SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ નવાંગીવૃત્તિકાર આ.ભ.શ્રી અભયદેવસૂરિજી મહારાજનું જીવનચરિત્ર એવામાં એક વખતે શાસનદેવીએ એકાંતમાં અભયદેવસૂરિને વિનંતિ કરી કે - “હે પ્રભો! પ્રથમ પ્રતિ મારા દ્રવ્યથી કરાવજો.” એમ કહી પોતાની જ્યોતિથી દષ્ટિ આંજી નાંખતું, ત્યાં એક સુવર્ણનું ભૂષણ સમવસરણ ઉપર મૂકીને દેવી અદશ્ય થઈ ગઈ. પછી મુનિઓ ગોચરીથી આવ્યા, એટલે સૂર્યના બિંબ સમાન તે આભૂષણ તેમના જોવામાં આવ્યું. તે જોતાં મંત્રમુગ્ધ બનેલા તેમણે આચાર્ય ભ.ને પૂછ્યું. ત્યારે હર્ષ પામતાં ગુરુમહારાજે તે બધો વૃત્તાંત તેમને કહી સંભળાવ્યો. પછી ત્યાં શ્રાવકોને બોલાવ્યા અને ગુરુએ તેમને તે ભૂષણ બતાવ્યું. પરંતુ તેનું મૂલ્ય ન જાણતાં તે શ્રાવકો પત્તન (પાટણ) માં ગયા. ત્યાં રત્નપરીક્ષકને તેમણે તે ભૂષણ બતાવ્યું. એટલે તેનું મૂલ્ય ન કરી શકવાથી તેમણે પણ એવો અભિપ્રાય આપ્યો કે - “અહીં ભીમરાજાની આગળ આ આભૂષણ મૂકો તે આપે એટલું એનું મૂલ્ય સમજવું. અમે એની કિંમત આંકી શકતા નથી.” આથી જાણે સ્નેહથી ઇંદ્ર ભેટ મોકલાવેલ હોય તેમ તે ભૂષણ શ્રાવકોએ રાજા આગળ ધર્યું અને તેનો વૃત્તાંત કહી સંભળાવ્યો. જેથી રાજા સંતુષ્ટ થઈને કહેવા લાગ્યો કે “તે તપસ્વીની વસ્તુ મૂલ્ય વિના હું લઈ શકું તેમ નથી.” ત્યારે શ્રાવકોએ જણાવ્યું કે - “હે સ્વામિન્ ! એનું મૂલ્ય આપના મુખે જ થશે અને જે આપ આપો, તે અમને પ્રમાણ છે.” એટલે રાજાએ ભંડારી પાસેથી તેમને ત્રણ લાખ દ્રમ્મ (ટકા) અપાવ્યા. પછી તેમણે તેના પુસ્તકો લખાવીને આચાર્ય મહારાજને અર્પણ કર્યા. તેમજ પાટણ, તામ્રલિમી, આશાપલ્લી અને ધવલક્ક નામના નગરમાં ચોરાશી ચતુર અને શ્રીમંત શ્રાવકો હતા કે જે ધર્મવાસનાથી નિર્મળ આશયવાળા હતા, તેમણે પ્રત્યેક અંગવૃત્તિના પુસ્તક લખાવીને આનંદપૂર્વક આચાર્યને આપ્યાં. એટલે સુધર્માસ્વામીએ બતાવેલ ઈષ્ટ તત્ત્વરૂપ તાળાની કુંચી સમાન તેમણે બનાવેલ નવે અંગની વૃત્તિઓ એ પ્રમાણે પ્રવર્તમાન થઈ. પછી સંયમયાત્રા નિમિત્તે આચાર્યશ્રી ધવલક્ક નગરમાં પધાર્યા. કારણ કે સ્થાનોમાં અપ્રતિબંધ એ જ સિદ્ધાંત-ઉપાસનાનું લક્ષણ છે. એવામાં આંબિલનું તપ કરતાં, રાત્રે નિરંતર જાગરણ કરતાં અને અતિપરિશ્રમ આદિકારણથી આચાર્ય મહારાજને દુષ્ટ રક્તદોષ લાગુ પડ્યો.' તે વખતે ઈર્ષાળુ લોકો કહેવા લાગ્યા કે- “ઉસૂત્રના કથનથી કુપિત થયેલા શાસનદેવોએ વૃત્તિકારને કોઢ ઉત્પન્ન કર્યો છે. એ પ્રમાણે સાંભળતા શોકથી વ્યાકુળ થયેલા અને પોતાના અંતરમાં પરલોકને ઈચ્છતા એવા તેમણે રાત્રે ધરણેન્દ્રનું ધ્યાન કર્યું. ત્યાં સત્ત્વકસોટીના પાષાણતુલ્ય એવા તેમણે તરત સ્વપ્રમાં પોતાના દેહને ચાટતા નાગેન્દ્રને જોયો. આથી તેમણે વિચાર કર્યો કે – “કાલરૂપ આ વિકરાલ સર્ષે મારા શરીરને ચાટેલ છે, તેથી મારું આયુષ્ય ક્ષીણ થયું લાગે છે, તો હવે અનશન આદરવું એ જ મને યોગ્ય છે. એ પ્રમાણે ચિંતવતાં બીજે દિવસે સ્વપ્રમાં ધરણેઢે આવીને તેમને કહ્યું કે - “મેં તમારા દેહને ચાટીને રોગને દૂર કર્યો છે.” ૧. વિધિ તીર્થકલ્પ (કલ્પ ૫૯), ગણધરસાર્ધશતક (પૃ.૧૩-૧૪) અને ઉપદેશસતતિકા (૨-૧૧) પ્રમાણે તીર્થસ્થાપના દ્વારા રોગનિવારણ થયા પછી ટીકાઓ લખી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001143
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutram Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2005
Total Pages566
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, G000, G015, & agam_samvayang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy