SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર” – વિવેચન હતું'. ઈશ્વરકર્તુત્વવાદીઓ પણ આવું જ કરે છે. ભલું થયું ત્યાં તો ઈશ્વરના કરવાથી થયું તથા બૂરું થયું ત્યાં જીવોનાં કર્મનું ફળ મળ્યું એમ તેઓ કહે છે. આવી જૂઠી કલ્પના શા માટે કરવી? કાં તો બૂરું ભલું બને ઈશ્વરે કરેલું કહેવું અને કાં તો પોતાના કર્મનું ફળ કહેવું. જો ઈશ્વરના કરવાથી થતું હોવા છતાં ઘણા જીવો દુઃખી થતાં જોવા મળે છે, તો આવું કાર્ય કરનારને રક્ષક કેવી રીતે કહેવાય? તથા જો પોતાના કર્મનું ફળ છે તો ‘કરશે તે પામશે' એમાં ઈશ્વરે શું રક્ષા કરી? પોતપોતાનાં કર્મોથી જ જીવોનું ભલું-બૂરું થતું હોય તો પછી ઈશ્વરને વચ્ચે શા માટે લાવવો? આની સામે તેઓ એમ કહે છે કે અમે તો ઈશ્વરને ભક્તવત્સલ કહીએ છીએ. જે ઈશ્વરના ભક્ત છે તેમની તે રક્ષા કરે છે. આનો પ્રત્યુત્તર એ છે કે જો એમ છે તો કીડી આદિ જે તેનાં ભક્ત નથી, તે સર્વને અનાદિ પહોંચાડવામાં, સંકટ વખતે સહાય કરવામાં ઈશ્વરનું કર્તવ્ય માની તેને સર્વનો રક્ષક શા માટે માનવામાં આવે છે? તેને માત્ર ભક્તનો જ રક્ષક માનવો ઘટે છે. પરંતુ તે ભક્તોનો રક્ષક પણ દેખાતો નથી, કારણ કે અભક્તો ભક્ત પુરુષોને પીડા આપતાં જોવા મળે છે. જો એમ કહેવામાં આવે કે પ્રલાદાદિની જેમ ઘણી જગ્યાએ તેણે સહાય કરી છે, તો તેનું સમાધાન એ છે કે જ્યાં સહાય કરી ત્યાં તો તમે એમ માનો છો, પરંતુ મ્લેચ્છ આદિ અભક્ત પુરુષો દ્વારા ભક્ત પુરુષો પ્રત્યક્ષ પીડા પામતાં અથવા તો મંદિરાદિ તોડી પડાતાં દેખાય છે ત્યાં શું? ત્યાં તે કેમ સહાય નથી કરતો? જો ઈશ્વર ભક્તવત્સલ છે તો સોમનાથ પાટણનું દેવળ મહમદ ગઝનીએ તોડ્યું ત્યારે તેણે પોતાના દેવળની રક્ષા કેમ ન કરી? અને સોમનાથ મહાદેવના અનેક ભક્તોને તે સ્થળે મ્લેચ્છ લોકોએ ઘણું દુઃખ આપ્યું, છતાં તેણે સહાયતા કેમ ન કરી? ત્યાં શું ઈશ્વરની શક્તિ જ ન હતી કે તેને એ વાતની ખબર ન હતી? જો એમ કહેવામાં આવે કે ઈશ્વરમાં એટલી શક્તિ ન હતી, તો શું પ્લેચ્છોથી પણ ઓછી શક્તિવાળો ઈશ્વર હોઈ શકે? જો શક્તિ ન હોય તો તે મ્લેચ્છોથી પણ હીન શક્તિનો ધારક થયો. જો એમ કહેવામાં આવે કે દુષ્ટ માણસોના જુલમની ઈશ્વરને ખબર ન હતી, તો ઈશ્વરને સર્વજ્ઞ કઈ રીતે કહેવાય? જો તેને ખબર ન હોય તો તે અજ્ઞાની થયો. જો એમ કહેવામાં આવે કે તેનામાં શક્તિ પણ છે તથા તે જાણે પણ છે, પરંતુ તેને એવી જ ઇચ્છા થઈ; તો પ્રશ્ન થાય કે તો પછી તેને ભક્તવત્સલ કઈ રીતે કહી શકાય? ઈશ્વરમાં શક્તિ અને જ્ઞાન હોવા છતાં સહાય ન કરે તો ઈશ્વરનું ભક્તવત્સલપણું ક્યાં રહ્યું? આ રીતે ઈશ્વરમાં ભક્તવત્સલપણું છે તથા તે સૃષ્ટિનું રક્ષણ કરે છે એ વાત વૃથા છે. ઈશ્વરને લોકનો રક્ષક માનવો યુક્તિસંગત નથી. વળી, ઈશ્વરકર્તુત્વવાદીઓ કહે છે કે ઈશ્વર સૃષ્ટિનો સંહાર કરે છે. આ કહેવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy