SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન મહા અનર્થ કરે છે. જો જીવ સ્વચ્છેદરૂપી મહાદોષને રોકે, સ્વચ્છંદના પ્રતિપક્ષી ભાવે વર્તે તો તે અવશ્ય મોક્ષ પામે છે. જે જીવ પોતાના જ્ઞાનનો ક્ષયોપશમ શાસ્ત્ર અનુસાર હોવા છતાં પણ જ્યાં સુધી પોતાને અપૂર્વ દશા પ્રગટી નથી, ત્યાં સુધી તે દશાની જિજ્ઞાસા સહિત સભાનપણે વર્તે છે; સન્દુરુષની અંતરંગ દશાને ઓળખીને પરમ દીનતા કેળવી, પરમ વિનયવંત બની, લઘુત્વભાવે વર્તે છે; અત્યંત મહિમાપૂર્વક અને અત્યંત જિજ્ઞાસા સહિત જ્ઞાની પુરુષની વાણીનું શ્રવણ કરે છે, જેથી તે વાણી તેના અંતરને સ્પર્શી શકે; સન્દુરુષનાં વચનમાં નિઃશંકપણે પરમ પ્રીતિ કરે છે, તેને અલૌકિક અર્થમાં ઘટાવે છે, તેમાં રહેલા પરમાર્થને સમજવાનો દૃષ્ટિકોણ રાખે છે, અર્થાત્ તેમાં દર્શાવેલ માર્ગની વિધિના ગંભીર રહસ્યને ગહન ચિતવનથી શોધે છે; પોતાના દોષ સ્વીકારવામાં મધ્યસ્થ બુદ્ધિ રાખે છે; પુરુષના અલૌકિક ચરિત્રને લક્ષમાં રાખીને પોતાનો પુરુષાર્થ ઉપાડે છે; સન્દુરુષને પ્રગટ મૂર્તિમાન સત્ જાણીને અટલ શ્રદ્ધા, દૃઢ આશ્રય અને અતુલ ભક્તિ કરે છે; કંઈ પણ છુપાવવાના ભાવરહિત પુરુષના ઉપકારને પ્રસિદ્ધ કરે છે અને તેને સર્વોત્કૃષ્ટ ગણી તેનો મહિમા ગાય છે; પુરુષની મહાનતા અને પોતાની ક્ષુદ્રતા જાણી-સમજી તુલના કરવાનો ભાવ વિસર્જન કરે છે; તેમને પરમ હિતનું કારણ જાણી એકનિષ્ઠાએ ગુણાનુવાદમાં પ્રવર્તે છે; આત્મજ્ઞાન થયા પહેલાં ઉપદેશકાર્ય કરવાનું આવે તો શાસ્ત્રવાંચન, લેખન આદિ પ્રવૃત્તિમાં સત્પરુષના ઉપકારને પ્રદર્શિત કરે છે; આધ્યાત્મિક ન્યાયોનું સ્વલક્ષે તથા નમપણે નિરૂપણ કરે છે; સપુરુષની સાથે ચડસાચડસી કરવાને બદલે તેમના શરણે જવાની ભાવના રાખે છે અને તેથી તે જીવ અવશ્ય મોક્ષને પામે છે. સપુરુષનો અનન્ય આશ્રય અંગીકાર કરી તેમનું માર્ગદર્શન અનુસરતાં જીવ અંતર્મુખ થાય છે અને તેને સ્વાનુભૂતિ થાય છે. તે પોતાના જ્ઞાન-શ્રદ્ધાને સમ્યફ કરી, તેનાં બળ વડે પોતાનું વાસ્તવિક સુખ, મોક્ષદશા સાધવા અપ્રમત્ત થાય છે. પુરુષની ઉપાસનાથી તે સમસ્ત કર્મોનો નાશ કરી પરમ સુખદ મુક્તિધામમાં સદાને માટે જઈ વસે છે અને અનંત સુખને પામીને પરમ કૃતાર્થ થઈ જાય છે. આમ, સ્વછંદને રોકવાથી જીવ મોક્ષને પામે છે અને એવી રીતે અનંતા જીવો મોક્ષે ગયા છે એમ દોષરહિત જિનેશ્વર ભગવાને કહ્યું છે. આ પ્રમાણે સ્વચ્છંદત્યાગથી આત્મહિતની શરૂઆત થાય છે, તેથી જીવે સ્વચ્છંદત્યાગનું કાર્ય ઉદ્યમપૂર્વક અવશ્ય કરવા યોગ્ય છે એવો અમૂલ્ય બોધ આપીને શ્રીમદે આત્મહિતેચ્છુઓ પ્રત્યે અમાપ ઉપકાર કર્યો છે. આ વિષે ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે – ખરેખર! સ્વચ્છેદરૂપી અંધત્વના વિષમ ખડક પર જીવનું નાવડું ભાંગીને ભૂક્કો ન થઈ જાય એ અર્થે શ્રીમદ્ જેવા પરમ ગુરુના આ આત્માનુભવસિદ્ધ ટંકોત્કીર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy