SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અંતરમાં રહેલાં ઉજ્વળ પરિણામ પકડાતાં તે મુમુક્ષુ જીવનાં પોતાનાં પરિણામ પણ ઉજ્વળ થાય છે. તેનાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ મોળાં પડતાં જાય છે. કષાયની વિદ્યમાનતા હોવા છતાં એમાં પૂર્વ જેવી તન્મયતા નથી રહેતી, અનંત સંસાર વધારનારી તીવ્રતા નથી રહેતી. હવે તેને સદ્ગુરુ પ્રત્યે વિરોધ, સ્વચ્છંદ, માયાચાર કે સાંસારિક કામનાનાં મલિન પરિણામ થતાં નથી. પોતાના દોષ જોવા તરફ તેનું ચિત્ત વળ્યા કરે છે. વિકથા આદિમાં તેને નીરસપણું લાગે છે. અનિત્યાદિ ભાવના ચિંતવવા પ્રત્યે, બળવીર્ય સ્કૂરવા વિષે જે પ્રકારે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું હોય કે શાસ્ત્રમાં વાંચ્યું હોય, તેના કરતાં પણ વિશેષ બળવાન પરિણામ દ્વારા તે સંયોગો પ્રત્યે અનિત્યતા, અશરણતા અને અસારતાના ભાવને દઢ કરે છે. હવે તે સંસારને સ્પષ્ટ પ્રીતિથી સેવતો નથી. સગુરુને ઓળખ્યા પહેલાં પ્રાપ્ત સંયોગ અને પંચ વિષયાદિ પ્રત્યે જે પ્રકારે રસવાળાં પરિણામ હતાં, તેવાં પરિણામ હવે તેને રહેતાં નથી અને તેને યથાર્થ વૈરાગ્ય જાગે છે. સદ્દગુરુનો અપૂર્વ પ્રભાવ તેના અંતરમાં ઝળકે છે. તેને સદ્ગુરુ પ્રત્યે અપૂર્વ સ્નેહ જાગે છે. અપૂર્વ સ્નેહના કારણે તેઓશ્રીનો અલ્પ વિયોગ પણ તેને મૃત્યુથી વધુ પીડા આપી જાય છે. તેનો અનન્ય ભક્તિભાવ તેને સદ્દગુરુથી એક પળ પણ અળગો થવા દેતો નથી. સદ્ગુરુ પ્રત્યે અવિચળ શ્રદ્ધા જાગતાં જીવને તેમના પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ જાગે છે. સદ્ગુરુનાં અંતર પરિણામોનું અવલોકન કરતાં તેમની જ્ઞાનદશાના અપૂર્વ ભાવો તેને પકડાય છે. તેમણે અલૌકિક પુરુષાર્થ દ્વારા નિજપરમાત્માનું અવલંબન લીધું હોવાથી આ અવલંબનથી પ્રગટતા સર્વ ભાવ પરમાત્મભાવ કહેવાય છે. જીવને આ ભાવનું ગ્રહણ થતાં સદ્ગુરુમાં પરમાત્મતત્ત્વનાં દર્શન થાય છે અને તેના કારણે તેને સદ્ગુરુમાં પરમેશ્વરબુદ્ધિ ઉત્પન્ન થાય છે. તે બુદ્ધિ તે મુમુક્ષુ જીવને સર્વ પ્રકારના પ્રતિબંધથી મુક્ત કરે છે. આમ, ક્રમે કરીને તે મુમુક્ષુ, જેમનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે તેમની દશાને પામે છે. સગુરુ પ્રત્યેનાં અચળ પ્રેમ અને સમ્યક્ પ્રતીતિના બળ વડે મુમુક્ષતાની વૃદ્ધિ થાય છે. સદ્ગુરુના સાનિધ્યમાં તેને આત્મહિતની નિઃશંકતા ઊપજે છે. તે સર્વાર્પણબુદ્ધિએ સત્સંગને આરાધે છે. પરમપ્રેમાર્પણભાવ રહેવાથી પરિણામોની નિર્મળતા આવતી જાય છે. તેને સ્વકાર્યમાં એવી તાલાવેલી અને લગની જાગે છે કે પરિપૂર્ણ નિર્દોષ થવાનો નિર્ધાર સહેજે દઢ થાય છે. નિષ્પક્ષપણે નિજાવલોકનનો પ્રયોગ ચાલુ થાય છે અને આ પ્રયોગ દરમ્યાન તેના વિપરીત અભિપ્રાય મટતા જાય છે અને સમ્યક્ અભિપ્રાય ઘડાતા જાય છે. આ પ્રકારે સર્વ પડખેથી યથાર્થતા ઉત્પન્ન થાય છે. આ પ્રકારના યથાર્થ પરિણમનમાં માત્ર વિચારપદ્ધતિએ નહીં પણ ભાવભાસન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy