SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૫ ૩૨૭ છે. તે માને છે કે હું પણ ઘણો ધર્મ કરું છું. સત્પરુષ જે કરે છે તે બધું જ હું કરું છું, હું પુરુષ જેવો જ પુરુષાર્થી છું. તે જાણે છે તેટલું બધું હું જાણું છું, તેથી હું સપુરુષ જેવો જ જ્ઞાની છું.' આવા ભાવ પ્રવર્તતાં હોવાથી તે સત્પરુષની અવગણના કરે છે અને ક્યારેક તો તેમની નિંદા પણ કરે છે. તે સત્પરુષનો વિરોધ કરવામાં કે અવર્ણવાદ બોલવામાં પણ પાછી પાની કરતો નથી. આચાર્યશ્રી સમંતભદ્રસૂરિજી કહે છે કે ગર્વથી ભરેલા અભિપ્રાયવાળો જીવ મદથી અન્ય ધર્માત્મા પુરુષોનો તિરસ્કાર કરે છે ત્યારે તે જિનેન્દ્ર દ્વારા પ્રણીત ધર્મનો તિરસ્કાર કરે છે, કારણ કે ધર્મ ધર્મી વિના - રત્નત્રયનું આચરણ કરનાર વિના હોતો નથી અને ધર્મનો અનાદર કરનાર મોક્ષપદ પામી શકતો નથી. આમ, સત્પરુષની આશાતના કરીને તે પોતાનું સંસારપરિભ્રમણ વધારી બેસે છે. શ્રીમદ્ લખે છે – જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળપરિણામે પરમ ઉપયોગદષ્ટિએ વર્તવું, એ અનંતસંસારને નાશ કરનારું તીર્થકર કહે છે. વળી, આત્મજ્ઞાન થયા પહેલાં ત્યાગીપણાના કે વિદ્વત્તાના કારણે ઉપદેશકાર્ય કરવું પડતું હોય તો ત્યાં તેને અભિમાન થાય છે. વ્યાખ્યાન અથવા લેખનની કુશળતાથી પોતાની મહત્તા દર્શાવવાની ઇચ્છા રહ્યા કરે છે. આચાર્યપ્રણીત ઉચ્ચ કોટિના આધ્યાત્મિક ન્યાય દર્શાવતી વખતે પણ પોતાની મહત્તા બતાવવાનો હેતુ જ મુખ્ય રહે છે. આવાં પરિણામોના સર્ભાવમાં સ્વચ્છંદી જીવને સત્પરુષના શરણે જવાની આવશ્યકતા જ નથી લાગતી. તેને શાસ્ત્રના ભણતરથી અથવા બાહ્ય ત્યાગથી મોટાઈ અને માન વધારવાની ઇચ્છા રહેતી હોવાથી ઉપદેશ ગ્રહણ કરવાની નમતાને બદલે ઉપદેશ આપવાની જ વૃત્તિ રહે છે. પુરુષ કરતાં પોતે વિશેષ ત્યાગી અથવા વિદ્વાન છે તેવું દર્શાવવાના પ્રયત્નમાં જ તે હંમેશાં લાગેલો રહે છે. પોતાના અનુયાયીઓની સંખ્યા કેવી રીતે વધારી શકાય, પોતાનું માનપાન કેવી રીતે વધે આદિમાં જ તેનો લક્ષ રહે છે અને તેથી તે સપુરુષથી વિમુખ જ વર્યા કરે છે. આ રીતે સ્વચ્છેદસેવનથી તે સંસારપરિભ્રમણનાં કારણો જ સેવે છે! આમ, જે જીવને ભવભ્રમણનો ભય નથી, તે જીવ સ્વચ્છેદે વર્તે છે અને પોતાનું ૧- જુઓ : આચાર્યશ્રી સમતભદ્રસૂરિજીકૃત, “રત્નકરંડ શ્રાવકાચાર', શ્લોક ૨૬ ‘स्मयेन योऽन्यानत्येति धर्मस्थान् गर्विताशयः । सोऽत्येति धर्ममात्मीयं न धर्मो धार्मिकैर्विना ।।' ૨- 'શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૪૩ (પત્રાંક-૩૯૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy