SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૦૧ ૨૯૭ એવા તત્ત્વનિર્ણયમાં પ્રવર્તતી નથી એ મોટું આશ્ચર્ય છે. તેણે મિથ્યા માન્યતા, પ્રમાદ વગેરે છોડીને બુદ્ધિને તત્ત્વનિર્ણયમાં લગાવવી જોઈએ. આત્મહિત માટે તત્ત્વનિર્ણય કરવા જેટલી જ્ઞાનશક્તિ તો તેને પ્રાપ્ત થયેલી છે. શ્રીગુરુ પણ અત્યંત કરુણાથી તત્ત્વોનો ઉપદેશ કરે છે. તે ઉપદેશના આધારે તત્ત્વનિર્ણય કરવામાં જીવે પ્રવૃત્તિ કરવી જોઈએ. પોતે કોણ છે? આત્માનું સ્વરૂપ શું છે? હેય-ઉપાદેય તત્ત્વો કયાં છે? આત્મ-અનુભૂતિ કેવી રીતે થાય? ઇત્યાદિનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. સંયોગો અને વિકારોથી ભિન્ન પોતાનું સ્વરૂપ જ્ઞાનાનંદથી ભરપૂર છે તેનો નિર્ણય કરવો જોઈએ. ઉપયોગને અંતરમાં વાળીને સ્વતત્ત્વનું અવલોકન કરવું જોઈએ. જેને નિજજ્ઞાયકતત્ત્વની ખબર નથી, તે તો પરને જાણવામાં જ અટકી જાય છે. પોતાના નિર્ણયના અભાવમાં જીવનું જ્ઞાન પરમાં એવું તો ચોંટી જાય છે કે ત્યાંથી ઉખેડી સ્વમાં લગાવવું દુષ્કર છે. અજ્ઞાનીને જ્ઞાનસ્વરૂપ આત્માની પ્રીતિ નથી, માટે તે પરને જાણતી વખતે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાને બદલે ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરે છે અને તેથી તેની જ્ઞાનશક્તિ ત્યાં સીમિત થઈ જાય છે. અનંતાનંત દ્રવ્યોની અનંતાનંત પર્યાયોને જાણવાની જ્ઞાનશક્તિ જીવમાં છે, પરંતુ પરદ્રવ્યના રાગમાં તે પોતાની અનંત શક્તિને કુંઠિત કરી દે છે. તેને પોતાની વર્તમાનમાં પ્રવર્તતી શક્તિનો પૂરો ઉપયોગ કરવાની સ્વતંત્રતા છે. જો તે પરને જાણવામાં અટકે નહીં, જાણનારને જાણે તો તેની કુંઠિત થયેલી શક્તિ અસીમ તથા અનંત રૂપમાં પ્રગટ થાય અને તે સર્વજ્ઞ બને. પરંતુ તે પોતાની શક્તિ સ્વરૂપમાં વાળવાને બદલે પરમાં વાળે છે, તેથી તેની વિશાળ શક્તિ સીમિત થઈ જાય છે. અજ્ઞાની જીવ સ્વયંની સમૃદ્ધિને ભૂલી બહાર ફાંફાં મારે છે, દુઃખી થાય છે. સ્વયંથી અજાણ હોવાથી પોતાને ખાલી અનુભવે છે અને પોતાને પરથી ભરવાની ચેષ્ટા કરે છે. પોતામાં અનુભવાતો અને ખેંચી રહેલો ખાલીપો તે ધન વડે, કીર્તિ વડે, સ્ત્રી વડે ભરવા પ્રયત્ન કરે છે. કિંતુ આ બધું હોવા છતાં પણ ખાલીપો તો રહે જ છે. ઊલટું તે ખાલીપો વિશેષ પ્રમાણમાં અનુભવે છે, કારણ કે તે સ્વયંથી વધુ દૂર ગયો છે. આનો ઉપાય એક જ છે - પોતાની સમૃદ્ધિનું ભાન થવું. પોતે પૂર્ણ, શુદ્ધ, જ્ઞાનાનંદનો પિંડ છે એમ જણાય તો બહાર ભટકવાનું બંધ થાય. હું સ્વયંમાં પૂર્ણ છું, આનંદમય છું. મારામાં કોઈ ઊણપ કે ખોટ નથી કે જેને મારે બહારથી પૂરી કરવી પડે.' - આવું ભાન થતાં બાદશાહીની શરૂઆત થાય છે અને પરપદાર્થોની ગુલામી અટકે છે. અંતરની પૂર્ણતા ઉપર વજન જતાં પૂર્ણતાની ખુમારી પ્રગટે છે અને તે પોતાના ચૈતન્યનિધાનની માલિકી ભોગવે છે. જેમ ગરીબ કન્યા કરોડપતિના ઘરની વહુ બનીને જાય છે ત્યારે નથી એણે એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy