SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન અનાદિ-અનંત સ્વયંસિદ્ધ છે. આ દ્રવ્યોને કોઈએ ઉત્પન્ન કર્યા નથી, કોઈ તેની રક્ષા કરતું નથી કે કોઈ તેનો સંહાર કરી શકતું નથી. પરની સહાયથી તે ટકતાં નથી, તે કોઈને ટકાવતાં નથી અને પર દ્વારા તેનો નાશ પણ નથી તેમજ તે પરનો નાશ કરી શકતાં નથી. પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે તે કોઈની અપેક્ષા નહીં રાખતાં હોવાથી તે સ્વતંત્ર છે. આમ, સર્વ દ્રવ્યોનું ત્રિકાળ હોવાપણું સિદ્ધ થાય છે. દ્રવ્યમાં અનંત ગુણો, ધર્મો, શક્તિઓ હોય છે. તેમાં અમુક ગુણને સામાન્ય ગુણ કહેવામાં આવે છે, કારણ કે તે સર્વ દ્રવ્યોમાં જોવામાં આવે છે અને અમુક ગુણને વિશેષ ગુણ કહેવામાં આવે છે, કારણ કે તે સર્વ દ્રવ્યોમાં ન વ્યાપતાં અમુક જ દ્રવ્યમાં વ્યાપે છે. સામાન્ય ગુણ મુખ્યતઃ છ છે - અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, અગુરુલઘુત્વ, પ્રમેયત્વ અને પ્રદેશત્વ. અસ્તિત્વ ગુણ આ છ સામાન્ય ગુણોમાં મુખ્ય ગુણ છે, કારણ કે તેના વડે દ્રવ્યનું હોવાપણું નક્કી થાય છે. જો દ્રવ્ય હોય તો બીજા ગુણો હોઈ શકે; માટે સત્ તે દ્રવ્યનું મુખ્ય લક્ષણ છે. - સત્ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી સંયુક્ત હોય છે. ઉત્પાદ એટલે મૂળ સ્વભાવ નષ્ટ થયા વગર દ્રવ્યમાં નવીન અવસ્થાનું પ્રગટ થવું તે. વ્યય એટલે મૂળ સ્વભાવ નષ્ટ થયા વગર દ્રવ્યમાં પૂર્વ અવસ્થાનો વિનાશ થવો તે. ધ્રૌવ્ય એટલે અનાદિ-અનંત કાળ ટકી રહેવાનો મૂળ સ્વભાવ કે જેમાં ઉત્પાદ કે વ્યય થતો નથી તે. આ ત્રણ જેનામાં ન હોય તે અસત્ છે, તે આ જગતમાં વિદ્યમાન હોઈ ન શકે. ‘સત્ વસ્તુમાં ઉત્પાદ આદિ ત્રણે અવશ્ય હોય છે. દરેક વસ્તુ પ્રતિસમય અવસ્થારૂપે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તથા દ્રવ્યરૂપે સ્થિર પણ રહે છે. પ્રત્યેક વસ્તુમાં નવી અવસ્થા ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયેલી અવસ્થાનો નાશ થાય છે, છતાં દ્રવ્ય એવું ને એવું ત્રિકાળી ધ્રુવ રહે છે. આવી સમય સમયની બદલાતી અવસ્થાઓ તે દ્રવ્યની પોતાની જ શક્તિથી થાય છે, જે સર્વ દ્રવ્યોનું ત્રિકાળ સ્વાધીનપણું દર્શાવે છે. આમ, વસ્તુમાં બે ભાવ છે - (૧) ત્રિકાળી ભાવ (૨) વર્તમાન બદલાતો અવસ્થારૂપ ભાવ. દ્રવ્યનો સ્વભાવ ગુણ-પર્યાયરૂપ છે. દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની બધી હાલતમાં જે રહે, દ્રવ્યથી કદી પૃથક્ ન થાય, નિરંતર દ્રવ્યની સાથે રહે તે ગુણ છે અને ગુણના જ વિશેષ કાર્યને, અવસ્થાને પર્યાય કહે છે. ગુણ-પર્યાયનો જ્યાં નિરંતર વાસ છે એવી વસ્તુ નિત્ય પરિણમનશીલ છે. સર્વ દ્રવ્યોની પર્યાય પ્રત્યેક સમયે, અંતર પડ્યા વિના નિરંતર બદલાતી રહે છે. પરંતુ આ બદલવા સાથે દ્રવ્યનું કાયમપણું પણ છે. દરેક વસ્તુનું સ્વરૂપ ‘ટકીને બદલવું' (permanency with a change) છે. જેમ સોનું તે તત્ત્વ છે. તેની પીળાશ, ચીકાશ અને વજન તે તેના ગુણ છે, જે કાયમ રહે છે; અને તેનાં કુંડલ, કડાં, વીંટી થાય તે તેની અવસ્થા - પર્યાય છે જે અનિત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy