SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કોઈ કાર્ય ન કરે તો ઈશ્વર શા માટે કરે? ઈશ્વર કયા પ્રયોજન વડે આ બધું કરે છે? તેના ઉત્તરમાં કેટલાક ઈશ્વરકતૃત્વવાદીઓ એમ કહે છે કે જગતકર્તાને સૃષ્ટિનિર્માણ કરવાનું કોઈ પ્રયોજન હોતું જ નથી. એ તો માત્ર પોતાની સ્વતંત્રતાથી જ જગતનું નિર્માણ અને જગતનો સંહાર કરવામાં પ્રવૃત્ત થાય છે. એ તો એને એવી ઇચ્છા થઈ કે ‘લાવ જગતનું નિર્માણ કરવાની રમત કરું' અથવા તો “જગતનો વિનાશ કરવાની રમત કરું'. આવી ઇચ્છા વડે તે જગતનો ઉત્પાદ કે નાશ કરવામાં પ્રવૃત્ત થઈ જાય છે. તે પ્રયોજન વિના, લીલા કરવા માટે કરે છે. આ જગત એ ઈશ્વરની લીલામાત્ર, ક્રીડામાત્ર છે. લીલા (નાટક) તો કોઈને બતાવવા માટે કરવામાં આવે છે, જો આ ઈશ્વરની લીલા હોય તો ઈશ્વરને આ લીલા કોને બતાવવી હતી? વળી, ક્રીડા આ તો રાગજનિત પ્રવૃત્તિ છે. જે રાગમુક્ત હોય તેનામાં ક્રીડા કઈ રીતે હોઈ જ શકે? શ્રી આનંદઘનજી મહારાજ લખે છે – કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષવિલાસ.૧ કોઈ એમ કહે છે કે જેનું સ્વરૂપ ઓળખવાનો લક્ષ ન થઈ શકે એવા અલખ ભગવાને આ જગત રચવાની અલખ લીલા કરી છે અને તે અલખ ભગવાન સૌની ઇચ્છા પૂરી કરે છે. પરંતુ દોષરહિત ભગવાનને આવી લીલા કરવી કઈ રીતે ઘટે? લીલા એ તો દોષવાનનું કામ છે. જો એમ કહેવામાં આવે કે ઈશ્વરે આ ખેલ કર્યો અને વળી તે નષ્ટ કર્યો, પરંતુ એમ કરવાનું કોઈ કારણ નથી, આ તો માત્ર એક તમાશો છે; આ વાત યથાર્થ નથી, કારણ કે ખેલ કરનારને ખેલ ઇષ્ટ લાગે તો ખેલ કરે અને ખેલ અનિષ્ટ લાગે તો તેનો નાશ કરે. હવે જો ઈશ્વરને આ લોક ઇષ્ટ-અનિષ્ટ લાગે તો તેને લોક માટે રાગદ્વેષ થયો એમ કહેવાય. જો ઈશ્વરને રાગ-દ્વેષ થાય તો પછી ઈશ્વરનું સ્વરૂપ સાક્ષીરૂપ કેવી રીતે કહેવાય? સાક્ષી તેને કહેવાય કે જે જેમ હોય તેમ જ જોયા-જાણ્યા કરે. ઇષ્ટઅનિષ્ટ લાગવાથી જે ઉત્પત્તિ-નાશ કરે તેને સાક્ષીરૂપ કેવી રીતે કહેવાય? સાક્ષીરૂપ રહેવું અને કર્તા-હર્તા થવું એ બન્ને પરસ્પર વિરોધી છે, એ બન્ને એકસાથે સંભવતાં નથી. તમાશગીરને તમાશો સારો લાગે ત્યારે તમાશો કરે અને ખરાબ લાગે ત્યારે તમાશો વિખેરી નાખે; તો પછી તેને રાગ-દ્વેષ નથી એ વાત શી રીતે માની શકાય? વળી, ઈશ્વરને પહેલાં એવી ઇચ્છા થઈ હતી કે હું એક છું તો હવે બહુ થાઉં.” જ્યારે તે બહુ થયો ત્યારે વળી એને એવી ઇચ્છા થઈ કે હું બહુ થયો છું, હવે ૧- શ્રી આનંદઘનજીરચિત, શ્રી ષભદેવ ભગવાનનું સ્તવન, કડી ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy