SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન રાગ-દ્વેષ કરે છે માટે કર્મનો બંધ થાય છે અને તેથી તે કર્મનો કર્તા છે એમ શ્રીગુરુ સમાધાન કરે છે. શ્રીગુરુ શિષ્યને સમજાવે છે કે જો ચેતન સર્વથા (સદા) અસંગ હોત, કર્મસંગનો સ્પર્શ લેશ પણ ન હોત તો તને પોતાને તે શુદ્ધ આત્મા કેમ ભાસતો નથી? તને પ્રથમથી જ સર્વથા અસંગ આત્મા ભાસવો જોઈતો હતો, અસંગ નિર્મળ શુદ્ધાત્મા તને અનુભવસિદ્ધ થવો જોઈતો હતો; પણ તેવો અસંગ આત્મા અનુભવમાં આવતો નથી, તેથી જણાય છે કે આત્માને કર્મના આવરણરૂપ સંગ અવશ્ય છે, એટલે તે સર્વથા અસંગ છે એમ કહી શકાય નહીં. અસંગ જરૂર છે, પણ તે પરમાર્થથી અર્થાત્ સ્વભાવ પ્રત્યે દૃષ્ટિ કરવાથી અસંગ છે, પણ વ્યવહારથી અર્થાત્ વર્તમાન અવસ્થા પ્રત્યે દૃષ્ટિ કરવાથી સસંગ છે, કર્મથી લેપાયેલો છે, અશુદ્ધ છે. જ્યારે આત્માને પોતાના શુદ્ધાત્મસ્વરૂપનું ભાન થાય છે ત્યારે સમ્યકત્વાદિ ગુણો પ્રગટવાથી તેને પોતાનું અસંગ સ્વરૂપ જણાય છે. તેનું લક્ષ કરવાથી કર્મબંધ અટકે છે અને પૂર્ણ અસંગદશા પ્રગટે છે. જ્યારે આત્મા પોતાના પુરુષાર્થ વડે વિવેકજ્ઞાન પ્રગટાવે છે અને તેને એક પરમાણુમાત્રની પણ સ્પર્શના રહેતી નથી ત્યારે તે પૂર્ણ અસંગ થાય છે. આમ, આત્મા અસંગસ્વરૂપી હોવા છતાં અત્યારે અનુભવમાં આવતો નથી, તેથી એમ નિશ્ચિત થાય છે કે તે હમણાં અશુદ્ધ, સમય અને સંગી પણ છે અને આ અશુદ્ધતાના નિમિત્તે બંધાતાં કર્મોના કારણે તે કર્મનો કર્તા છે. - સાચા જ્ઞાનને પ્રમાણ કહે છે અને પ્રમાણના અંશને નય કહે છે. આત્મા વિશેષાર્થ [1] ગુણપર્યાયરૂપ છે. જે જ્ઞાન તેનાં ત્રિકાળી સ્વભાવ (ગુણ) અને વર્તમાન અવસ્થા (પર્યાય) એ બન્ને પક્ષને એકસાથે યથાર્થપણે ગ્રહણ કરે તે જ્ઞાન પ્રમાણ કહેવાય. સંપૂર્ણ વસ્તુને ખ્યાલમાં રાખી, એકને મુખ્ય કરી બીજાને ગૌણ કરે તેને નય કહેવાય, અર્થાત્ ત્રિકાળી સ્વભાવને મુખ્ય કરે અને વર્તમાન અવસ્થાને ગૌણ કરે અથવા વર્તમાન અવસ્થાને મુખ્ય કરે અને ત્રિકાળી સ્વભાવને ગૌણ કરે તેને નય અથવા સાપેક્ષદૃષ્ટિ કહેવાય. સાપેક્ષદષ્ટિમાં વસ્તુના અન્ય ધર્મોનો પણ ગૌણ ભાવે સ્વીકાર હોય છે. જ્યારે તેનો ગૌણભાવે પણ સ્વીકાર કરવાને બદલે સર્વથા નિષેધ કરવામાં આવે છે ત્યારે તે દુર્નય બની જાય છે અને તેથી વસ્તુના સ્વરૂપનો સમ્યક નિર્ણય થઈ શકતો નથી. સંસારી આત્મા સ્વભાવે ત્રિકાળી શુદ્ધ છે અને વર્તમાન અવસ્થામાં અશુદ્ધ છે. પ્રમાણ આત્માના શુદ્ધ ધ્રુવ સ્વભાવને પણ રહે છે અને ઉત્પાદ-વ્યયરૂપ અશુદ્ધ પર્યાયને પણ રહે છે, જ્યારે નય આત્માને ત્રિકાળી શુદ્ધ સ્વભાવરૂપે અથવા તો વર્તમાન અશુદ્ધ અવસ્થારૂપે રહે છે. આત્માના શુદ્ધાશુદ્ધ સ્વરૂપનો નિર્ધાર કરવો તે પ્રમાણ છે. તેના ત્રિકાળી સ્વભાવને મુખ્ય કરી તેને શુદ્ધ કહેવો અથવા તેની વર્તમાન અવસ્થાને મુખ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy