SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૫૮ ૨૪૩ અજીવ = અ + જીવ. આ શબ્દમાં ‘અ’ ઉપસર્ગ નિષેધના અર્થમાં જોડાયેલો છે. ‘અ’ કોનો નિષેધ કરે છે? જીવનો જ. અજીવ એટલે જીવ નહીં તે અથવા જેમાં જીવ નથી તે અજીવ. અજીવ શબ્દ પ્રચલિત છે. ઘડો, પથ્થર, મકાન, થાળી વગેરે પદાર્થોને અજીવ કહેવામાં આવે છે; એટલા માટે કે તેમાં જીવ નથી. લોકો જીવને જાણતા હોય, ઓળખતા હોય તો જ એવો વાક્યપ્રયોગ થઈ શકે કે ઘડો અજીવ છે, જીવ શબ્દ દ્વારા શું અભિપ્રેત છે એની ખબર હોય તો જ એમ કહી શકાય કે આ અજીવ છે, આમાં જીવ નથી. માણસ, ઘોડા, ગધેડા કે બકરા માટે એમ નથી કહેવામાં આવતું કે આ અજીવ છે. લોકોને સ્પષ્ટપણે ખબર છે કે જીવ કોને કહેવાય અને અજીવ કોને કહેવાય અને તેથી ભાષાકીય દૃષ્ટિએ પણ તદનુરૂપ વ્યવહાર કરવામાં આવે છે અને એ જ જીવની સિદ્ધિ કરે છે. અજીવ શબ્દ, એટલે કે લોકવાણી જ જીવના વિદ્યમાનપણાને દર્શાવે છે, જીવની સત્તા પુરવાર કરે છે. અજીવનો પ્રતિપક્ષી કોઈ પદાર્થ હોવો જ જોઈએ, કારણ કે અજીવ શબ્દમાં વ્યુત્પત્તિવાળા, શુદ્ધ (સમાસરહિત) પદનો નિષેધ થયેલો છે. જ્યાં જ્યાં વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદનો નિષેધ હોય છે, ત્યાં ત્યાં તેનો પ્રતિપક્ષી પદાર્થ હોય જ છે; જેમ ‘અઘટ’નો પ્રતિપક્ષી ‘ઘટ’ વિદ્યમાન છે. ‘અઘટ’ પદમાં ‘ઘટ' એવા વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદનો નિષેધ થયેલો છે, તેથી ‘અઘટ'નો વિરોધી ‘ઘટ’ અવશ્ય વિદ્યમાન છે. જેનો પ્રતિપક્ષી વિદ્યમાન નથી હોતો, તે પદમાં વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદનો નિષેધ પણ નથી હોતો; જેમ કે અખરવિષાણ કે અડિત્ય (ડિત્ય એટલે લાકડાનો હાથી) પદ. આમાં ખવિષાણ (ગધેડાના શીંગડા) એ શુદ્ધ પદ નથી, કારણ કે તે સામાસિક શબ્દ છે અને ડિત્ય એ વ્યુત્પત્તિવાળો શબ્દ નથી. આથી ખરવિષાણ કે અડિત્યને વ્યુત્પત્તિવાળાં શુદ્ધ પદ કહી શકાય નહીં; એટલે અખરવિષાણનું વિરોધી ખરવિષાણ અને અડિત્યનું વિરોધી ડિત્ય એ બન્નેની વિદ્યમાનતા હોવી આવશ્યક નથી, પણ અજીવ શબ્દમાં તો તેમ નથી. અજીવમાં તો વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદ ‘જીવ'નો નિષેધ થયેલો છે, તેથી જીવનું અસ્તિત્વ અવશ્ય છે. જીવનો અભાવ નથી. અજીવના પ્રતિપક્ષીરૂપે જીવની સિદ્ધિ થાય છે. આમ, અજીવ શબ્દ જીવનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. પ્રતિપક્ષી શબ્દ દ્વારા પણ આત્માની સિદ્ધિ થાય છે.૧ (૪) વાચ્ય-વાચક સંબંધ વાચ્ય-વાચક સંબંધથી પણ આત્માની સિદ્ધિ થાય છે. વિશ્વમાં વસ્તુ એ વાચ્ય અને તેના વાચક એ શબ્દ છે. વાચક શબ્દના આધારે વાચ્ય ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીવૃત, વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૫૭૩ 'अस्थि अजीवविवक्खो पडिसेधातो घडोऽघडस्सेव । णत्थि घडोत्ति व जीवत्थित्तपरो णत्थिसद्दोऽयं । । ' Jain Education International — For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy