SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૫૪ ૧૭૯ અવસ્થામાં રહીને એક વસ્તુનો અનુભવ કરે છે અને એ જ આત્મા બીજી અવસ્થામાં રહીને એ વસ્તુનું સ્મરણ કરે છે. સ્મરણ એ જ્ઞાનનો પ્રકાર છે, તેથી સ્મરણ એ જ્ઞાન જ છે અને જ્ઞાન એ આત્માનો જ ગુણ છે, માટે યાદ રાખનાર આત્મા જ છે. ગઈ કાલનું કે ૧૦-૨૦ વર્ષ પહેલાંનું યાદ રાખનાર આત્મા જ છે, તેથી જ શરીરની અવસ્થા બદલાઈ ગયા પછી પણ આત્માને યાદ રહે છે કે પહેલાં તો મારું શરીર અલમસ્ત હતું, પણ હવે સુકાઈ ગયું છે.' હું પહેલાં જાડો હતો' વગેરે બોલનાર વ્યક્તિની યાદશક્તિ જ આત્મસત્તાને પ્રગટ કરે છે. પૂર્વ અવસ્થાની સ્મૃતિ જ્ઞાનધારક આત્મતત્ત્વને સાબિત કરે છે, કારણ કે આત્મા દેહની અવસ્થાને જાણે છે અને દેહની અવસ્થા વ્યતીત થયા પછી પણ તે ટકે છે તથા તે અવસ્થાનું સ્મરણ પણ કરે છે. વળી, જન્મ વખતનું શરીર એ જ પ્રકારે રહેતું ન હોવા છતાં પણ શરીરનાં બધાં પરિવર્તનો વચ્ચે ‘હું' ની પ્રતીતિ તો એકસરખી રહે છે, તેથી હું નામનું તત્ત્વ શરીરથી અલગ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એમ સહેજે સમજાય છે. દરેક જીવને હું ની પ્રતીતિ થાય છે, તે પ્રતીતિ જ આત્માના અસ્તિત્વની સાખ પૂરે છે. આ રીતે અવસ્થાઓ વ્યતીત થવા છતાં પણ આત્માનું અસ્તિત્વ ટકે છે અને તે જાણેલી અવસ્થાઓને આત્મા યાદ કરે છે. આત્મા સર્વ અવસ્થાઓને પૃથક્ રહીને જાણે છે. આત્મા એક એવું શાશ્વત, પ્રગટ, ચૈતન્યમય તત્ત્વ છે; જે સર્વ અવસ્થાઓમાંથી પસાર થઈને પણ તેનાથી ભિન્ન રહે છે. આ તથ્યને જાગૃત-નિદ્રા-સ્વપ્ન અવસ્થાના ઉદાહરણ વડે વધુ સ્પષ્ટતાથી સમજીએ. જાગૃત, નિદ્રા તથા સ્વપ્ન અવસ્થાઓ આત્માની નથી. આ બધી અવસ્થાઓ દેહની છે. પ્રત્યેક મનુષ્ય આ ત્રણે અવસ્થાઓનો અનુભવ કરે છે, પરંતુ તેના મર્મ વિષે તે અજ્ઞાત છે. જીવ ત્રણે અવસ્થાઓથી સુપરિચિત છે, પણ તેનું રહસ્ય જાણતો નથી. આ ત્રણ અવસ્થાઓનું રહસ્ય શું છે તે વિચારવું ઘટે છે. જાગૃત અવસ્થામાં શરીર ક્રિયાશીલ રહે છે અને ઇન્દ્રિય તથા મન બાહ્ય જગત સાથેના સંપર્કમાં રહી જીવને તેનું જ્ઞાન કરાવે છે. જે અવસ્થામાં પદાર્થો, પ્રાણીઓ, વિચારોનો; એટલે કે તમામ વિષયોનો ઇન્દ્રિય તથા મન દ્વારા જીવને અનુભવ થાય છે, તે અવસ્થાને જાગૃત અવસ્થા કહેવામાં આવે છે. આ અવસ્થામાં શરીર, ઇન્દ્રિય અને મન ગતિશીલ - પ્રવૃત્ત હોય છે, તેથી આ અવસ્થાને જાગૃત અવસ્થા કહેવામાં આવે છે. નિદ્રા અવસ્થામાં શરીર ક્રિયારહિત હોય છે અને ઇન્દ્રિય તથા મન પણ પોતાનું કામ બંધ કરે છે, અર્થાત્ જીવનો બાહ્ય જગત સાથેનો સંપર્ક કપાઈ જાય છે. આ અવસ્થામાં શરીર, ઇન્દ્રિય તથા મન સંપૂર્ણ વિશ્રામ કરતાં હોય છે, તેથી આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy