ્રવાસ કરશે. આ સાધુઓના નેતા આચાર્ય તુલસીજીએ આ વાત એક અખબારી પરિષદમાં જાહેર કરતાં જણાવ્યું હતું કે મેં લોકોમાં નૈતિક જાગૃતિ લાવીને હાલના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે ૧૩ મુદ્દાવાળો એક કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. " આ સમાચાર બીજા ફિરકાના જૈનોના ખ્યાલ ઉપર લાવવા પૂરતા જ અહીં આપ્યા છે. અહીં અમારા કહેવાનો જે મુખ્ય મુદ્દો છે તે એટલો જ કે સમગ્ર પ્રજાના જીવનને ઊંચે લાવવામાં જૈન સાધુઓ ધારે તો ખૂબ અગત્યનો ફાળો આપી શકે એમ છે. અત્યારે પ્રજાજીવનમાં વ્યવહારશુદ્ધિની ભારે ઊણપ આવી ગઈ છે. તેથી અમે સર્વ મુનિવરોને વિનવીએ છીએ કે તેઓ આ કટોકટીની પળે કમર કસે અને પ્રજાજીવનમાં સધર્મનાં બીજોનું આરોપણ કરવાનો પુરુષાર્થ હાથ ધરે. અસ્તુ! (તા. ૭-૫-૧૯૫૦) (૩) ઇતર સાધુસમાજનો વિચારપલટો અમુક અંશે આચારવિષયક, તેથી વધુ અંશે વિચાર/માન્યતાવિષયક અને સૌથી વિશેષ પ્રમાણમાં ક્રિયાકાંડ-વિષયક નિમિત્તોને કારણે, નાના-નાના પંથો કે સંપ્રદાયોમાં વહેંચાઈ ગયેલ હિન્દુ સમાજ કે જૈન સમાજના સાધુ-સંતો વચ્ચે પ્રવર્તતી અલગતાની ભાવનાને દૂર કરીને બધા ય પંથોના સાધુઓને પરસ્પર હળતા-મળતા તેમ જ વિચારવિનિમય કરતા બનાવવાના આશયથી પાંચેક વર્ષ પહેલાં “મહાગુજરાત સાધુસંઘની સ્થાપના કરવામાં આવી હતી. આ રીતે આપણા સાધુસંતો એકતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy