SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અવસ્થાને સુષુપ્ત અવસ્થા પણ કહેવામાં આવે છે. નિદ્રા અવસ્થામાં જીવ શૂન્યતામાં ખોવાઈ જાય છે. કેટલીક વાર શૂન્યતામાં ખોવાઈ જવાને બદલે જીવ સ્વપ્ન જુએ છે. જાગૃત અવસ્થા દરમ્યાન મન દ્વારા એકત્રિત કરેલી વાસનાઓનું નિદ્રા દરમ્યાન થતું વિસ્તરણ એ સ્વપ્ન છે અને તેથી તે સ્વપ્ન અવસ્થા તરીકે ઓળખાય છે. સ્વપ્ન અવસ્થામાં શરીર તો ક્રિયારહિત નિશ્રેષ્ટ હોય છે, તેમજ ઇન્દ્રિય પણ બાહ્ય જગતની નોંધ લેતી નથી, પરંતુ મન ગતિશીલ હોય છે અને તેથી જીવ અનેક પ્રકારનાં સ્વપ્નાં જુએ છે, જે મુખ્યત્વે રોજિંદી પ્રવૃત્તિ, માનસિક તાણ, દબાઈ રહેલી વાસનાઓ, પૂર્વજીવનના સંસ્કાર કે પૂર્વજન્મના સંસ્કારોનું જ પ્રગટીકરણ હોય છે. આ અવસ્થામાં જો કે બાહ્ય જગત સાથેનો સંપર્ક કપાઈ જાય છે, પણ કાલ્પનિક જગત સાથે સંપર્ક રહેવાના કારણે કલ્પનાસૃષ્ટિના અનેક દેશ્યો દેખાય છે. આ ત્રણ જુદી જુદી અવસ્થાઓમાં આત્મા વર્તતો હોવા છતાં આત્મા તે તે અવસ્થાઓથી જુદો જ છે. જાગૃતાદિ કોઈ પણ અવસ્થા વર્તતી હોય, પણ આત્મા તો તેનાથી જુદો જ છે. આત્મા જાગૃતાદિ અવસ્થાપણે નથી. જાગૃતાવસ્થા, નિદ્રાવસ્થા અને સ્વપ્નાવસ્થા - આ ત્રણે અવસ્થાઓથી તે ન્યારો છે. વ્યક્તિ જાગૃત અવસ્થામાં હોય તોપણ આત્મા ન્યારો છે, તે નિદ્રાધીન હોય તોપણ આત્મા ન્યારો છે અને તે સ્વપ્નમાં હોય તોપણ આત્મા ન્યારો છે. આ ત્રણે અવસ્થાઓ આત્માની નથી, પરંતુ તે ત્રણેનો પ્રકાશક એકમાત્ર આત્મા જ છે. જો આત્માનો અભાવ હોય તો એક પણ અવસ્થાનો અનુભવ થઈ શકે નહીં. આત્મા જ શરીરની આ અવસ્થાઓને એ ત્રણેથી ભિન્ન રહીને પ્રકાશિત કરે છે. પ્રકાશક પ્રકાશિત વસ્તુથી ભિન્ન હોય છે, તેમ આત્મા આ ત્રણે અવસ્થાઓથી ભિન્ન રહીને તેને જાણે છે. આત્મા આ ત્રણે અવસ્થા વખતે વિદ્યમાન હોય છે, પરંતુ તે અવસ્થારૂપ થઈ જતો નથી. તે આ ત્રણે અવસ્થાઓનો માત્ર સાક્ષી જ છે. આત્મા તો તમામ અવસ્થાઓને પ્રકાશિત કરનાર સાક્ષીમાત્ર છે. આત્મા જાગૃતાદિ અવસ્થાઓથી ભિન્ન છે અને તે અવસ્થાઓનો તે જાણનારો છે તેની સાબિતી વ્યતીત થયેલી અવસ્થાઓની સ્મૃતિ ઉપરથી મળે છે. જીવ જાગે છે ત્યારે સ્વપ્ન અવસ્થા વ્યતીત થઈ ગઈ હોવા છતાં પણ સ્વપ્ન અવસ્થામાં જોયેલા સ્વપ્નનું તેને સ્મરણ થઈ શકે છે. ઊઠીને તે સ્વપ્નને યાદ કરે છે, તેમાં બનેલી ઘટનાઓને યાદ કરે છે. એ અવસ્થા તો નષ્ટ થઈ ગઈ છે, છતાં તેને તેની સ્મૃતિ રહે છે, તેથી તેનું જ્ઞાન કરનાર અને તેને યાદ રાખનાર તેનાથી ભિન્ન શાશ્વત વસ્તુ છે અને તે આત્મા છે. ચૈતન્યયુક્ત આત્મા નિરંતર જાણવાનું કાર્ય કરતો રહે છે. કેટલાક કહે છે કે ગાઢ નિદ્રામાં જાણવું થતું નથી, પરંતુ આ વાત સત્ય નથી. જો જ્ઞાન સદંતર મટી જાય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy