SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૯૧ ૧૨૩ ઇન્દ્રિયવિષયોના સેવનમાં આતુરતા તથા આકુળતા રહેલી છે. પાંચ ઇન્દ્રિયના વિષયો સુખનાં કારણ નથી, પણ તે આકુળતા ઉત્પન્ન કરનાર હોવાથી દુઃખનાં કારણ છે. પંચેન્દ્રિયના વિષયોના સેવનથી સુખ નથી મળતું, પણ ત્યાં આકુળતાના અભાવરૂપ સુખ છે; તેથી તે દુઃખ છે. વાસ્તવમાં નિરાકુળપણું જ સુખનું મૂળ છે. સુખનું કારણ અનાકુળતા છે. અનાકુળતામાં જે સુખ છે, તે એકમાત્ર આત્મામાંથી જ ઉત્પન્ન થયેલું હોય છે. સુખ પૌદ્ગલિક પદાર્થોમાં નથી. સુખનો આધાર તો એકમાત્ર જ્ઞાનમય નિજ આત્મા છે. સુખ એ આત્માનો સ્વભાવ છે. આત્માનું સુખ વાસ્તવિક સુખ છે. સાંસારિક સુખો, વૈષયિક સુખો, પૌગલિક સુખો એ સાચાં સુખ નથી. નિર્મળ આત્મજ્યોતિમાંથી પ્રકાશતો જે સ્વાભાવિક આનંદ છે, તે જ ખરેખર પરમાર્થ સુખ છે. આત્મા સ્વયંમાં એકાગ્ર થઈ જે સુખ વેદે છે, અનુભવે છે તે જ વાસ્તવિક સુખ છે, સાચું સુખ છે. જેમાં ઇન્દ્રિયવૃત્તિ નથી એવું ધ્યાનસમાધિજન્ય સુખ જ ઉપશમસુખ છે અને તે જ માત્ર નિરુપચરિત સુખ છે. આત્મિક સુખ ક્લેશ, કષાય, કર્મવિપાકરહિત છે. તે વિનાશી નથી પણ અવિનાશી છે. તે પ્રશમ રસનું સુખ નથી પરાધીન કે નથી વિનાશી. વિષયસુખની સામગ્રીઓ ચોરાઈ શકે છે, પરંતુ આત્માનો આનંદ કદી પણ લૂંટાઈ શકતો નથી. તે આનંદ સિદ્ધ ભગવંતમાં પરિપૂર્ણ સ્વરૂપે વિદ્યમાન છે. સાચું, શાશ્વત અને પરિપૂર્ણ સુખ સિદ્ધ પરમેષ્ઠીને હોય છે. આત્મિક સુખ પરિપૂર્ણપણે સિદ્ધ પરમાત્માને હોય છે, જ્યારે જ્ઞાનીઓને તેનો થોડો અંશ ઉપલબ્ધ થયો હોય છે. સ્વરૂપમાં સ્થિત જીવોને સાચા સુખની પ્રાપ્તિ થાય છે. જેઓ સમસ્ત વિકલ્પોથી રહિત થઈને પરમ સમાધિને પ્રાપ્ત કરે છે, તેઓ જ સાચા સુખનું વેદન કરે છે. જેમણે અહંકાર, કામ, મોહ આદિને જીતી લીધાં છે; જેમને કોઈ પણ આશા કે ઇચ્છા રહી નથી; જેઓ મન, વચન, કાયાથી રહિત છે; તેવા જીવોને સંપૂર્ણપણે સાચા સુખની અનુભૂતિ હોય છે. આવરણરૂપ કર્મોના સર્વથા નાશથી આત્મા પરિપૂર્ણ સુખ અનુભવે છે. જ્યારે સર્વ કર્મનો નાશ થાય છે ત્યારે સકલ, પરિપૂર્ણ, નિરુપચરિત અને નિરુપમ એવું સ્વાભાવિક અનંત સુખ સિદ્ધમાં પ્રગટ થાય છે. અહીં કોઈ દલીલ કરે કે સંસારનાં સુખ પુણ્યરૂપ કારણથી જન્ય છે, તેથી તે સ્વાભાવિક નથી. મોલમાં તો પુણ્યકર્મ છે જ નહીં, તો કારણનો અભાવ હોવાથી કાર્યસુખનો પણ સિદ્ધ ભગવંતમાં અભાવ જ માનવો જોઈએ. આનો જવાબ આ પ્રમાણે છે - સુખ સ્વાભાવિક છે, છતાં જો એવો આગ્રહ રાખવામાં આવે કે તે કારણજન્ય જ છે અને સિદ્ધમાં કારણનો અભાવ હોવાથી સુખનો પણ અભાવ છે, તો એમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy