SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૮૬ ૭૫૭ નથી. ભોક્તાપણું સિદ્ધ કરવા માટે તે ફળદાતા તરીકે ઈશ્વરને સ્વીકારવા પ્રેરાય છે, પણ એમ કરવા જતાં તેને એમ લાગે છે કે ઈશ્વરનું ઈશ્વરપણું ખંડિત થઈ જાય છે. પરંતુ જો ઈશ્વર ફળદાતા તરીકે સિદ્ધ થઈ શકે નહીં તો શુભાશુભ કર્મનાં ભોગવવાનાં સ્થાનકો પણ રહેતાં નથી અને તેથી જીવનું ભોક્તાપણું પણ રહેતું નથી. આત્માનું ભોતૃત્વ સિદ્ધ કરવા અર્થે શ્રીગુરુએ પૂર્વની ગાથાઓ(૮૨-૮૫)માં કર્મબંધ અને કર્મફળપ્રક્રિયા સમજાવી, બાંધેલાં કર્મોનું ફળ જીવે અવશ્ય ભોગવવું પડે છે એમ ન્યાયયુક્ત દલીલો તથા દૃષ્ટાંતો વડે દર્શાવ્યું. હવે આ ગાથામાં તેઓ કર્મફળ ભોગવવાનાં સ્થાન બાબત વાત કરે છે. જીવ અને પુદ્ગલ દ્રવ્યનો સ્વભાવ અને તેમના પરસ્પર નિમિત્તનૈમિત્તિક સંબંધથી ઉદ્ભવતી વિભિન્ન અવસ્થાઓના ગહન રહસ્યને અત્રે સંક્ષેપમાં સમજાવ્યું છે. જીવ સ્વભાવે પૂર્ણ, શુદ્ધ અને સ્વાધીન તત્ત્વ છે. અજ્ઞાન અવસ્થામાં સ્વરૂપમાં સ્થિર ન રહેતાં તે શુભાશુભ અધ્યવસાયમાં પ્રવર્તે છે. તે શુભાશુભ ભાવ કરીને વિકારરૂપે પરિણમે છે. જીવ જ્યારે વિકારરૂપે પરિણમે છે ત્યારે તેના ભાવોનું નિમિત્ત પામીને કાર્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓ કર્મરૂપે પરિણમે છે. શુભાશુભ ભાવો એ જીવદ્રવ્યની જ એક વિશેષ અવસ્થા છે અને તેનું નિમિત્ત પામી પુદ્ગલદ્રવ્યમાં પણ તત્પ્રકારનાં પુણ્ય-પાપનાં ફળ આપવાની શક્તિ ઉત્પન્ન થાય છે. જીવમાં રાગાદિ કરવાની શક્તિ છે અને તેનું નિમિત્ત પામી કાર્યણ વર્ગણાનું આવીને બંધાવું એ તેની યોગ્યતા છે. જડ-ચેતન વચ્ચે આ પ્રકારનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. જીવ જેવો વિકાર કરે તેવો કર્મબંધ થાય છે અને એવી સહજ વ્યવસ્થા છે કે તેના ઉદય વખતે જીવને તથાપ્રકારના શુભ-અશુભ, અનુકૂળ-પ્રતિકૂળ સંજોગોની પ્રાપ્તિ થાય છે, શુભાશુભ કર્મફળને ભોગવવા યોગ્ય સ્થાનકોનો તેને સંયોગ થાય છે. તે સ્થાનકો તે ચાર ગતિ છે - દેવ, નરક, મનુષ્ય અને તિર્યંચ. ચાર પ્રકારની ગતિના જીવોથી આ સંસાર ભરેલો છે. જીવને પોતાનાં શુભાશુભ કર્મોનાં ફળ ભોગવવા માટે તે તે કર્મ ભોગવવા લાયક આ સ્થાનોમાં ગતિઓમાં જવું પડે છે. જેમ કોઈ માણસ ખૂન કરતાં પકડાય અને તેને અદાલત જન્મટીપની સજા આપે તો આ સજા જેલમાં ભોગવવી પડે છે, ઘરમાં નહીં; તેમ પોતે બાંધેલાં કર્મોનાં શુભાશુભ ફળ ભોગવવા માટે જીવને ચારે ગતિઓમાં ભમવું પડે છે. જીવના શુભાશુભ અધ્યવસાય તે ભાવગતિ છે અને ભાવગતિ અનુસાર ફળ ભોગવવા માટે દેવાદિ દ્રવ્યગતિ પણ છે. જીવ જેવા ભાવ કરે છે તેનું ફળ ભોગવવા માટે જીવે તેને અનુરૂપ ક્ષેત્રોમાં જવું પડે છે, અર્થાત્ આત્મા સ્વાધીન હોવા છતાં જ્યાં સુધી તેણે પોતાનું સ્વરૂપ જાણ્યું નથી તથા તેમાં ઠર્યો નથી, ત્યાં સુધી તેને કર્મનો સંગ છે; અને જ્યાં સુધી કર્મોનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy