SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૧૫ પ૬૧ સપાટી ઉપર ફેરફાર કરીને સંતોષ માનવાનો નથી. બાહ્ય પાસેથી જે સહાયતા લઈ શકાય તે લેવા યોગ્ય છે. આમ, ધર્મારાધનામાં બાહ્ય રૂપાંતરણનું પણ સ્થાન છે. આંતરિક રૂપાંતરણ માટે સમ્યક્ આહાર, નિવૃત્તિક્ષેત્ર આદિ બાહ્ય રૂપાંતરણ સહાયક છે. જીવ ધર્મારાધના માટે બાહ્યને બદલે છે, પરંતુ બાહ્ય રૂપાંતરણ જ સર્વ નથી. જીવ શું ખાય છે, શું પહેરે છે એ તેની મંજિલ નથી. ખરી મંજિલ તો અંતરનું કેન્દ્ર છે. સમ્યક્ ભોજન સારું છે, પરંતુ ભોજનથી ગ્રસ્ત થવું એ મૂઢતા છે. જો ભોજનની ટેવો આત્માના ઉદ્દઘાટનમાં સહાયક થતી હોય તો તે કેવો સારી છે, પરંતુ જીવ જો વિધિ-નિષેધની આડમાં નિરંતર ભોજનનો જ વિચાર કરતો રહે તો તે મંજિલ ચૂકી જાય છે. ભાર એ વાત ઉપર છે કે જીવનો બાહ્ય પ્રયત્ન આંતરિક રૂપાંતરણની પર્યાય ન બનવો જોઈએ. બાહ્ય એટલું મહત્ત્વપૂર્ણ ન બનવું જોઈએ કે અંતર ભુલાઈ જાય. પરિઘને એટલું જ મહત્ત્વ આપવું જોઈએ જેટલું જરૂરી છે. બાહ્ય માત્ર સહયોગી થઈ શકે છે એમ નિર્ણય કરીને તે દ્વારા મદદ લેવાની છે, પરંતુ એ સદા સ્મરણમાં રાખવાનું છે કે એકમાત્ર અંતરને આવિષ્કૃત કરવાનું છે અને તેથી અંતરના પરિવર્તનને જ કેન્દ્રસ્થાને રાખવાનું છે. બાહ્ય પરિવર્તન અંતરને ઉઘાડવા માટે મદદરૂપ થઈ શકે છે, પરંતુ બાહ્યમાં અટકી નથી જવાનું કે બાહ્યથી ગ્રસ્ત નથી થવાનું. જ્યાં સુધી મૂળમાંથી સારવાર કરવામાં નથી આવતી ત્યાં સુધી બાહ્યમાં ગમે તેટલા વ્રત-નિયમોનું પાલન કરવામાં આવે તોપણ ધર્મની આરાધના થતી નથી. ધર્મ વિષે ઉપલક માહિતી મેળવીને જો ધર્મ સાધવા ફક્ત બાહ્યમાં ફેરફાર કરવામાં આવે તો તેનાથી કાંઈ આત્મભ્રાંતિ નિવૃત્ત થતી નથી. અવિનાશી સુખની પ્રાપ્તિ માટે ધર્મનું સ્વરૂપ શું છે, તેનું આરાધન કઈ રીતે કરવાનું છે તેની સ્પષ્ટ સમજણ હોવી આવશ્યક છે. અન્યથા તદર્થે કરેલ તમામ પ્રયાસ નિષ્ફળ જાય છે. ધર્મનો યથાર્થ અર્થ દર્શાવતાં શ્રીમદ્ પ્રકાશે છે – આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ. આત્માનો સ્વભાવ તે ધર્મ. સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ. પરભાવ વડે કરીને આત્માને દુર્ગતિએ જવું પડે તે ન જવા દેતાં સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ. સમ્યક્ શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ; ત્યાં બંધનો અભાવ છે. સમ્યકજ્ઞાન, સમ્યકદર્શન, સમ્યક્રચારિત્ર એ રત્નત્રયીને શ્રી તીર્થકરદેવ ધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy