SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૮ થતી હોય, પણ જો વિભાવદશામાં રમણતા હોય તો તે ધર્મ નથી.૧ યમ, નિયમ, તપ, જપ વગેરે સીધાં જ મોક્ષપ્રાપક છે એવી માન્યતાના કારણે ક્રિયાજડ, ક્રિયાઓની શુદ્ધિ અર્થે જરૂરી એવાં આત્મનિરીક્ષણ અને સ્વરૂપજાગૃતિ સેવતો ન હોવાથી તેની ક્રિયાઓ સાર્થક થતી નથી, અર્થાત્ ભાવ વગરની અને ઉપયોગશૂન્ય ક્રિયાઓથી સમ્યક્ત્વની સિદ્ધિ થતી નથી. પોતાના કર્મકૃત વ્યક્તિત્વને વિસારી, આત્મરમણતામાં રહેવાના લક્ષે ક્રિયાઓ થાય તો જ તે ક્રિયાઓ સમ્યક્ત્વની સિદ્ધિ કરાવે છે, નહીં તો તે ભવભ્રમણનું કારણ પણ બને છે; તેથી આત્માર્થા સર્વ ક્રિયા કરતી વખતે પોતાનાં પરિણામો આત્મસન્મુખ કરવા ઉપર અધિક લક્ષ આપે છે. તે સર્વ ધાર્મિક ક્રિયાઓ આત્મહિતાર્થે જ કરે છે. ધાર્મિક ક્રિયાઓ દ્વારા જગતની વિસ્મૃતિ કરી, કર્મકૃત અવસ્થાઓમાંથી ‘હું'બુદ્ધિ તોડી, આત્માનુભવ કરવાનું જ તેને લક્ષ્ય રહે છે. તેની રહેણીકરણી તથા વિચારધારા સતત આત્મા તરફ જ કેન્દ્રિત હોય છે. મારે આત્મકલ્યાણ સાધવું છે' એવી લગની અંતરમાં અતૂટ રહેતી હોવાથી લક્ષ વારંવાર આત્મા તરફ વળ્યા કરે છે. તેને આત્મહિતની અભિલાષા હોવાથી તેનાં વલણ અને પુરુષાર્થની દિશા બદલાઈ ગઈ હોય છે. તે નિરંતર જાગૃતિપૂર્વક સૂક્ષ્મ અવલોકન કરે છે કે આ ક્રિયાઓથી પોતાનાં પરિણામોમાં રહેલો વિભાવરસ કેટલો મોળો પડ્યો અને સ્વભાવ૨સ કેટલો સુદૃઢ થયો? આવી જાગૃતિ વિભાવરસને તીવ્ર થવા દેતી નથી. સતત નિજાવલોકન કરવાથી વિભાવરસની મંદતા થાય છે અને નિર્મળતાની વૃદ્ધિ થતી જાય છે. Jain Education International ૨૧૧ આત્માર્થા જીવ ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યો, પ્રસંગે પ્રસંગે આત્મનિરીક્ષણથી આત્મપરિચય સાધી, આત્મસાક્ષાત્કાર કરવા ઇચ્છે છે. જેમ કોઈ વેપારી કેવળ પોતાની લેવડદેવડના આંકડાથી સંતોષ નથી માનતો, પરંતુ સરવૈયું નફાવાળું હોય તો જ સંતોષ માને છે; તેમ આત્માર્થી ફક્ત ધર્મપ્રવૃત્તિની ગણતરીથી સંતોષ નથી માનતો, પણ વૃત્તિની સુધારણા કેટલી થઈ તેનો અંદાજ કાઢે છે. આત્મનિરીક્ષણ કરી તે પોતાની ચકાસણી કરે છે કે ‘પોતાની ગતિ મોક્ષ તરફ લઈ જનારી છે કે ભવભ્રમણને વેગ આપનારી છે? ભક્તિ, તપ, જય આદિની માત્ર ટેવ જ સચવાય છે કે તે દ્વારા ચિત્તશુદ્ધિ પણ થાય છે? દોષોનું પ્રમાણ ઘટ્યું? ગુણવૃદ્ધિ થઈ? શાંતતા, શુદ્ધતા, સ્વસ્થતા, સંતુષ્ટતા, પ્રસન્નતા વધી? અહંવૃદ્ધિ કે દાંભિકતાનું પોષણ તો નથી થતુંને?' આ પ્રકારે તે સતત આત્મનિરીક્ષણપૂર્વક પોતાની કસોટી કરતો રહે છે. પોતે આદરેલ ક્રિયાઓ સાધ્ય તરફ લઈ જાય છે કે નહીં તેની તે સતત જાગૃતિ રાખે છે અને જે સ્ખલના ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૩, કડી ૩૩ ‘અધ્યાતમ વિણ જે ક્રિયા, તે તનુમલ તોલે; મમકારાદિક યોગથી, ઈમ જ્ઞાની બોલે.' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy