SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કરવાથી જીવ પણ અભંગ રહે છે એટલે નાશ પામતો નથી. અહીં દેહથી જીવ ભિન્ન છે એમ સિદ્ધતા કરેલી છે. કેટલાક આત્માઓ તે દેહ અને જીવની ભિન્નતા નથી, દેહનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય છે એમ કહે છે, તે માત્ર વિકલ્પરૂપ છે પણ પ્રમાણભૂત નથી; કેમકે તેઓ કાંચળીના નાશથી સર્પનો પણ નાશ થયેલો સમજે છે, અને એ વાત તો પ્રત્યક્ષ છે કે સર્પનો નાશ કાંચળીના ત્યાગથી નથી, તેમ જ જીવને માટે છે.' આ પ્રમાણે દેહનાં ઉત્પત્તિ-લય તથા તેની પલટાતી અવસ્થાઓનો અનુભવ કરનાર તેનાથી ભિન્ન એવો અભંગ, સ્થિર, જ્ઞાનસ્વભાવી આત્મા છે; પરંતુ આત્માનાં ઉત્પત્તિલયનો અનુભવ કરનાર કોઈ હોઈ શકે એમ ત્રણે કાળમાં સંભવિત નથી, કારણ કે દેહ જડ હોવાથી જાણવામાં અસમર્થ છે અને આત્મા તેનાં પોતાનાં જ ઉત્પત્તિ-લય જાણી શકે નહીં. ચેતનનાં ઉત્પત્તિ-લય થાય છે એવો અનુભવ કોઈને પણ થઈ શકતો નથી. તે અનુભવ થવો અશક્ય જ છે. જે આગળ-પાછળ હયાત હોય તેવી ભિન્ન જ્ઞાનધારક સત્તા જ આત્માનાં ઉત્પત્તિલય જાણી શકે, પણ એવી કોઈ સત્તા તો છે જ નહીં; તો પછી પ્રશ્ન ઊઠે છે કે આત્માની ઉત્પત્તિ થઈ એ શેના ઉપરથી કહેવાયું? આત્માનો નાશ થયો એ ક્યા આધારે કહેવાયું? તેનો ઉત્તર એ છે કે વાસ્તવમાં આત્માનાં ઉત્પત્તિ-નાશ કોઈએ જાણ્યાં જ નથી, એ કેવળ એક કલ્પના જ છે. દેહના જન્મ પહેલાં આત્મા ન હતો અને દેહના નાશ પછી આત્મા નહીં હોય એ દલીલ અનુભવપૂર્વકની નહીં પણ અજ્ઞાનયુક્ત છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – ‘દેહસંયોગથી ચેતનની ઉત્પત્તિ અને દેહવિયોગથી ચેતનનો નાશ જે કયો હતો, તે મૂળ કલ્પના જ કલાના છે, મિથ્યા છે, ભ્રાંત છે. અર્થાત્ અચેતન જડ દેહ થકી ચેતનનાં ઉત્પત્તિ લય ત્રણે કાળમાં સંભવતા જ નથી. આ તો ચેતનનાં કલ્પિત ઉત્પત્તિ લયની મિથ્યા માન્યતાની પરીક્ષાર્થે આટલું વિવેચન કરવું પડ્યું. બાકી કોઈ પણ પ્રકારે ત્રણે કાળમાં દેહ થકી ચેતનનાં ઉત્પત્તિ લય સંભવતા જ નથી. અને જ્યારે ચેતનનાં ઉત્પત્તિ લય જ સંભવતા નથી ત્યારે અનુત્પન્ન અવિનાશી ચેતન આત્મા ત્રિકાળવર્તી નિત્ય પદાર્થ જ સ્વયં સિદ્ધ થાય છે.” આમ, શ્રીગુરુ શિષ્યને સચોટપણે સમજાવે છે કે ઉત્પત્તિ-લયનું જ્ઞાન ઉત્પત્તિ-લય પામનાર પદાર્થથી જુદા પદાર્થ વિના કદાપિ શક્ય જ નથી. ઉત્પત્તિ-લયનું જ્ઞાન જેના ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૬૩ (આંક-૨૨) ૨- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ. ૨૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy