SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ આત્માની પ્રસિદ્ધિની રીત છે, એ જ અનુભવનો ઉપાય છે. બધા વિકલ્પોથી પાર થઈને આત્મસ્વભાવ તરફ જ્ઞાનનો ઝુકાવ થવો તે જ સમ્યકપણે આત્માને અનુભવવાની રીત છે. જ્ઞાનસ્વભાવ તરફના બળ સહિત આગળ વધીને જ્ઞાનને અંતરમાં વાળતાં વિકલ્પ છૂટી જાય છે અને સ્વસંવેદન થાય છે. આ પ્રકારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે પ્રથમ જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવા સદ્ગુરુ દ્વારા તત્ત્વની સમજણ પ્રાપ્ત કરી, પોતાના શુદ્ધ સ્વભાવનો નિશ્ચય કરવામાં પ્રવૃત્ત થવું જોઈએ. અનાદિથી ચૈતન્યદોરામાં ગૂંચ પડી છે. નિત્યાનંદરૂપ જ્ઞાયકપ્રભુ એવો ચૈતન્યદોરો સ્વભાવે શુદ્ધ તેમજ સરળ હોવા છતાં, અનાદિથી તેની પર્યાયમાં રાગના એકત્વની ગૂંચ પડી ગઈ છે. ‘શુભ અને અશુભ રાગ તે મારું સ્વરૂપ છે' એવી અનાદિથી જે ગૂંચગાંઠ પડી ગઈ છે તે ઉકેલવાની છે. અંતરમાં નિત્યપ્રકાશમાન, શુદ્ધ ચૈતન્યપ્રભુ શાશ્વત બિરાજે છે; પણ અનાદિથી પર્યાયમાં જે શુભાશુભ રાગના એકત્વની ગાંઠ પડી ગઈ છે, તેને ચૈતન્યસ્વભાવનું ભાન કરીને ધીરજપૂર્વક અંતર્મુખ પુરુષાર્થ વડે ઉકેલવાની છે. જ્ઞાનની પર્યાય અનાદિથી જે બહાર તરફ ઢળી ગઈ છે, તેને મર્યાદામાં લાવીને સ્વભાવ તરફ લઈ જાય તો અંદર જે ચૈતન્યજ્ઞાયકપ્રભુ છે તે દૃષ્ટિગત થાય અને રાગ સાથેના એકત્વની અનાદિ ગૂંચ ઊકલી જાય. અનાદિ કાળથી જીવ સંયોગ અને રાગ સામે જોઈ રહ્યો છે, હવે નજર અંતરમાં વાળીને ત્રિકાળી, ધ્રુવ સત્વ સામે દૃષ્ટિ કરવી આવશ્યક છે. વર્તમાન જે પર્યાય છે તેની સમીપે, તળમાં ઊંડે, વસ્તુનું જે સામર્થ્યભરપૂર દળ પડ્યું છે તે વસ્તુનો ધ્રુવ સ્વભાવ છે. વસ્તુમાં જે ઉપર તરતો ક્ષણિક ભાવ તે પર્યાય છે. તે તરફનું લક્ષ છોડી દઈ, ધ્રુવ પરમ ભાવને ખ્યાલમાં લઈ તેનો આશ્રય કરવો જોઈએ. ધ્રુવ, અખંડ, જ્ઞાયકતત્ત્વ તરફ પર્યાયને ઢાળવી જોઈએ. પરસમ્મુખ રહેલી વૃત્તિ સ્વસમ્મુખ થતાં પર્યાયમાં જે અનાદિથી વિભાવની ગૂંચ પડી ગઈ છે તે નીકળી જાય છે અને સરળ સ્વભાવની, જ્ઞાયકના અનુભવની પ્રાપ્તિ થાય છે. માટે તત્ત્વનિર્ણય કરીને ધ્રુવ તત્ત્વનો આશ્રય કરવો તે જ જીવનું કર્તવ્ય છે. તત્ત્વનિર્ણય કરવાનો આ અતિ દુર્લભ અવસર છે. ચાર ગતિનાં દુઃખોથી છૂટવાનો અને પરમ આનંદરૂપ સિદ્ધપદની પ્રાપ્તિનો આ અવસર છે. સર્વ પ્રકારની જોગવાઈવાળો અવસર આવ્યો છે. આવો દુર્લભ અવસર પામવો કઠણ છે. આવા અવસરને વૃથા ન ગુમાવવો જોઈએ. જીવે પોતાનું ભલું કરવું હોય તો અત્યારે જ સર્વશે કહેલાં તત્ત્વનો યથાર્થ નિર્ણય કરવો જોઈએ. તત્ત્વનિર્ણય તે સર્વ મનોરથની સિદ્ધિનો ઉપાય છે. તત્ત્વનિર્ણય તે જ સર્વ સુખનું મૂળ કારણ છે. જેમ પ્રાણ વગર જીવન હોતું નથી, તેમ તત્ત્વના નિર્ણય વગર ધર્મ હોતો નથી. આવો દુર્લભ અવસર પામીને જીવની બુદ્ધિ બીજી તદ્દન નકામી વાતોનો નિર્ણય કરવામાં પ્રવર્તે છે અને આત્મહિતના મૂળ આધાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy