SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ નવાંગીવૃત્તિકાર આ.ભ.શ્રી અભયદેવસૂરિજી મહારાજનું જીવનચરિત્ર ૯ કરે છે, પરંતુ મને તો તેમનું દાસત્વ જ મળે છે.” એમ જાણે કોપાયમાન થયેલ હોય તેમ તેમના પ્રતીકારનો સ્વીકાર કરીને અગ્નિએ એક જ દિવસમાં તે નગરીને ભસ્મીભૂત કરી દીધી. એટલે બીજે દિવસે સર્વસ્વનો નાશ થવાથી ખેદ પામેલ લક્ષ્મીપતિ પેલા હિસાબના દાહથી વિશેષ ચિંતાતુર થઈ લમણે હાથ દઈને બેસી રહ્યો. એવામાં અવસર થતાં તે બ્રાહ્મણો તેના ઘરે ભિક્ષા માટે આવ્યા અને તે બધું બળી ગયેલ જોઈ, વિષાદ પામતાં તે આ પ્રમાણે કહેવા લાગ્યા :- “હે યજમાન ! તારા પર આવી પડેલ કષ્ટથી અમને ભારે ખેદ થાય છે, પરંતુ સર્વ દુઃખ કરતાં અધિક એવી સુધાથી અમે વ્યાકુળ છીએ, તેથી શું કરીએ ? વળી તમે આવા શોકથી સત્વહીન જેવા કેમ બની ગયા છો ? કારણ કે તમારા જેવા ધીર પુરુષો સંકટમાં પણ સત્ત્વને મૂકતા નથી.' એ પ્રમાણે તેમનું વચન સાંભળતાં શ્રેષ્ઠી કહેવા લાગ્યો કે - “હે ભૂદેવો ! સાંભળોલેખના નાશથી જેવું મને દુઃખ થાય છે, તેવું દુઃખ ધન, અન્ન કે વસ્ત્રાદિના બળી જવાથી થતું નથી કારણ કે લેખ બળી જવાથી અધર્મી જનોમાં ધર્મને હાનિ પહોંચાડનાર કલહ થવાનો સંભવ છે, પણ શું કરીએ ?' આથી તે વિપ્રો બોલ્યા- “અમે ભિક્ષાચર અન્ય કંઈ ઉપકાર કરવાને સમર્થ નથી, પરંતુ તે લેખ અમે તને કહી બતાવીએ.” એટલે ભારે હર્ષ પામતાં શ્રેષ્ઠીએ તેમને પોતાની સામે એક સારા આસન પર બેસાડ્યા. કારણ કે લોકો સ્વાર્થ પૂરનારને અવશ્ય માન આપે છે. પછી તેમણે શરુઆતથી માંડીને તિથિ, વાર, નક્ષત્ર, વરસ, માસ અને અંક. (રકમ) સહિત વર્ણ જાતિના નામ અને મૂલ દ્રવ્યની સંખ્યા તથા વ્યાજ સહિત તે લેખ બુદ્ધિબળથી પોતાના નામની જેમ ખડીથી લખી બતાવ્યો, જે પત્રો પર લખી લઈને શ્રેષ્ઠી ચિંતવવા લાગ્યો કે – “અહો ! મારી દયા લાવીને આ મારા કોઈ ગોત્રદેવો આવ્યા છે કે શું ? કે જેમણે સ્કૂલના વિના બરાબર અનુક્રમથી પત્રની અપેક્ષા ન રાખતાં પોતાના બુદ્ધિબળથી સમસ્ત લેખ મને કહી સંભળાવ્યો.” પછી હિતને જાણનાર શ્રેષ્ઠીએ ભોજન વસ્ત્રાદિ અને બહુમાનથી તેમનો અત્યંત સત્કાર કરીને તેમને પોતાના ઘરના ચિંતા કરનાર બનાવ્યા. પછી ત્યાં રહેતાં તેમને શાંત અને જિતેંદ્રિય સમજીને તે વ્યવહારી વિચારવા લાગ્યો કે - “જો એ મારા ગુરુના શિષ્યો થાય, તો શ્રીસંઘના ભૂષણરૂપ બને.” હવે સપાદલક્ષ નામે દેશમાં કુચ્ચેપુર (કચેરા) નામે નગર છે કે જે શત્રુઓના મુખ ઉપર મસીનો કુચડો દેવાને સમર્થ છે. ત્યાં અલ્લ રાજાનો પુત્ર, અન્વયયુક્ત નામધારી ભુવનપાલ નામે રાજા રાજ્ય કરતો હતો. ત્યાં પ્રશમલક્ષ્મીથી ગુણોને વૃદ્ધિ પમાડનાર તથા સંસારથી પાર ઉતારનાર એવા શ્રી વર્ધ્વમાન નામે આચાર્ય હતા, કે જેમણે સિદ્ધાતના અભ્યાસથી સંસારનું સત્ય સ્વરૂપ સમજીને ચોરાશી ચૈત્યોનો ત્યાગ કર્યો હતો. એકદા વિહાર કરતા વચનરૂપ ધારાથી ભવ્યજનોને નવ જીવન આપતા મેઘ સમાન એવા તે આચાર્ય ધારાનગરીમાં પધાર્યા. તેમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001143
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutram Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2005
Total Pages566
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, G000, G015, & agam_samvayang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy